Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 21:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 શું કોઈ ઈશ્વરને જ્ઞાન શીખવશે? તે તો મહાન પુરુષોનો ન્યાય કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 કોઈ ઈશ્વરને જ્ઞાન શીખવી શકે છે? કોઈ સર્વોચ્ચ ઈશ્વરનો ન્યાય કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 શું કોઈ ઈશ્વરને ડહાપણ શીખવી શકે? ઈશ્વર મહાન પુરુષોનો પણ ન્યાય કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “માણસ શું દેવને પાઠ ભણાવી શકશે? દેવ ઉચ્ચ સ્થાનના લોકોનો પણ અભિપ્રાય બાંધે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 21:22
23 Iomraidhean Croise  

જો, તે પોતાના સંત પુરુષોનો ભરોસો કરતો નથી, હા, તેની દષ્ટિમાં આકાશો પણ નિર્મળ નથી.


કેમ કે તેના [મરી ગયા] પછી, એટલે તેના આયુષ્યની દોરી અધવચથી કપાઈ ગયા પછી, તેને પોતાના ઘરમાં શો આનંદ રહે છે?


જે આપણને પૃથ્વીનાં પશુઓના કરતાં વધારે શીખવે છે, અને જે આપણને ખેચર પક્ષીઓના કરતાં વિશેષ જ્ઞાની કરે છે, તે મારા સરજનહાર ઈશ્વર ક્યાં છે?’


જો, ઈશ્વર પોતાના સામર્થ્ય વડે મહિમાવાન કાર્યો કરે છે; તેમના જેવો‍શિક્ષક કોણ છે?


તે જે કાર્યો કરે છે તે કોઈના ફરમાવ્યાથી કરે છે? અથવા ‘તેં અનીતિ કરી છે’ એમ કોઈ તેમને કહી શકે?


હવે મરદની જેમ તારી કમર બાંધ, કેમ કે હું તને પૂછીશ, અને તું મને ઉત્તર આપ.


જુઓ, તે પોતાના સેવકો પર કંઈ ભરોસો રાખતા નથી; અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે;


“શું નિંદાખોરથી સર્વશક્તિમાનની સાથે વિવાદ થઈ શકે? જે ઈશ્વરની સાથે વાદવિવાદ કરે છે, તે તેનો ઉત્તર આપે.”


દેવની સભામાં ઈશ્વર ઊભા રહે છે; તે દેવો મધ્યે ન્યાય કરે છે.


જો ગરીબો પર [થતા] જુલમને તથા દેશમાં ઇનસાફ તથા ન્યાયને ઊંધા વાળતા જોરજુલમને તું જુએ, તો તે વાતથી આશ્ચર્ય ન પામ; કેમ કે ઊંચાઓ કરતાં જે ઊંચો તે લક્ષ આપે છે; અને તેઓ કરતાં એક ઊંચો છે.


જે પોતાના બનાવનાર સાથે વાદ કરે છે તેને અફસોસ! માટીનાં ઠીકરાંમાં તે ઠીકરું જ છે! શું માટી ઘડનારને પૂછે કે, ‘તું શું કરે છે?’ અને શું તારું કામ [કહે કે,] ‘તારા કામને હાથ નથી?’


પણ યહોવાનું વચન જાણવાને તથા સાંભળવાને યહોવાના મંત્રીમંડળમાં કોણ ઊભો રહ્યો છે? કોણે મારા વચન પર લક્ષ લગાડયું છે, ને કોણે તે સાંભળ્યું છે?


કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે? અથવા તેમનો મંત્રી કોણ થયો છે?


કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.


આપણે દૂતોનો ન્યાય કરીશું, એ શું તમે જાણતા નથી? તો આ જિંદગીને લગતી બાબતોનો [ન્યાય કરવાને] શું આપણે [લાયક નથી] છીએ?


કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડયા નહિ, પણ તેઓને નરકમાં નાખીને ન્યાયકરણ થતાં સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા.


વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહિ, પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેમણે અંધકારમાંના સનાતન બંધનમાં રાખ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan