Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 22:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 કેમ કે અમે વિચાર કરીને એ હેતુથી આ કામ કર્યું છે કે, રખેને ભવિષ્યમાં તમારા પુત્રો અમારા પુત્રોને કહે કે ઇઝરાયલના ઈશ્વર યહોવાની સાથે તમને શું લાગેવળગે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 હકીક્તમાં, અમે એટલા માટે એવું કર્યું છે કે ભવિષ્યમાં કદાચ તમારા વંશજો અમારા વંશજોને આવું કહે: ‘ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સાથે તમારે શું લાગેવળગે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 અમે વિચારપૂર્વક એવા હેતુથી આ કામ કર્યું છે કે ભવિષ્યમાં તમારા દીકરાઓ અમારા દીકરાઓને એમ કહે કે ઇઝરાયલના પ્રભુ, યહોવાહ સાથે તમારો શો લાગભાગ છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 સાચી હકીકત તો એ છે કે અમે એવા ડરથી આમ કર્યુ છે કે, ભવિષ્યમાં તમાંરાં બાળકો અમાંરા બાળકોને એમ કહે પણ ખરા કે, ઇસ્રાએલના માંલિક યહોવા સાથે તમાંરે શો સંબંધ છે? ઇસ્રાએલના યહોવા અમાંરા દેવની પૂજા કરવાનો તમને શો અધિકાર છે?

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 22:24
7 Iomraidhean Croise  

કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”


અને મારું વેતન જે તારી આગળ છે, તે વિષે તું આવશે ત્યારે આગળ જતાં મારું ન્યાયીપણું મારા પક્ષમાં તને ઉત્તર આપશે. બકરાંમાં જે છાંટવાળાં કે ટપકાંવાળાં નથી, ને ઘેટાંમાં પણ જે કાળાં નથી એવાં જો મારી પાસે હોય તો તેઓ સર્વ ચોરીનાં ગણાય.”


અને જ્યારે ભવિષ્યકાળમાં તારો પુત્ર તને પૂછે કે, આનો શો અર્થ છે? ત્યારે તું તેને કહે કે, યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસરમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યા.”


ભવિષ્યકાળમાં જ્યારે તારો દીકરો તને એવું પૂછે કે જે કરારો તથા વિધિઓ તથા કાનૂનો યહોવા આપણા ઈશ્વરે તમને ફરમાવ્યાં છે તેમનો અર્થ શો છે?


જો અમે યહોવાને અનુસરવાનું તજી દેવ માટે વેદી બાંધી હોય; કે જો તે પર દહનીયાર્પણ કે ખાદ્યાર્પણ કે શાંત્યર્પણોના યજ્ઞ કરવા માટે [બાંધી હોય] , તો યહોવા પોતે જ [અમારિ પાસેથી] તેનો જવાબ લો;


કેમ કે, હે રુબેનપુત્રો અને ગાદપુત્રો, તમારી અને અમારી વચ્ચે યહોવાએ યર્દનને સરહદ ઠરાવી છે; [તેથી] તમને યહોવાની સાથે કંઈ લાગતુંવળગતું નથી; એમ [કહીને] તમારા પુત્રો અમારા પુત્રોને યહોવાનું ભય રાખતાં અટકાવે.


એ માટે કે તેઓ તમારે માટે ચિહ્નરૂપ થાય કે, જ્યારે આવતા કાળમાં તમારાં છોકરાં પૂછે કે, ‘આ પથ્થરોનો શો અર્થ છે?


Lean sinn:

Sanasan


Sanasan