Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 7:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મને કંટાળો આવે છે; હું હમેશાં જીવવા ઈચ્છતો નથી; મને પડી રહેવા દો; કેમ કે મારી જિંદગી વ્યર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 હું ત્રાસી ગયો છું. મારે ઝાંઝુ જીવવું જ નથી. મારો પીછો છોડો, કારણ, મારી જિંદગી વ્યર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મને કંટાળો આવે છે; મારે કાયમ માટે જીવવું નથી; મને એકલો રહેવા દો કેમ કે મારી જિંદગી વ્યર્થ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હવે હું ત્રાસી ગયો છું. મારે કાયમ માટે જીવવું નથી. મને એકલો રહેવા દો. મારા જીવનનો કોઇ અર્થ નથી!

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 7:16
22 Iomraidhean Croise  

અને રિબકાએ ઇસહાકને કહ્યું, “હેથની દીકરીઓના કારણથી હું જીવવાથી કંટાળી ગઈ છું:આ હેથની દીકરીઓ જેવી જો યાકૂબ દેશની દીકરીઓમાંથી પત્ની કરે, તો મારે જીવવું શા કામનું?”


પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ને જઈને એક રોતેમવૃક્ષ નીચે બેઠો. ત્યાં તેણે મોત માગ્યું, અને કહ્યું, ”હવે તો બસ થયું, હવે તો, હે યહોવા, મારો જીવ લઈ લો, કેમ કે હું મારા પિતૃઓ કરતાં સારો નથી.”


મારો જીવ આ જિંદગીથી કંટાળી ગયો છે; હું તો છૂટે મોઢે વિલાપ કરીશ. મારા જીવની વેદનાએ હું બોલીશ.


શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો, અને મને રહેચા દો કે, હું થોડો આરામ ભોગવી લઉં.


તો તમારી નજર તેના પરથી ઉઠાવી લો, જેથી મજૂરની જેમ તે પોતાનો રોજ પૂરો ભરે ત્યાં સુધી તેને નિરાંત રહે.


એટલે, જો ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મારો નાશ કરે, તો કેવું સારું!


કે મારો જીવ ગૂંગળાઈ મરવાને, અને મારા [આ] હાડપિંજર કરતાં મોત પસંદ કરે છે.


અરે યાદ રાખો કે મારું જીવન પવન જેવું છે, મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.


પણ હું સંપૂર્ણ છું! તોપણ હું મારી પોતાની દરકાર કરતો નથી; હું મારી જિંદગીનો ધિક્કાર કરું છું.


માણસ તો શ્વાસ જેવું છે; તેના દિવસો નમી જતી છાયાના જેવા છે.


તમારી [મોકલેલી] આફત મારાથી દૂર કરો; તમારા હાથના ધક્કાથી મારો ક્ષય થાય છે.


હું અહીંથી જાઉં, અને હતો ન હતો થાઉં તે પહેલાં તમારી કરડી નજર મારા પરથી દૂર કરો કે, હું બળ પામું.


નિશ્ચે દરેક માણસ આભાસરૂપે હાલેચાલે છે; નિશ્ચે તે મિથ્યા ગભરાય છે; તે સંગ્રહ કરે છે, અને તે કોણ ભોગવશે એ તે જાણતો નથી.


ખરેખર નીચ પંક્તિના માણસો વ્યર્થ છે, અને ઊંચ પંક્તિના માણસો જૂઠા છે; તોળતી વેળાએ તેમનું પલ્લું ઊંચું જશે; તેઓ બધા મળીને હવા કરતાં હલકાં છે.


માટે તેમણે તેઓના દિવસો વ્યર્થપણામાં, અને તેઓનાં વર્ષોને ત્રાસમાં સમાપ્ત કર્યાં.


તેમણે સંભાર્યું કે તેઓ કેવળ ક્ષુદ્ર છે; અને જતો રહીને પાછો ન આવનાર વાયુ જેવા છે.


તેથી મને જિંદગી પર ધિક્કાર ઊપજ્યો, કેમ કે પૃથ્વી ઉપર જે કામ કરવામાં આવે છે તે મને દુ:ખદાયક લાગ્યું, માટે બધું વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


વળી આ દુષ્ટ વંશમાં જેઓ બાકી રહેલા છે, જે સર્વ સ્થળે મેં તેઓને નસાડી મૂક્યા છે, ત્યાંના બાકી રહેલા સર્વ લોકો જીવવા કરતાં મરવું પસંદ કરશે, ” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.


તેથી, હે યહોવા હવે કૃપા કરીને મારો જીવ લઈ લો; કેમ કે મારે જીવવા કરતાં મરવું બહેતર છે.”


વળી સૂર્ય ઊગતાં ઈશ્વરે પૂર્વ તરફથી લૂ વાતી શરુ કરી. તેથી યૂનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને મૂર્છા આવી, ને તેણે પોતે મોત માગીને કહ્યું, “મારે જીવતા કરતાં મરવું બહેતર છે.”


Lean sinn:

Sanasan


Sanasan