Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 8:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “તું ક્યાં સુધી એવી વાતો કરશે, અને તારા મોઢામાંથી તોફાની શબ્દો પવન જેમ નીકળ્યા કરશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “યોબ, ક્યાં સુધી તું લવારો કર્યા કરીશ? શું તારા મુખના શબ્દો તોફાની ઝંઝાવાતની જેમ ફુંક્યા જ કરશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “તું ક્યાં સુધી આવી વાતો કરીશ? તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “તું ક્યાં સુધી આવી વાતો કર્યા કરીશ? તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 8:2
14 Iomraidhean Croise  

યહોવાએ કહ્યું, “બહાર આવીને પર્વત પર યહોવાની સમક્ષ ઊભો રહે.” અને જૂઓ, યહોવા ત્યાં જઈને જતા હતા, ને ભારે તથા જોરાવર વાયું પર્વતોને ફાડતો, તથા યહોવાની સમક્ષ ખડકોના ટૂકડેટૂકડા કરતો હતો, પણ એ વાયુમાં યહોવા નહોતા. અને વાયું પછી ધરતીકંપ [થયો;] પણ એ ધરતીકંપમાં યહોવા નહોતા.


“શું કોઈ જ્ઞાની પુરુષ ઠાલી દલીલ કરે, અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?


શું નકામા શબ્દોનો અંત આવે? કે ઉત્તર આપવાને તને શું ઉશ્કેરે છે?


“ક્યાં સુધી તમે શબ્દોને માટે ફાંદા ગોઠવશો? વિચાર કરો, અને પછી અમે બોલીશું.


નિરાશ માણસના શબ્દો પવન જેવા હોય છે, તેમ છતાં તમે શબ્દોને લીધે ઠપકો આપવાનું ધારો છો?


એટલે, જો ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મારો નાશ કરે, તો કેવું સારું!


માટે હું મારું મુખ બંધ નહિ રાખું, મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ; મારા જીવને વેદના થાય છે તેથી હું મારું દુ:ખ રડીશ.


ત્યારે બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો,


અને મૂસા તથા હારુને ફારુનની હજૂરમાં જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર યહોવા એમ કહે છે કે, કયાં સુધી તમે મારી આગળ નમી જવાનો ઇનકાર કરશો? મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દો.


અને ફારુનના સેવકોએ તેને કહ્યું, “ક્યાં સુધી આ માણસ અમને ફાંસારૂપ થઈ પડશે? લોકોને તેઓના ઈશ્વર યહોવાની સેવા કરવા માટે જવા દો. શું આપ હજી સુધી જાણતા નથી કે મિસરનો વિનાશ થઈ ચૂક્યો છે?”


“હે બેવકૂફો, તમે ક્યાં સુધી બેવકૂફીને વળગી રહેશો? તિરસ્કાર કરનારા ક્યાં સુધી તિરસ્કાર કરવામાં આનંદ માનશે? અને મૂર્ખો જ્ઞાનને ધિક્કારશે?


પ્રબોધકો તો વાયુરૂપ થઈ જશે, [પ્રભુનું] વચન તેઓમાં નથી. તેઓની પોતાની ગતિ એવી થશે.”


Lean sinn:

Sanasan


Sanasan