Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 6:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને જે બે માણસોને દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆઅએ કહ્યું, “વેશ્યાને ઘેર જઈને તેની આગળ તમે પ્રતિજ્ઞા લીધી હતી, તે પ્રમાણે તેને ને તેના સર્વસ્વને ત્યાંથી કાઢી લાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેમને યહોશુઆએ કહ્યું, “તમે પેલી વેશ્યાને આપેલા વચન પ્રમાણે તેના ઘેર જઈને તેને અને તેના આખા કુટુંબને ત્યાંથી બહાર કાઢી લાવો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે, “ગણિકાના ઘરમાં જાઓ. તેની સાથે તમે સમ ખાધા હતા તે પ્રમાણે તેને અને તેના સર્વને ત્યાંથી બહાર લાવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 ત્યાર બાદ જે બે માંણસોએ દેશની જાસૂસી કરી હતી તેઓને યહોશુઆએ કહ્યું કે, “તમે બન્ને વારાંગનાના ઘરમાં જઈને તેને અને તેના પરિવારનાં માંણસોને તમે વચન આપ્યા મુજબ બહાર લઈ આવો.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 6:22
13 Iomraidhean Croise  

અને રાજાએ ગિબ્યોનીઓને બોલાવીને તેમને [તે] કહ્યું: (હવે ગિબ્યોનીઓ તો ઇઝરાયલી લોકોમાંના નહિ, પણ અમોરીઓના બાકી રહેલાઓમાંન હતા. અને ઇઝરાયલી લોકોએ તેઓની આગળ સમ ખાધા હતા; પણ શાઉલ ઇઝરાયલી લોકો તથા યહૂદિયા પ્રત્યેના પોતાના આવેશને લીધે તેઓને મારી નાખવાની પેરવીમાં રહેતો;)


પણ તેઓની વચ્ચે એટલે દાઉદના તથા શાઉલના દિકરા યોનાથાન વચ્ચે યહોવાના જે સમ હતા, તેને લીધે રાજાએ શાઉલના દિકરા યોનાથાનના દિકરા મફીબોશેથને બચાવ્યો.


જેની દષ્ટિમાં નીચ માણસ ધિક્કારપાત્ર છે; પણ જે યહોવાના ભક્તોને માન આપે છે, અને જે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી;


તેણે રાજાનાં કુટુંબમાંના એક માણસની સાથે કોલકરાર કર્યા. વળી તેણે તેની પાસે સોગન ખવડાવ્યા.


પ્રભુ યહોવા પોતાના જીવના સોગન ખાઈને કહે છે કે, જેણે તેને રાજા બનાવ્યો, તથા જેના સોગનને તેણે તુચ્છ ગણ્યા, તથા જેનો કરાર તેણે તોડ્યો, તે રાજા જ્યાં રહે છે તે જગાએ, એટલે બાબિલમાં, તેની સાથે તે મરણ પામશે.


વિશ્વાસથી રાહાબ વેશ્યાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો, તેથી અનાજ્ઞાકિંતોની સાથે તેનો નાશ થયો નહિ.


અને નગર તથા તેમાંનું સર્વ યહોવાને સમર્પિત થશે. કેવળ રાહાબ વેશ્યા અને તેની સાથે ઘરમાં જે હોય તે સર્વ જીવતાં રહે, કારણ કે જે જાસૂસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા.


અને જુવાન જાસૂસો અંદર જઈને રાહાબને ને તેના પિતાને, ને તેની માતાને, ને તેના ભાઈઓને, ને તેના સર્વસ્વને કાઢી લાવ્યા. વળી તેનાં સર્વ સગાંને પણ તેઓ કાઢી લાવ્યા; અને તેમને તેઓએ ઇઝરાયલની છાવણી બહારર મૂક્યાં.


અને તેઓને જીવતા રહેવા દેવા માટે યહોશુઆએ તેઓની સાથે સલાહ કરી, ને તેઓની સાથે કરાર કર્યો. અને લોકોના સમુદાયના આગેવાનોએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી.


પછી તેણે તેઓને નગરમાં જવાનો માર્ગ બતાવ્યો, ને તેઓએ તરવારથી તે નગરનો નાશ કર્યો, પણ તે માણસને તથા તેના આખા કુટુંબને તેઓએ જવા દીધા.


Lean sinn:

Sanasan


Sanasan