Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 18:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને શીલો મધ્યે ઇઝરાયલીઓ ભેગા થયા, ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો; અને આખો દેશ તેમની આગળ કબજે થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલીઓનો આખો સમાજ શીલોમાં એકત્ર થયો અને ત્યાં તેમણે મુલાકાતમંડપ ઊભો કર્યો. આમ તો આખો દેશ તેમના તાબામાં આવી ગયો હતો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી શીલોહમાં સમગ્ર ઇઝરાયલ લોકો ભેગા મળ્યા ને ત્યાં તેઓએ મુલાકાતમંડપ ઊભો કર્યો. અને તેઓએ આખો દેશ જીત્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 સમગ્ર ઇસ્રાએલી લોકો શીલોહમાં એકત્ર થયા અને તેમણે મુલાકાતમંડપ ઉભો કર્યો, હવે બધાં ક્ષેત્રો જીતાઈ ગયા હતા અને તેમના તાબામાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 18:1
26 Iomraidhean Croise  

કેમ કે હું ઇઝરાયલી લોકોને મિસરમાંથી કાઢી લાવ્યો તે દિવસથી તે આજ સુધી હું ઘરમાં રહ્યો નથી, પણ તંબુમાં તથા મંડપમાં [રહીને] ફર્યો છું.


અને યરોબામે પોતાની પત્નીને કહ્યું, ” કૃપા કરીને ઊઠ, ને તું યરોબામની પત્ની છે એમ જાણવામાં ન આવે માટે તારો વેશ બદલ; અને તું શીલોમાં જા. જો, અહિયા પ્રબોધક ત્યાં છે, જેણે મારા વિશે કહ્યું હતું, ‘તું આ લોક પર રાજા થશે.’


યરોબામની પત્નીએ તે પ્રમાણે કર્યું, ને ઊઠીને શીલો ગઈ, ને અહિયાને ઘેર આવી. હવે અહિયા દેખી શકતો નહતો, કેમ કે વૃદ્ધાવસ્થાને લીધે તેની આંખે ઝાંખ આવી હતી.


એમ સુલેમાને અબ્યાથારને યહોવાના યાજકપદ પરથી બરતરફ કર્યો; જેથી શીલોમાં એલીના કુટુંબ વિષે જે વચન યહોવા બોલ્યા હતા તે તે પૂરું કરે.


એમ તે વંશજોએ અંદર પ્રવેશ કરીને તે દેશનો કબજો લીધો, તમે તેઓની સામે તે દેશના રહેવાસી કનાનીઓને પરાજિત કર્યા, અને તેઓ તેમની સાથે પોતાની મરજી પ્રમાણે વર્તે તે માટે તેઓને, તેઓના રાજાઓને તથા તે દેશના લોકોને તેઓના હાથમાં સોંપ્યા.


તેથી તેમણે શીલોહનો માંડવો, એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.


તેમણે પછવાડેથી પોતાના શત્રુઓને માર્યા; તે તેઓના ઉપર સદાને માટે અપમાન લાવ્યા.


તો હું આ મંદિરને શીલો જેવું કરી નાખીશ, ને પૃથ્વીની સર્વ પ્રજાઓની નજરમાં આ નગરને શાપિત કરીશ.”


તેં યહોવાને નામે શા માટે એવું ભવિષ્ય કહ્યું છે કે, આ મંદિર શીલોના જેવું થઈ જશે, ને આ નગર વસતિહીન તથા ઉજજડ થશે?” પછી સર્વ લોકો યર્મિયાની પાસે યહોવાના મંદિરમાં એકત્ર થયા.


શખેમમાંથી, શીલોમાંથી તથા સમરૂનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા, તથા [પોતાને હાથે] પોતાને જખમી કરેલા, એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને યહોવાના મંદિરમાં આવ્યા.


ને દેશ યહોવાની આગળ વશ થઈ જાય, તો પછી તમે પાછા આવશો, અને યહોવા તથા ઇઝરાયલ વિષે નિરપરાધી ઠરશો, અને યહોવાની આગળ આ દેશ તમારું વતન થશે.


વળી પોતાના સમયમાં આપણા પૂર્વજો પણ યહોશુઆ સહિત તે [સાક્ષ્યમંડપ] ને [અન્ય] પ્રજાઓ (જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી) તેઓનું વતન પ્રાપ્ત કરીને અંદર લાવ્યા તે [સાક્ષ્યમંડપ] દાઉદના વખત સુધી રહ્યો.


અને ઇઝરાયલીઓમાં વતન પામ્યા વગર હજી સાત કુળ રહ્યાં હતાં.


અને તે માણસો ઊઠીને ગયા; અને જેઓ દેશનું વર્ણન કરવા જતા હતા, તેઓને યહોશુઆએ એવી આજ્ઞા આપી, “જઈને દેશમાં સર્વત્ર ફરીને તેનું વિગતવાર વર્ણન કરો, ને મારી પાસે પાછા આવો; જેથી હું અહીં શીલોમાં યહોવાની આગળ તમારે માટે ચિઠ્ઠીઓ નાખીને તેના [ભાગ પાડું].”


એલાઝાર યાજકે ને નૂનના પુત્ર યહોશુઆએ ને ઇઝરાયલી લોકોનાં કુળોના પિતૃઓનાં [ઘરો] ના વડીલોએ શીલો મધ્યે મુલાકાતમંડપને બારણે, યહોવાની આગળ ચિઠ્ઠીઓ નાખીને, જે વતનો વહેંચી આપ્યાં તે એ જ છે. એમ તેઓએ દેશ વહેંચવાનુમ કામ સમાપ્ત કર્યું.


અને તેઓએ કનાન દેશના શીલો આગળ તેઓને કહ્યું, “યહોવાએ મૂસાની મારફત એ પ્રમાણે આજ્ઞા આપી હતી ‘અમને રહેવા માટે નગરો, ને અમારાં ઢોરોને માટે તેની પાસેનાં ગૌચર આપવાં.”


ઇઝરાયલી લોકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓની આખી પ્રજઅ તેમની સાથે યુદ્ધ કરવા માટે શીલોમાં ભેગી થઈ.


તથાપિ જો તમારા વતનની ભૂમિ અપવિત્ર [લાગતી] હોય, તો યહોવાએ વતનને માટે આપેલી ભૂમિ, જ્યાં યહોવાનો મંડપ રહે છે, ત્યાં [નદી] ઊતરીને આવો, ને અમારી ભેગા રહો; પણ આપણા ઈશ્વર યહોવાની વેદી સિવાય બીજી વેદી બાંધીને યહોવાનો દ્રોહ કરશો નહિ, ને અમારો પણ દ્રોહ કરશો નહિ.


અને રુબેનપુત્રો ને ગાદપુત્રો ને મનાશ્શાનું અર્ધકુળ કનાન દેશમાંના શીલોમાંથી ઇઝરાયલીઓ મધ્યેથી નીકળીને પોતાના વતણો ગિલ્યાદ પ્રાંત, જે મૂસાની મારફતે અપાયેલી યહોવાની આ પ્રમાણે તેઓને મળ્યો હતો, તેમાં જવાને પાછા ફર્યા.


ઈશ્વરનું ઘર શીલોમાં રહ્યું તે બધો વખત તેઓએ પોતાને માટે મિખાની બનાવેલી કોરેલી મૂર્તિની સ્થાપના કાયમ રાખી.


અને યાબેશ-ગિલ્યાદનાં રહેવાસીઓમાંથી જેઓએ પુરુષનો સંસર્ગ બિલકુલ કર્યો નહોતો એવી ચારસો જુવાન કુમારિકાઓ તેમને મળી; તેઓ તેમને કનાન દેષના શીલો પાસે છાવણીમાં લઈ આવ્યા.


પછી તેઓએ કહ્યું, “જુઓ, બેથેલની ઉત્તરે [તથા] બેથેલની શખેમ જવાના રાજમાર્ગની પૂર્વ બાજુએ તથા લબોનની દક્ષિણે આવેલા શીલોમાં વરસોવરસ યહોવાનું એક પર્વ પાળવામાં આવે છે.”


તેનું ધાવણ છોડાવ્યા પછી તેણે તેને પોતાની સાથે લીધો, અને ત્રણ વર્ષનો એક ગોધો, એક એફાહ આટો, ને એક કૂંડી દ્રાક્ષારસ પણ લીધો, ને શીલોમાં યહોવાના મંદિરમાં તે તેને લાવી. અને તે છોકરો નાનો હતો.


આ માણસ વરસોવરસ પોતાના નગરમાંથી શીલોમાં સૈન્યના ઈશ્વર યહોવાનું ભજન કરવા માટે તથા યજ્ઞ કરવા માટે જતો હતો. અને એલીના બે દીકરા હોફની તથા ફીનહાસ યહોવાના યાજક હતા.


Lean sinn:

Sanasan


Sanasan