Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 8:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 યહોવાના સેવક મૂસાએ ઇઝરાયલી લોકોને જે આજ્ઞા આપી હતી, અને મૂસાના નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં જેમ લખેલું છે, તે પ્રમાણે તે વેદી અખંડિત પથ્થર કે, જેના પર કોઈ માણસે લોઢાનો પ્રહાર કદી કર્યો નહોતો, એવા પથ્થરની [બનાવેલી] હતી. અને તેઓએ તેના પર યહોવાને માટે દહનીયાર્પણ કર્યા, ને શાંત્યર્પણોના યજ્ઞ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 તેણે તે વેદી પ્રભુના સેવક મોશેએ ઇઝરાયલીઓને આપેલી સૂચનાઓ પ્રમાણે એટલે, “લોઢાનાં હથિયારનો પ્રહાર કરી ઘડેલા ન હોય તેવા પથ્થરોમાંથી વેદી બનાવવી,” એવું જે મોશેના નિયમશાસ્ત્રમાં લખેલું તે પ્રમાણે બનાવી. તેના પર તેમણે પ્રભુને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 જેમ યહોવાહનાં સેવક મૂસાએ ઇઝરાયલના લોકોને આજ્ઞા આપી, જેમ મૂસાના નિયમશાસ્ત્ર લખેલું છે તે પ્રમાણે, “તે પથ્થરથી કોતરેલી નહિ એવી અને જેના પર કોઈએ કદી લોખંડનું સાધન ચલાવ્યું ના હોય એવી વેદી હતી.” અને તેના પર તેણે યહોવાહને સારુ દહનીયાર્પણ અને શાંત્યર્પણના યજ્ઞ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 મૂસાએ તેના નિયમશાસ્ત્રમાં જણાવ્યાં પ્રમાંણે બધા નિયમો પાળવામાં આવ્યા હતા. જે પથ્થરો વાપરવામાં આવેલા તે કપાયેલા ન હતા. લોખંડથી બનાવેલા કોઈ પણ ઓજારો તેની ઉપર વપરાયા ન હતા. આ પથ્થરને વાપરીને વેદી બનાવ્યા પછી, તેઓએ તેના ઉપર દેવને દહનાર્પણો અર્પિત કર્યા. તેઓએ શાંત્યર્પણો પણ અર્પણ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 8:31
16 Iomraidhean Croise  

પણ મૂસાના નિયમશાસ્ત્રના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, મારી નાખનારાઓના દીકરાઓને તેણે મારી નાખ્યા નહિ. તે [પુસ્તક] માં યહોવાએ આજ્ઞા કરી હતી, “છોકરાંને લીધે પિતાઓ માર્યા ન જાય, તેમ જ પિતાઓને લીધે છોકરાં માર્યા ન જાય; પણ દરેક જણ પોતાના જ પાપને લીધે માર્યો જાય.”


મુખ્ય યાજક હિલ્કિયાએ શાફાન ચિટનીસને કહ્યું, “મને યહોવાના મંદિરમાંથી નિયમશાસ્ત્રનું પુસ્તક મળી આવ્યું છે.” હિલ્કિયાએ તે પુસ્તક શાફાનને આપ્યું, ને એણે તે વાંચ્યું.


પણ તેણે તેઓનાં છોકરાંને મારી નાખ્યાં નહિ; પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું. એમાં યહોવાએ એવી આજ્ઞા આપી હતી કે, “છોકરાંને લીધે પિતાઓને મારી નાખવા નહિ; તેમ જ પિતાઓને લીધે છોકરાંને મારી નાખવાં નહિ; પણ દરેક માણસ પોતાના જ પાપને લીધે માર્યો જાય.”


અને મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે યહોવાને ચઢાવવા માટે, લોકોનાં કુટુંબોના વિભાગ પ્રમાણે તેઓને દહનીયાર્પણોને અલગ કર્યા. બળદોનું પણ તેઓએ એમ જ કર્યું.


મૂસાના પુસ્તકમાં લખ્યા પ્રમાણે, યરુશાલેમના ઈશ્વરની સેવા કરવાને તેઓએ યાજકોને તેઓના વિભાગો પ્રમાણે, તથા લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે નીમ્યા.


તે દિવસે મૂસાનું પુસ્તક લોકોના સાંભળતાં વાંચવામાં આવ્યું. તેમાં એવું લખેલું મળ્યું કે, આમ્મોનીઓને તથા મોઆબીઓને ઈશ્વરની મંડળીમાં કદી દાખલ થવા દેવા નહિ;


અને મૂસાના સસરા યિથ્રોએ ઈશ્વરને માટે દહનીયાર્પણ તથા યજ્ઞ કર્યાં; અને હારુન તથા ઇઝરાયલના સર્વ વડીલો ઈશ્વરની હજૂરમાં મૂસાના સસરાની સાથે રોટલી ખાવાને આવ્યા.


વળી તેણે ઇઝરાયલમાંથી કેટલાએક જુવાનોને મોકલ્યા કે, જેઓએ દહનીયાર્પણો ચઢાવ્યાં, ને યહોવાની આગળ બળદનાં શાંત્યર્પણો કર્યા.


અને જો શેતાન શેતાનને કાઢે તો તે પોતે પોતાની સામે થયો. તો પછી તેનું રાજ્ય શી રીતે ટકી રહે?


અને જે દિવસે તમે યર્દન ઊતરીને જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તમે જાઓ, ત્યારે એમ થાય કે તારે પોતાને માટે મોટા પથ્થર ઊભા કરવા, ને તેઓના પર લેપ મારવો.


અને તારે યહોવા તારે આ નિયમના સર્વ શબ્દો બહુ સ્પષ્ટ રીતે તે પથ્થરો પર લખવા.”


એ નિયમશાસ્‍ત્ર તારા મોંમાંથી જાય નહિ. પણ દિવસે તથા રાત્રે તનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજઈથી પાળે; કારણકે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે.


Lean sinn:

Sanasan


Sanasan