Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 2:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને યરીખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલ્યું, “જે માણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં ઊતરેલા છે તેઓને બહાર કાઢ; કારણ કે તેઓ આખા દેશની બાતમી કાઢવાને આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેથી તેણે રાહાબને સંદેશો મોકલ્યો કે, “તારા ઘરમાં ઊતરેલા માણસો તો આખા દેશની જાસૂસી કરવા આવ્યા છે! તેમને બહાર કાઢ!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યરીખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલ્યું કે, “જે માણસો તારે ઘરે આવીને તારા ઘરમાં પ્રવેશ્યા છે તેઓને બહાર કાઢ, કેમ કે તેઓ આખા દેશની જાસૂસી કરવા માટે આવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પછી યરીખોના રાજાએ રાહાબપસે માંણસો મોકલ્યાં અને તેનો તેણીને સંદેશ હતો: “જે માંણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં રહેલા છે તેમને બહાર કાઢ, કારણ કે એ લોકો આપણા દેશમાં જાસૂસી કરવા આવેલા છે.”

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 2:3
15 Iomraidhean Croise  

અને એમ થયું કે, આસરે ત્રણ મહિના પછી યહૂદાને ખબર મળી, “તારી પુત્રવધુ તામારે વ્યભિચાર કર્યો છે; અને જો, વ્યભિચારથી તેને ગર્ભ રહ્યો છે.” અને યહૂદાએ કહ્યું, “તેને બહાર લાવીને બાળી નાખો.”


અને અમે તેને કહ્યું, ‘અમે સાચા માણસ છીએ, અમે જાસૂસ નથી.


પણ આમ્મોનપુત્રોના સરદારોએ પોતાના મુરબ્બી હાનૂનને કહ્યું, “દાઉદે તમારી પાસે દિલાસો દેનારાને મોકલ્યા છે, તેથી શું તમે એવું ધારો છે કે તે તમારા પિતાનું સન્માન કરે છે? શું નગરની તપાસ કરવા, તેની બાતમી કાઢવા તથા તેને પાયમાલ કરવા દાઉદે પોતાના ચાકરોને તમારી પાસે મોકલ્યા નથી?”


આબ્શાલોમના ચાકરોએ તે સ્‍ત્રી પાસે ઘરમાં આવીને પૂછ્યું, “અહિમાઆસ તથા યોનાથાન ક્યાં છે?” તે સ્‍ત્રીએ તેઓને કહ્યું, “તેઓ તો પાણીનો વહેળો ઊતરી ગયા છે.” તેઓએ તેમને શોધ્યા, પણ તે જડ્યા નહિ, ત્યારે તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.


પણ આમ્મોનીઓના આગેવાનોએ હાનૂનને કહ્યું, “શું તમે એમ ધારો છો કે, તમારા પિતાના સન્માનાર્થે દાઉદે તમારી પાસે દિલાસો આપનારાઓને મોકલ્યા છે? શું તેના ચાકરો દેશની તપાસ કરવા, તેને પાયમાલ કરવા તથા દેશની બાતમી કાઢવા માટે તમારી પાસે નથી આવ્યા?”


ભૂંડો માણસ વિપત્તિના દિવસોથી બચી જાય છે? અને તેઓને કોપને દિવસે બચાવવામાં આવે છે?


“શાપ આપનારને છાવણી બહાર કાઢી લાવ, અને જેઓએ તેનું બોલવું સાંભળ્યું હોય, તે સર્વ પોતાના હાથ તેના માથા પર મૂકે, ને સમગ્ર પ્રજા તેને પથ્થરે મારે.


પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે, “જુઓ મને એનામાં કંઈ ગુનો માલૂમ પડતો નથી, એ તમે જાણો માટે હું એને તમારી પાસે બહાર લાવું છું.”


તેણે તેને પકડીને બંદીખાનામાં નાખ્યો, અને તેની ચોકી રાખવા માટે ચચ્ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને સોંપ્યો, અને પાસ્ખા [પર્વ] પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો.


હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બાંધેલો ઊંઘતો હતો. અને ચોકીદારો બારણા આગળ બંદીખાનાની ચોકી કરતા હતા.


અને તેઓએ તેમ કર્યું. અને યરુશાલેમના રાજાને, હેબ્રોનના રાજાને, એગ્લોનના રાજાને, એ પાંચ રાજાઓને તેઓ ગુફામાંથી કાઢીને તેની પાસે લાવ્યા.


અને યરીખોના રાજાને ખબર પડી કે દેશની બાતમી કાઢવાને ઇઝરાયલી લોકમાંથી માણસો આજે રાત્રે અહીં આવ્યા છે.


અને તે સ્‍ત્રી તે બે માણસોને સંતાડ્યા. અને કહ્યું, “એ માણસો મારે ત્યાં આવ્યા હતા ખરા, પણ તેઓ ક્યાંના છે તે મને ખબર નથી.


અને સીસરાએ તેને કહ્યું, “તું તંબુના બારણામાં ઊભી રહે. અને જો કોઈ આવીને તને પૂછે કે અહીં કોઈ છે? તો તારે કહેવું કે, ના.”


Lean sinn:

Sanasan


Sanasan