Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 44:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જેમ મેં યરુશાલેમને શિક્ષા કરી, તેમ જેઓ મિસર દેશમાં રહે છે તેઓને હું તરવારથી, દુકાળથી તથા મરકીથી શિક્ષા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 જેઓ ઇજિપ્તમાં વસ્યા છે તેમને હું યરુશાલેમની માફક જ ભૂખમરાથી અને રોગચાળાથી સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જેમ મેં યરુશાલેમને શિક્ષા કરી તેમ જેઓ મિસરમાં છે તેઓને પણ હું તલવાર, દુકાળ અને મરકીથી સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 યરૂશાલેમની જેમ જ મિસરમાં વસનારાઓને પણ હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી સજા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 44:13
11 Iomraidhean Croise  

હા સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “હું તેઓને જોઈ લઈશ! તેમના જુવાનો તરવારથી માર્યા જશે. તેઓનાં દીકરાદીકરીઓ ભૂખે મરશે.


જે આ નગરમાં રહે છે, તે તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશે; પણ જે તમને ઘેરો નાખનારા ખાલદીઓને શરણે જશે, તે જીવતો રહેશે, ને તેનો જીવ તે લૂંટ તરીકે ગણશે.


વળી જે ભૂમી મેં તેઓને તથા તેઓના પૂર્વજોને આપી, તે [ભૂમિ] પરથી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી હું તેઓ પર તરવાર, દુકાળ તથા મરકી મોકલીશ.”


હા, તેઓ ત્રાસ પામીને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં અહીં તહીં રઝળતા ફરે એ માટે હું તેઓને તજી દઈશ; જે જે જગાઓમાં હું તેઓને હાંકી મૂકીશ, ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મહેણાં, હાંસી તથા શાપરૂપ થશે.


તો હવે, હે યહૂદિયાના બાકી રહેલા લોકો, યહોવાનું વચન સાંભળો:સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જો તમે મિસર જવાની જ વૃત્તિ રાખશો, ને ત્યાં જઈને રહેશો,


તો જે તરવારથી તમે બીઓ છો તે તરવાર ત્યાં મિસર દેશમાં પણ તમને પકડી પાડશે, ને જે દુકાળનો તમે ડર રાખો છો તે ત્યાં મિસરમાં તમારી પાછળ આવશે, ને ત્યાં તમે મરશો.


જે માણસો મિસરમાં જવાની તથા ત્યાં જઈ રહેવાની વૃત્તિ રાખે છે તે સર્વના આવા હાલ થશે. તેઓ તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશે. અને જે વિપત્તિ હું તેઓ પર લાવીશ, તેમાંથી તેઓમાંનો કોઈ બચશે નહિ કે, છટકી જશે નહિ.”


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે, “જેમ મારો કોપ તથા મારો ક્રોધ યરુશાલેમના રહેવાસીઓ પર રેડાયો છે, તેમ જ્યારે તમે મિસરમાં પ્રવેશ કરશો, ત્યારે મારો ક્રોધ તમારા પર રેડાશે. અને તમે ધિક્કારરૂપ, વિસ્મયરૂપ, શાપરૂપ તા નિંદારૂપ થશો. અને આ સ્થળને તમે ફરીથી જોશો નહિ.”


તે આવીને મિસર દેશને પાયમાલ કરશે. મરણને માટે નિર્માણ થયેલાઓ માર્યા જશે, ને બંદીવાસમાં જશે, ને તરવારને માટે નિર્માણ થયેલાઓ તરવારથી માર્યા જશે.


કેમ કે જુઓ, તેઓ નાશ [પામેલા દેશ] માંથી જતા રહ્યા છે, [તોપણ] મિસર તેઓને એકત્ર કરશે, મૃત્યુ તેઓને દાટશે. તેઓના રૂપાના સુંદર દાગીના ઝાંખરાંને હવાલે થશે. તેમના તંબુઓમાં કાંટા ઊગી નીકળશે.


Lean sinn:

Sanasan


Sanasan