Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને તેઓએ નગરને તથા જે કંઈ તેમાં હતું તે સરવને અગ્નિમાં બાલી નાખ્યાં, ફક્ત રૂપું ને સોનું, ને પિત્તળનાં ને લોઢાંનાં પાત્રો તેઓએ યહોવાના ઘરના ભંડારમાં મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 પછી તેમણે શહેરને આગ લગાડીને તેના સર્વસ્વને બાળીને ભસ્મ કરી દીધું. માત્ર રૂપું અને સોનું તથા તાંબાનાં અને લોખંડનાં પાત્રો લાવીને પ્રભુના ઘરના ભંડારમાં મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેઓએ નગરને અને જે કંઈ હતું તે બધું અગ્નિથી બાળી નાખ્યું; કેવળ ચાંદી, સોનું, પિત્તળનાં અને લોખંડનાં પાત્રો લાવીને તેઓએ યહોવાહનાં ઘરના ભંડારમાં મૂક્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 પછી તેઓએ નગર અને તેમાંનું સઘળું બાળી મૂક્યું. ફકત સોના-રૂપાની અને પિત્તળની અને લોઢાની વસ્તુઓ યહોવાના ભંડારમાં મૂકવામાં આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:24
13 Iomraidhean Croise  

દાઉદને એ ખબર મળી ત્યારે તેણે તેઓની સામા [માણસ] મોકલ્યા. કેમ કે તે માણસો ઘણા શરમાતા હતા. રાજાએ કહ્યું, “તમારી દાઢી પાછી વધે ત્યાં સુધી તમે યરેખોમાં રહો, ને ત્યાર પછી પાછા આવજો.”


તેણે યહોવાનું મંદિર, રાજાનો મહેલ તથા યરુશાલેમમાંનાં સર્વ ઘરો બાળી નાખ્યાં, એટલે દરેક મોટું ઘર અગ્નિથી બાળી નાંખ્યું.


વળી જે સોનુંરૂપું સર્વ પ્રજાઓ પાસેથી એટલે અદોમ પાસેથી, પલિસ્તીઓ પાસેથી તથા અમાલેક પાસેથી તે લાવ્યો હતો તેની સાથે એ પણ દાઉદ રાજાએ યહોવાને અર્પણ કર્યું.


અને જે નગરોમાં તેઓ રહેતા હતા તે તથા તેઓની સર્વ છાવણીઓ તેઓએ અગ્નિથી બાળી નાખ્યા.


અને તેમાંની સર્વ લૂંટ તેના ચૌટાની વચમાં એકઠી કરીને યહોવા તારા ઈશ્વર પ્રત્યે તે નગરને તથા તેની સર્વ લૂંટને અગ્નિમાં છેક બાળી નાખવાં; અને તેનો સદાને માટે ઢગલો થઈ જાય; તે ફરીથી બંધાય નહિ.


અને એ શાપિત વસ્તુઓમાંનું કંઈ પણ તારા હાથે વળગી ન રહે, એ માટે કે યહોવા પોતાના કોપનો જુસ્સો પાછો ખેંચી લે, ને તારા પર દયા કરે, ને તારા પર કરુણા રાખે, ને જેમ તેમણે તારા પિતૃઓની આગળ પ્રતિજ્ઞા લીધી છ તેમ તે તારો વિસ્તાર વધારે.


પણ આ લોકોનાં જે નગરો યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેઓમાંના કોઈ પણ પ્રાણીને તારે જીવતું રહેવા દેવું નહિ.


અને તેઓએ તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા, ને તેઓનો સંપૂર્ણ નાશ કર્યો. શ્વાસોચ્છવાસ કરનાર કોઈ પણ જીવતું રહેવા પામ્યું નહિ; અને તેણે હાસોરને અગ્નિમાં બાળી નાખ્યું.


પણ સર્વ રૂપું તથા સોનું, ને પિત્તળનાં તથા લોઢનાં પાત્ર યહોવાને માટે પવિત્ર છે. તે યહોવાના ભંડરમાં જાય.”


પણ રાહાબ વેશ્યાને, અને તેના પિતાના કુટુંબકબીલાને, અને તેના સર્વસ્વને યહોશુઆએ બચાવી લીધા; અને તે આજ સુધી ઇઝરાયલમાં રહી; કારણ કે યરીખોની બાતમી કાઢવાને યહોશુઆએ જે જાસૂસો મોકલ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા.


અને યહોશુઆએ આયને બાળી નાખીને તેનો સદાને માટે ઢગલો કરી દીધો, ને તે આજ સુધી ઉજ્જડ [રહ્યું] છે.


તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે.


એ માટે એક જ દિવસમાં તેના પર અનર્થો, એટલે મરણ તથા રુદન તથા દુકાળ આવશે. અને તેને અગ્નિથી બાળી નાખવામાં આવશે, કેમ કે તેનો ન્યાય કરનાર પ્રભુ ઈશ્ચર સમર્થ છે.


Lean sinn:

Sanasan


Sanasan