Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 1:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તે દહનીયાર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, અને પ્રાયશ્ચિત કરવા તે તેને માટે માન્ય થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 માણસે પ્રાણીના માથા પર પોતાનો હાથ મૂકવો એટલે તેનાં પાપ દૂર કરવાને માટે તેનો સ્વીકાર કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જે વ્યક્તિ તે જાનવરને લઈને આવે તેણે પોતાનો હાથ તે દહનીયાર્પણના માથા પર મૂકવો એટલે પ્રાયશ્ચિત્ત કરવા તેનો સ્વીકાર કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 જે વ્યક્તિ તે ઢોરને લઈને આવે તેણે પોતાનો હાથ તે દહનાર્પણના માંથા પર મૂકવો એટલે પ્રાયશ્ચિત્ત કરવા તેનો સ્વીકાર કરવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 1:4
44 Iomraidhean Croise  

અને તે હારુનના કપાળ પર રહે, ને ઇઝરાયલી લોકો તેઓનાં સર્વ પવિત્ર દાન આપવામાં જે પવિત્ર વસ્તુઓ પૂજ્ય કરે, તેઓનો અપરાધ હારુનને માથે આવે; અને તે પત્ર તેના કપાળ પર સદા રહે, એ માટે કે તેઓ યહોવાની આગળ માન્ય થાય.


અને તું તે વાછરડને મુલાકાતમંડપ આગળ લાવ; અને હારુન તથા તેના દીકરાઓ વાછરડાના માથા પર હાથ મૂકે.


અને તું એક ઘેટો લે; અને તે ઘેટાના માથા પર હારુન અને તેના દીકરાઓ હાથ મૂકે.


વળી તું બીજો ઘેટો લે; અને હારુન તથા તેના દીકરાઓ ઘેટાના માથા પર હાથ મૂકે.


અને જેથી પ્રાયશ્ચિત કરાયું હોય તે વસ્‍તુઓ તેઓ ખાય, એ માટે કે તેઓ પ્રતિષ્ઠિત તથા પવિત્ર થાય; પણ તેઓમાંથી પારકો ન ખાય, કેમ કે તે પવિત્ર છે.


તેમને તો હું મારા પવિત્ર પર્વત પર લાવીશ, અને મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ; તેમનાં દહનીયાર્પણો તથા તેમના યજ્ઞો મારી વેદી પર માન્ય થશે; કેમ કે મારું મંદિર સર્વ પ્રજાઓને માટે પ્રાર્થનાનુમ મંદિર કહેવાશે.


ઇઝરાયલના રસાળ ગોચરણમાંનાં દર બસો ઘેટાંમાંથી એક હલવાન, લોકોને માટે પ્રાયશ્ચિત કરવા સારું ખાદ્યાર્પણને માટે, દહનિયાર્પણને માટે તથા શાંત્યર્પણોને માટે [આપવું] , એમ પ્રભુ યહોવા કહે છે.


અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.


અને હારુન જીવતા બકરાના માથા ઉપર પોતાના બન્‍ને હાથ મૂકે, ને તેના ઉપર ઇઝરાયલી લોકોના સર્વ અન્યાય તથા તેઓનાં સર્વ ઉલ્‍લંઘન એટલે તેઓનાં સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે; અને ઠરાવેલા માણસનિ હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો.


અને પવિત્ર જગામાં પાણીથી સ્નાન કરીને તે પોતાના વસ્‍ત્ર પહેરે, ને બહાર આવીને પોતાનું દહનીયાર્પણ તથા લોકો દહનીયાર્પણ ચઢાવીને પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરે.


અને જો કોઈ માનતા ઉતારવા માટે અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવા પ્રત્યે શાંત્યર્પણોનો યજ્ઞ ચઢાવે, એટલે બળદ કે ઘેટો [ચઢાવે] , તો તે ખોડખાંપણ વગરનો હોય તો જ માન્ય થાય; તેમાં કોઈ પણ ખોડ ન હોય.


“જ્યારે બળદ કે ઘેટું કે બકરું જન્મે, ત્યારે તે સાત દિવસ સુધી પોતાની માને ધાવે; અને આઠમા દિવસથી ને ત્યાર પછીથી તે યહોવાને માટે હોમયજ્ઞના અર્પણ તરીકે માન્ય થશે.


અને તે તેના માથા પર પોતાનો હાથ મૂકે, તે મુલાકાતમંડપની આગળ તેને કાપે; અને હારુનના પુત્રો તેનું રક્ત વેદી પર ચારે બાજુ છાંટે.


અને તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, ને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, વેદી પર ચારેબાજુ તેનું રક્ત છાંટે.


અને તે પોતના અપર્ણના માથા પર પોતાનો હાથ મૂકે, ને મુલાકાતમંડપની આગળ તેને કાપે; અને હારુનના પુત્રો તેનું રક્ત વેદી પર ચારે બાજુ છાંટે.


અને પ્રજાના વડીલો યહોવાની આગળ તે વાછરડાના માથા પર પોતાના હાથ મૂકે; અને યહોવાની આગળ સમક્ષ તે વાછરડો કપાય.


એ વાછરડાને તે એ પ્રમાણે કરે; જેમ તેણે પાપાર્થાર્પણના વાછરડાનું કર્યું તેમ તે એનું પણ કરે. અને યાજક તેઓને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને તેઓને ક્ષમા કરવામાં આવશે.


અને બકરાના માથા પર તે પોતાનો હાથ મૂકે, ને જ્યાં યહોવાની સમક્ષ દહનીયાર્પણ કપાય છે તે જગાએ તેને કાંપે; તે પાપાર્થાર્પણ છે.


અને શાંત્યર્પણના યજ્ઞની ચરબીની પેઠે તેની બધી ચરબીનું વેદી પર દહન કરે. અને તેનાં પાપને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે, ને દહનીયાર્પણની જગામાં પાપાર્થાર્પણ કાપે.


અને જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવા પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને તે પોતાનો હાથ પાપાર્થાર્પણના માથા પર મૂકે, ને જ્યાં દહનીયાર્પણ કપાય છે તે જગાએ પાપાર્થાર્પણને માટે તેને કાપે.


અને જેમ શાંત્યર્પણના યજ્ઞમાંથી હલવાનની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવાના હોમયજ્ઞની રીત પ્રમાણે વેદી પર તેઓનું દહણ કરે, એ જે પાપ વિષે તે દોષિત થયો હોય તેને લીધે યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને તે તે વાછરડાને મુલાકાતમંડપના દ્વાર પાસે યહોવાની સમક્ષ લાવે; અને વાછરડાનાં માથા પર તે પોતાનો હાથ મૂકે, ને યહોવાની સમક્ષ તે વાછરડાને કાપે.


અને જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાને માટે તે પોતાનું દોષાર્થાર્પણ લાવે, એટલે પાપાર્થાર્પણને માટે ટોળામાંથી નારી જાતિનું એક હલવાન કે બકરી; અને યાજક તેના પાપને લીધે તેને માટે પ્રાયશ્ચિત્ત કરે.


અને યાજક યહોવાની સમક્ષ તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે જે કોઈ કૃત્યથી તે દોષિત થયો હશે તેની તેને ક્ષમા કરવામાં આવશે.”


અને તે પાપાર્થાર્પણના બળદને લાવ્યો. અને હારુને તથા તેના પુત્રોએ પાપાર્થાર્પણના બળદના માથા પર તેમના હાથ મૂક્યા.


નઅએ તેણે દહનીયાર્પણનો ઘેટો રજૂ કર્યો, અને હારુને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા.


અને તેણે બીજા ઘેટાને, એટલે પ્રતિષ્ઠાના ઘેટાને રજૂ કર્યો. અને હારુને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાના હાથ મૂક્યા.


અને મૂસાએ હારુનને કહ્યું, “વેદી પાસે જઈને તારું પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ ચઢાવ, ને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર. જેમ યહોવાએ આજ્ઞા આપી તેમ.”


અને યાજક ઇઝરાયલની સમગ્ર પ્રજાને માટે પ્રાયશ્ચિત્ત કરે, ને તેઓને માફ કરવામાં આવશે; કેમ કે તે ભૂલ થઈ હતી, ને તેઓ પોતાનું અર્પણ, એટલે યહોવઅને માટે હોમયજ્ઞ, તથા પોતાની ભૂલને લીધે યહોવાની આગળ પોતાનું પાપાર્થાર્પણ લાવ્યા છે.


અને ભૂલ કરનાર માણસ જ્યારે અજાણતાં યહોવાની આગળ પાપ કરે, ત્યારે તેને માટે પ્રાયશ્ચિત્ત કરવા માટે યાજક પ્રાયશ્ચિત્ત કરે, અને તેને માફ કરવામાં આવશે.


અને તે તેના લાભમાં તથા તેના પછી તેના વંશજોના લાભમાં સદાના યાજકપદનો કરાર થશે. કારણ કે તેણે પોતાના ઈશ્વરને માટે આવેશી થઈને ઇઝરાયલી લોકોને માટે પ્રાયશ્ચિત્ત કર્યું.”


અને યહોવાની સમક્ષ તું લેવીઓને રજૂ કર. અને લેવીઓ પર ઇઝરાયલીઓ પોતાના હાથ મૂકે.


અને લેવીઓ પોતાના હાથ વાછરડાંઓનાં માથાં પર મૂકે. અને લેવીઓનું પ્રાયશ્ચિત્ત કરવા માટે એકને પાપાર્થાર્પણે માટે તથા બીજાને દહનીયાર્પણને માટે યહોવાની આગળ તું ચઢાવ.


તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.


ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી અગાઉ થયેલાં પાપની દરગુજર થઈ તે વિષે [ઈશ્વર] પોતાનું ન્યાયપણું બતાવે.


એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.


મારી પાસે સર્વ વાનાં છે, ને તે વળી પુષ્કળ છે. એપાફ્રોદિતસની સાથે મોકલેલાં તમારાં દાનથી હું ભરપૂર છું, તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ છે, અને તે ઈશ્વરને પ્રિય છે.


કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું રક્ત પાપો દૂર કરવાને સમર્થ નથી.


અને તે આપણાં પાપનું પ્રાયશ્ચિત છે; અને માત્ર આપણાં જ નહિ પણ આખા જગત [નાં પાપ] નું [તે પ્રાયશ્ચિત છે].


Lean sinn:

Sanasan


Sanasan