Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 3:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેઓ તો મોતને માટે તલપે છે, અને દાટેલા ધન કરતાં તેને માટે વધારે ખોદે છે, પણ તે તેમને મળતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તેઓ મોતને માટે તલપે છે, દાટેલો ખજાનો શોધવા ખોદવું પડે એથી વિશેષ પ્રયત્નો એને માટે કરે છે, પણ તે જડતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેઓ મરવાની ઇચ્છા રાખે છે. છુપાયેલા ખજાના કરતાં મોતને વધારે શોધે છે, પણ તે તેઓને મળતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તે માણસને મરવાની ઇચ્છા છે પણ મોત આવતું નથી. તે દુ:ખદાયી માણસ છૂપાયેલા ખજાના કરતા મોતને વધારે શોધે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 3:21
13 Iomraidhean Croise  

પણ પોતે એક દિવસની મુસાફરી જેટલે દૂર અરણ્યમાં ગયો, ને જઈને એક રોતેમવૃક્ષ નીચે બેઠો. ત્યાં તેણે મોત માગ્યું, અને કહ્યું, ”હવે તો બસ થયું, હવે તો, હે યહોવા, મારો જીવ લઈ લો, કેમ કે હું મારા પિતૃઓ કરતાં સારો નથી.”


પણ દુષ્ટોની આંખો ક્ષીણ થઈ જશે, અને તેઓને નાસી જવાનો કોઈ માર્ગ નહિ રહે, અને મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.”


તેઓ જ્યારે કબરમાં જાય છે ત્યારે તેઓ અતિશય આનંદ માને છે, અને ખુશ થાય છે.


અરે, જો મારી વિનંતી સફળ થાય, અને જેને માટે હું તલપું છું તે જો ઈશ્વર મને બક્ષે!


એટલે, જો ઈશ્વર કૃપા કરીને મને કચરી નાખે, અને પોતાના છૂટા હાથથી મારો નાશ કરે, તો કેવું સારું!


કે મારો જીવ ગૂંગળાઈ મરવાને, અને મારા [આ] હાડપિંજર કરતાં મોત પસંદ કરે છે.


જો તું રૂપાની જેમ તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની જેમ તેની શોધ કરશે;


તે માટે હજી સુધી હયાત રહેલા જીવતાઓના કરતાં મરી ગયેલાઓનાં વખાણ મેં કર્યાં;


વળી આ દુષ્ટ વંશમાં જેઓ બાકી રહેલા છે, જે સર્વ સ્થળે મેં તેઓને નસાડી મૂક્યા છે, ત્યાંના બાકી રહેલા સર્વ લોકો જીવવા કરતાં મરવું પસંદ કરશે, ” એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.


તેથી, હે યહોવા હવે કૃપા કરીને મારો જીવ લઈ લો; કેમ કે મારે જીવવા કરતાં મરવું બહેતર છે.”


વળી સૂર્ય ઊગતાં ઈશ્વરે પૂર્વ તરફથી લૂ વાતી શરુ કરી. તેથી યૂનાના માથા પર એટલો બધો તડકો પડ્યો કે તેને મૂર્છા આવી, ને તેણે પોતે મોત માગીને કહ્યું, “મારે જીવતા કરતાં મરવું બહેતર છે.”


અને જો તમે મારી સાથે એ પ્રમાણે વર્તો, ત્યારે તો, જો હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો મને મારી નાખો કે, મને મારું દુ:ખ જોવું ન પડે.”


તે સમયે માણસો મરણને માટે તલપી રહેશે પણ તે પામશે જ નહિ, અને તેઓ મરવાની બહુ ઇચ્છા રાખશે, પણ મરણ તેઓની પાસેથી નાસી જશે.


Lean sinn:

Sanasan


Sanasan