Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




લેવીય 1:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પણ આંતરડાં તથા પગને તે પાણીથી ધોઈ નાખે, અને યાજક તે બધું અર્પીને વેદી પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પછી તે માણસે બલિનાં આંતરડાં અને પગ પાણીથી ધોઈ નાખવા અને યજ્ઞકારે એ બધાંનું વેદી ઉપર દહન કરવું. આહુતિના આ યજ્ઞની સુવાસ પ્રભુને પ્રસન્‍ન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પણ આંતરિક ભાગો તથા પગને તે પાણીથી ધોઈ નાખે. પછી યાજક તે બધું અર્પીને વેદી પર તેનું અર્પણ કરે. તે યહોવાહને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પછી યાજક ઢોરના આંતરડાં અને પગ પાણીમાં ધોઈ નાખે તેણે ઢોરના બધા અંગોને વેદી પર હોમીને યહોવાને અર્પણ કરવા. કેમકે આ દહનાર્પણ છે અને એ દહનાર્પણની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




લેવીય 1:13
15 Iomraidhean Croise  

અને યહોવાને તેની સુગંધ આવી, અને યહોવાએ પોતાના મનમાં કહ્યું, “માણસને લીધે હું પૃથ્વીને ફરી શાપ નહિ દઈશ, કેમ કે માણસના મણીઇ કલ્પના તેના બાળપણથી ભૂંડી છે; પણ જેમ મેં સર્વ પ્રાણીઓનો સંહાર કર્યો છે તેમ હું ફરી કદી નહિ કરીશ.


વળી તેણે ધોવા માટે દશ કૂડાં બનાવ્યાં, પાંચ જમણે હાથે તથા પાંચ ડાબે હાથે મૂક્યાં. તેઓમાં દહનીયાર્પણને લગતા પદાર્થો ધોતા હતા. સમુદ્ર તો યાજકોને નાહવાધોવા માટે હતો.


દરવાજાના ખાંભો પાસે કમાડવળી ઓરડી હતી. ત્યાં દહનીયાર્પણો ધોવામાં આવતાં હતાં.


પણ તેનાં આતરડાં તથા તેના પગ તે પાણીથી ધોઈ નાખે, અને યાજક વેદી પર તે બધાનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત દહનીયાર્પણ એટલે હોમયજ્ઞ છે.


જે ખાદ્યાર્પણ તમે યહોવા પ્રત્યે ચઢાવો તેઓમાંનું કોઈ પણ ખમીરવાળું બનાવેલું ન હોય; કેમ કે તમારે યહોવાના હોમયજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહિ.


અને તે હારુનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે; અને તે તેમાંથી એક મુઠ્ઠીભર મેંદો તથા તેલ ને તે પરનો બધો લોબાન લે. અને યાજક યાદગીરીને માટે યહોવાને સારુ સુવાસિત હોમયજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે.


અને હારુનના પુત્રો વેદી પરના અગ્નિ પરનાં લાકડાં ઉપરના દહનીયાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.


અને જેમ શાંત્યર્પણના યજ્ઞની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની બધી ચરબી તે કાઢી લે; અને યાજક યહોવા પ્રત્યે સુવાસને માટે વેદી પર તેનું દહન કરે; અને યાજક તેને માટે પ્રાયશ્ચિત્ત કરે, એટલે તેને ક્ષમા કરવામાં આવશે.


અને ખાદ્યાર્પણનો નિયમ આ છે. હારુનના પુત્રો તેને યહોવાની સમક્ષ વેદી સામે ચઢાવે.


અને તેણે પાણીથી તેનાં આંતરડાં તથા પગ ધોયાં. અને મૂસાએ વેદી પર આખા ઘેટાનું દહન કર્યું; તે સુવાસને માટે દણનીયાર્પણ હતું. તે યહોવાને માટે હોમયજ્ઞ હતું, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.


માનતા પૂરી કરવાને, અથવા ઐચ્છિકાર્પણ તરીકે, અથવા તમારાં ઠરાવેલઅં પર્વોમાં, યહોવાને માટે સુવાસ કરવા માટે ઢોરઢાંકનો કે ઘેટાંબકરાંનો હોમયજ્ઞ, દહનીયાર્પણ અથવા ય ચઢાવો,


ત્યારે જે પોતાનું અર્પણ ચઢાવે, તે પા હિન તેલથી મોહેલા એક દશાંશ એફાહ મેંદાનું ખાદ્યાર્પણ યહોવાને ચઢાવે.


અને તમારા માસોની શરૂઆતમાં તમે યહોવાને દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, તથા એક ઘેટો, પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન;


અને સાંજે તું બીજો હલવાન ચઢાવ. સવારના ખાદ્યાર્પણની જેમ તથા તેના પેયાર્પણની જેમ તું તે ચઢાવ, તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.


અને યહોવા તારા ઈશ્વરની વેદી પર તારે તારાં દહનીયાર્પણો, એટલે માંસ તથા રક્ત, ચઢાવવાં. અને તારા યજ્ઞનું રક્ત યહોવા તારા ઈશ્વરની વેદી પર રેડી દેવું, ને તે માંસ તારે ખાવું.


Lean sinn:

Sanasan


Sanasan