Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 14:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પણ માણસ મરે છે, અને ક્ષય પામે છે; હા, માણસ પ્રાણ છોડે છે, અને તે ક્યાં છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તેને પોઢાડી દેવાય છે. તે અંતિમ શ્વાસ પૂરો કરે પછી તે ક્યાં છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પરંતુ માણસ મૃત્યુ પામે છે અને તે ક્ષય પામે છે; હા, માણસ પ્રાણ છોડે છે અને તે ક્યાં છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પરંતુ માણસ જો મૃત્યુ પામે છે તો તે સમાપ્ત થઇ જાય છે. જ્યારે તે મરી જાય છે એ ચાલ્યો જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 14:10
20 Iomraidhean Croise  

અને યાકૂબ પોતાના દિકરાઓને આજ્ઞા આપી રહ્યો, ત્યાર પછી તેણે પોતાના પગ પલંગ પર લાંબા કરીને પ્રાણ છોડયો, ને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.


અમે અમારા સર્વ પિતૃઓના જેવા તમારી આગળ પરદેશી અને પ્રવાસી છીએ. પૃથ્વી ઉપર અમારા દિવસ આશા વગર ને છાયાની માફક ચાલ્યા જાય છે.


તો તમે શા માટે મને ગર્ભમાંથી બહાર લાવ્યા છો? ત્યાં જ મેં પ્રાણ છોડયો હોત, અને કોઈએ મને જોયો ન હોત.


પણ દુષ્ટોની આંખો ક્ષીણ થઈ જશે, અને તેઓને નાસી જવાનો કોઈ માર્ગ નહિ રહે, અને મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.”


શું તે તમારી ઝડતી લે તો સારું? અથવા જેમ માણસ માણસને ઠગે, તેમ શું તમે તેમને ઠગશો?


એમ માણસ સૂઈ જઈને પાછો ઊઠતો નથી. આકાશો નષ્ટ થશે ત્યાં સુધી તે જાગશે નહિ, અને તેને ઊંઘમાંથી ઉઠાડવામાં આવશે નહિ.


તોપણ પાણીની ફોરથી તે ખીલશે, અને રોપાની જેમ તે ડાળીઓ કાઢશે.


મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું ઈશ્વરને જોઈશ.


તોપણ તે તેની પોતાની વિષ્ટાની જેમ સદાને માટે નાશ પામશે. જેઓએ તેને જોયો છે તેઓ કહેશે, ‘તે ક્યાં છે?’


હું ગર્ભસ્‍થાનમાં જ કેમ મર્યો નહિ? મેં જનમતાં જ કેમ પ્રાણ ન છોડયો?


કેમ કે હમણાં તો હું સૂતેલો હોત, અને શાંતિમાં હોત. હું ઊંઘી ગયો હોત, તો મને નિરાંત હોત.


અને તમે મારા અપરાધોની ક્ષમા કેમ કરતા નથી, અને મારો અન્યાય દૂર કરતા નથી? હવે હું ધૂળ ભેગો થઈશ; તમે મને ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”


દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે; પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે.


સર્વ એક જ જગાએ જાય છે; સર્વ ધૂળનાં છે, ને સર્વ પાછાં ધૂળમાં મળી જાય છે;


મનુષ્યનો આત્મા ઉપર જાય છે, અને પશુનો આત્મા નીચે પૃથ્વીમાં જાય છે, તેની કોને ખબર છે?


પછી ઈસુએ બીજી વાર મોટે અવાજે બૂમ પાડીને પ્રાણ મૂક્યો.


તે જ ક્ષણે તેણે તેના પગ પાસે પડીને પ્રાણ છોડ્યો, પછી તે જુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ, અને બહાર લઈ જઈને તેના પતિને પડખે તેને દાટી.


Lean sinn:

Sanasan


Sanasan