Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 40:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ત્યારે કારેઆના પુત્ર યહોનાને મિસ્પામાં ગદાલ્યાને છાની રીતે કહ્યું, “નથાન્યાના પુત્ર ઇશ્માએલને મારી નાખવાને માટે મને જવા દે, ને તે વાતની કોઈને ખબર પડશે નહિ. તે શા માટે તને મારી નાખે, ને તેથી જે યહૂદીઓ તારી પાસે એકત્ર થાય છે તેઓ વિખેરાઈ જાય, ને યહૂદિયાના બાકી રહેલા લોકો નાશ પામે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પછી ત્યાં મિસ્પામાં યોહાનાને ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “ઇશ્માએલને મારી નાખવા મને પરવાનગી આપ. એની કોઈને ખબર પડશે નહિ. શા માટે તે તારી હત્યા કરે? તેથી તો તારી છત્રછાયામાં એકત્ર થયેલા યહૂદિયાના લોકો વેરવિખેર થઈ જશે અને યહૂદિયાના શેષ રહેલા લોકો પણ નાશ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેથી કારેઆના દીકરા યોહાનાને મિસ્પાહમાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “નથાન્યાના દીકરા ઇશ્માએલને મારી નાખવા માટે મને જવા દે. અને તે વાતની કોઈને ખબર પડશે નહિ; તે શા માટે તને મારી નાખે? તેથી જે યહૂદીઓ તારી પાસે એકઠા થાય છે તેઓ વિખેરાઈ જાય. અને યહૂદિયાના બાકી રહેલા લોક નાશ પામે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 કારેઆહના પુત્ર યોહાનાને મિસ્પાહમાં ગદાલ્યાને ખાનગીમાં કહ્યું, “નથાન્યાના પુત્ર ઇશ્માએલને મારી નાખવા માટે મને જવા દે, ને તે વાતની કોઇને ખબર પડશે નહિ; તે શા માટે તને મારી નાખે? જે યહૂદિયાઓ પાછા ફર્યા છે તેઓનું શું થશે? શેષ યહૂદિયાના લોક તારી પાસે ભેગા થયા છે તે શા માટે વિખેરાઇ જાય અને નાશ પામે?”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 40:15
10 Iomraidhean Croise  

પણ લોકોએ કહ્યું, “તારે આવવું નહિ; કેમ કે અમે નાસીએ તોયે તેઓ અમારી પરવા કરશે નહિ; તેમ જ અમારામાંથી અડધા મરી જાય તો પણ તેઓ અમારી દરકાર કરશે નહિ; પણ તમે તો અમારામાંના દશ હજારની બરાબર છો. માટે તમે તો નગરમાં રહીને અમને સહાય કરવા તૈયાર રહો, એ જ વધારે સારું છે.”


પણ સરુયાના દીકરા અબિશાયે તેની વહારે આવીને પેલા પલિસ્તીને મારીને ઠાર કર્યો પછી દાઉદના માણસોએ સમ ખાઈને તેને કહ્યું, “તારે હવે ફરીથી અમારી સાથે લડાઈમાં આવવું નહિ, રખેને તું ઇઝરાયલનો દીવો હોલવી નાખે.”


મારો ખોરાક ખાઈને તૃપ્ત થયો ન હોય એવો એક પણ માણસ મળી આવે એમ મારા તંબુના માણસોએ કદી કહ્યું નથી.


ત્યારે નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, કારેઆના પુત્રો યોહાનાન અને યોનાથાન, તાન્હમેથનો પુત્ર સરાયા, એફાય નટોફાથીના પુત્રો, માખાથીના એક વતનીનો પુત્ર યઝાન્યા, તથા તેઓના માણસો મિસ્પામાં ગદાલ્યાની પાસે આવ્યા.


યર્મિયા પ્રબોધકની પાસે આવીને કહ્યું, “અમારી વિનંતી સ્વીકારીને અમારે માટે, એટલે આ સર્વ બાકી રહેલાને માટે, તારા ઈશ્વર યહોવાની પ્રાર્થના કર; (કેમ કે તું તારી નજરે અમને જુએ છે કે, ઘણાં માણસોમાંથી અમે આટલાં થોડાં માણસો બાકી રહ્યાં છીએ;)


અને સમજતા નથી કે લોકની વતી એક માણસ મરે, ને આખી પ્રજા નાશ ન પામે, એ તમારે માટે લાભકારક છે.


દાઉદના માણસોએ તેને કહ્યું, “જુઓ, જે દિવસ વિશે યહોવાએ તમને કહ્યું હતું કે, ‘જો, હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ, ને તને જેમ સારું લાગે તેમ તું તેને કરજે, ’ તે દિવસ [આવ્યો છે].” ત્યારે દાઉદે ઊઠીને છાનામાના શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી.


ત્યારે અબીશાયે દાઉદને કહ્યું, “ઈશ્વરે આજે તમારા શત્રુને તમારા હાથમાં સોંપી દીધો છે. તો હવે કૃપા કરીને મને ભાલાના એક ઘાથી તેને ભોંયભેગો કરવા દો, ને હું તેને બીજી વાર નહિ મારું.”


Lean sinn:

Sanasan


Sanasan