Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 તે સાંભળીને ઇઝરાયલીઓ સંતોષ પામ્યા; અને તેઓએ ઈશ્વરની સ્તુતિ કરી, ને જે દેશમાં રુબેનપુત્રો તથા ગાદપુત્રો વસતા હતા, તેનો નાશ કરવાને તેઓએ ત્યાર પછી ચઢાઈ કરવાની વાત કદી કાઢી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 ઇઝરાયલીઓને એથી સંતોષ થયો અને તેમણે ઈશ્વરની સ્તુતિ કરી. તે પછી તેમણે રૂબેન અને ગાદના વસવાટના પ્રદેશને ખેદાનમેદાન કરી નાખવા ચડાઈ કરવાની વાત કરી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 તે સાંભળીને ઇઝરાયલના લોકોને સંતોષ થયો. તેઓએ યહોવાહની સ્તુતિ કરી. અને જે દેશમાં રુબેનીઓ અને ગાદીઓ રહેતા હતા, તે દેશનો નાશ કરવાની અને તેઓની વિરુદ્ધ યુદ્ધ કરવાની વાત ફરી કદી કરી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 એ સાંભળીને ઇસ્રાએલીઓને સંતોષ થયો. તેમણે દેવનો આભાર માંન્યો અને રૂબેન અને ગાદના વંશના લોકો જે પ્રદેશમાં વસ્યા હતા તેના પર યુદ્ધ કરીને તેને ખેદાનમેદાન કરી નાખવાની વાત છોડી દીધી.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:33
13 Iomraidhean Croise  

આથી દાઉદે સર્વ લોકને કહ્યું, “યહોવા, તમારા ઈશ્વરને સ્તુત્ય માનો, ” ત્યારે સર્વ લોકોએ પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની સ્તુતિ કરી ને માથાં નમાવીને તેઓએ યહોવાનું તથા રાજાનું સન્માન કર્યું.


જેવું તરસ્યા જીવને ટાઢું પાણી છે, તેવી જ દૂર દેશથી [મળેલી] સારી ખબર છે.


રાતના સંદર્શનમાં એ મર્મ દાનિયેલને પ્રગટ કરવામાં આવ્યો. ત્યારે દાનિયેલે આકાશના ઈશ્વરની સ્તુતી કરી.


ત્યારે તેણે તેને ખોળામાં લઈને ઈશ્વરની સ્તુતિ કરીને કહ્યું,


ત્યારે બધા લોકો છાના રહ્યા, અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારો તથા અદભુત કામો વિદેશીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મોંથી સાંભળી.


તે વાંચીને તેઓ તેમાં આપેલા દિલાસાથી આનંદ પામ્યા.


અને માત્ર તેના આવ્યાથી નહિ, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો તેથી પણ. વળી તેણે તમારી અભિલાષા, તમારો શોક, મારે માટે તમારી ઝંખના, એની ખબર પણ અમને આપી; તેથી મને વિશેષ આનંદ થયો.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;


રુબેનપુત્રોએ તથા ગાદપુત્રોએ તથા મનાશ્શાનાપુત્રોએ જે વચન કહ્યાં, તે ફીનહાસ યાજકે અને તેની સાથે પ્રજાના જે આગેવનો એટલે ઇઝરાયલના હજારોના વડીલો હતા તેઓએ સાંભળ્યાં, ત્યારે તેઓને બહુ સારું લાગ્યું.


અને એલાઝાર યાજકના પુત્ર ફીનહાસે ને તે આગેવાનોએ રુબેનપુત્રો પાસેથી ને ગાદપુત્રો પાસેથી, ગિલ્યાદ પ્રાંતમાંથી કનાન દેશમાં પાછા આવીને ઇઝરાયલી લોકોને ખબર આપી.


Lean sinn:

Sanasan


Sanasan