Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 8:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 વળી તમારા નિયમશાસ્‍ત્રમાં પણ લખેલું છે, ‘બે માણસની સાક્ષી ખરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 તમારા નિયમશાસ્ત્રમાં લખેલું છે કે બે વ્યક્તિની એક્સરખી સાક્ષી વજૂદવાળી ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે, ‘બે માણસની સાક્ષી સાચી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 તમારું પોતાનું નિયમશાસ્ત્ર કહે છે કે જ્યારે બે સાક્ષીઓ એક જ વાત કહે તો પછી તમારે તેઓ જે કહે તે સ્વીકારવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 8:17
13 Iomraidhean Croise  

અને બલિયાલના બે માણસોને તેની આગળ બેસાડજો, ને તેઓ તેની વિરુદ્ધ એવી સાક્ષી પૂરે કે, ’તેં ઈશ્વરને તથા રાજાને શાપ દીધો છે.’ પછી તેને બહાર લઇ જઈને પથ્થરે એવો મારજો કે, તે મરી જાય.”


જે કોઈ માણસનું ખૂન કરે, તે ખૂની સાક્ષીઓની જુબાનીને આધારે દેહાતદંડ ભોગવે, પણ કોઈને દેહાતદંડ આપવા માટે એક જ શાહેદની સાક્ષી બસ નથી.


પણ જો તે ન સાંભળે, તો બીજા એક બે જણને તારી સાથે લે, એ માટે કે દરેક વાત બે અથવા ત્રણ સાક્ષીના મોંથી સાબિત થાય.


ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “હું કહું છું કે, ‘તમે દેવો છો’ એમ શું તમારા નિયમશાસ્‍ત્રમાં લખેલું નથી?


પણ તેઓના નિયમશાસ્‍ત્રમાં લખ્યું છે કે, ‘તેઓએ વિનાકારણ મારાં પર દ્વેષ રાખ્યો છે, ’ તે પૂર્ણ થવા માટે [એમ થયું].


આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓનાં મોંથી હરેક વાત સાબિત થશે.


આપણે વિશ્વાસથી ન્યાયી ઠરીએ, માટે એ રીતે આપણને ખ્રિસ્તની પાસે લાવવા માટે નિયમશાસ્‍ત્ર આપણો બાળશિક્ષક હતો.


નિયમ [શાસ્‍ત્ર] ને આઘીન રહેવાની ઇચ્છા રાખનારાઓ, મને કહો કે, શું તમે નિયમ [શાસ્‍ત્ર] સાંભળતા નથી?


બે સાક્ષીઓના કે ત્રણ સાક્ષીઓના કહેવાથી મરનાને દેહાંતદંડ આપવામાં આવે. એક જ સાક્ષીના કહેવાથી તેને દેહાંતદંડ આપવામાં ન આવે.


કોઈ માણસ કંઈ પાપ કરે, તેમાં કોઈ અન્યાયને માટે અથવા કોઈ અપરાધને માટે તેની વિરુદ્ધ એક જ સાક્ષી ચાલે નહિ, બે સાક્ષીઓના અથવા ત્રણ સાક્ષીઓના મુખથી કોઈ પણ વાત સાબિત થવી જોઈએ.


જે કોઈ મૂસાના નિયમશાસ્‍ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રાખવામાં આવતી નહોતી. પણ બે કે ત્રણ સાક્ષી પરથી તેને મોતની શિક્ષા થતી.


જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ તો એ કરતાં ઈશ્વરની સાક્ષી મોટી છે. કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે એ જ છે.


મારા બે શાહેદો ટાટ પહેરીને એક હજાર બસો સાઠ દિવસ સુધી પ્રબોધ કરે, એવો હું તેઓને [અધિકાર] આપીશ.


Lean sinn:

Sanasan


Sanasan