Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 38:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 યહોવા કહે છે કે, ખચીત આ નગર બાબિલના રાજાના સૈન્યના હાથમાં સોંપવામાં આવશે, ને તે તેને જીતી લેશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “યહોવાહ આ પ્રમાણે કહે છે કે; ‘જે કોઈ આ નગરમાં રહેશે તે તલવાર, દુકાળ કે મરકીથી મૃત્યુ પામશે, પણ જે કોઈ ખાલદીઓને શરણે જશે તે બચવા પામશે, અને તેનો જીવ લૂંટ તરીકે ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “આ યહોવાના વચન છે: ‘જે કોઇ આ નગરમાં રહેશે તે યુદ્ધ, દુકાળ કે રોગચાળાથી મૃત્યુ પામશે, પણ જે કોઇ બાબિલવાસીઓને શરણે જવા બહાર ચાલ્યો જશે તે બચવા પામશે, કઇઁં નહિ તો તે જીવતો તો રહેશે જ.’

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 38:2
20 Iomraidhean Croise  

યહોવા ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, લડાઈનાં જે શસ્ત્રો તમારા હાથમાં છે, જે શસ્ત્રો વડે તમે બાબિલના રાજાની સાથે તથા કોટ બહાર તમને ઘેરો ઘાલનારા ખાલદીઓની સાથે લડો છો, તે હું પાછાં ફરેવીશ, ને તેઓને આ નગર મધ્યે એકઠાં કરીશ.


વળી યહોવા એવું પણ ખાતરીથી કહે છે, “જેમ અંજીર બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં, તેમની જેમ યહૂદિયાનો રાજા સિદકિયા, તેના સરદારો, તથા યરુશાલેમના બાકી રહેલા લોકો જેઓ આ દેશમાં રહે છે, તથા મિસર દેશમાં વસે છે, તેઓને હું તજી દઈશ;


પણ જે પ્રજા બાબિલના રાજાની ઝૂંસરી પોતાની ગરદન પર મૂકશે, ને તેના દાસ થશે, તેને હું તેના વતનમાં રહેવા દઈશ. તે તેને ખેડશે, ને તેમાં વસશે, ” એવું યહોવા કહે છે.


જે પ્રજા બાબિલના રાજાની સેવા નહિ કરે તેના સંબંધી યહોવા બોલ્યા છે તે પ્રમાણે તમે, એટલે તું તથા તારા લોકો, તરવારથી, દુકાળથી તથા મરકીથી શા માટે મરો?


પરંતુ જે રાજા દાવિદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે, તથા જે લોકો આ નગરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી, તે સર્વ વિષે યહોવા કહે છે;


તરવાર, દુકાળ તથા મરકીથી હું તેઓની પાછળ પડીશ, ને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં હું તેઓને અહીં તહીં વિખેરી નાખીશ, જેથી જે દેશોમાં મેં તેઓને હાંકી કાઢયા છે તે સર્વમાં તેઓ શાપ, વિસ્મય, ફિટકાર તથા નિંદારૂપ થાય.


તેથી યહોવા કહે છે, “તમે દરેકે પોતાના ભાઈનો તથા પોતાના પડોશીનો છુટકારો જાહેર કરવાનું મારું [વચન] પાળ્યું નથી, તેથી યહોવા કહે છે કે, હું તમારો ત્યાગ કરીને તમને તરવાર, મરકી તથા દુકાળને સ્વાધીન કરીશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં હું તમને વિખેરી નાખીશ.


કેમ કે હું તને ખચીત બચાવીશ, ને તું તરવારથી મરશે નહિ, ને તારો જીવ તને લૂંટ દાખળ થશે, કેમ કે તેં મારા પર ભરોસો રાખ્યો છે, એવું યહોવા કહે છે.”


જે માણસો મિસરમાં જવાની તથા ત્યાં જઈ રહેવાની વૃત્તિ રાખે છે તે સર્વના આવા હાલ થશે. તેઓ તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશે. અને જે વિપત્તિ હું તેઓ પર લાવીશ, તેમાંથી તેઓમાંનો કોઈ બચશે નહિ કે, છટકી જશે નહિ.”


હવે ખચીત જાણજો કે, જ્યાં તમે જઈને રહેવા માગો છો તે સ્થળમાં તમે તરવારથી, દુકાળથી તથા મરકીથી મરશો.


જેમ મેં યરુશાલેમને શિક્ષા કરી, તેમ જેઓ મિસર દેશમાં રહે છે તેઓને હું તરવારથી, દુકાળથી તથા મરકીથી શિક્ષા કરીશ.


શું તું તારે પોતાને માટે મહત્તા શોધે છે? શોધીશ નહિ; કેમ કે યહોવા કહે છે કે, હું માણસમાત્ર પર વિપત્તિ લાવીશ. પણ તું જ્યાં જ્યાં જશે, ત્યાં ત્યાં હું તારો જીવ લૂંટ તરીકે તને આપીશ.”


કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, યરુશાલેમમાંથી માણસ તથા પશુઓનો સંહાર કરવાને હું તેના પર મારી ચાર સખત શિક્ષાઓ, એટલે તરવાર, દુકાળ, હિંસક પશુઓ તથા મરકી મોકલીશ, ત્યારે કેટલો બધો [ભારે સંહાર થશે?]


પ્રભુ યહોવ કહે‌ છે. “હાય અફાળીને તથા પગ પછાડીને કહે કે, ઇઝરાયલ પ્રજાના સર્વ ધિક્કારપાત્ર દુષ્કર્મોને લીધે તેમને અફસોસ! કેમ કે તેઓ તરવારથી, દુકાળથી તથા મરકીથી પાયમાલ થશે.


બહાર તરવાર, ને માહે મરકી તથા દુકાળ છે. જે કોઈ ખેતરમાં હશે તે તરવારથી માર્યો જશે, અને જે કોઈ શહેરમાં હશે તેને દુકાળ તથા મરકી સ્વાહા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan