Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 36:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે તે રાજાના મહેલમાં ચિટનીસના ઓરડામાં ઊતરીને ગયો; અને ત્યાં સર્વ સરદારો, એટલે ચિટનીસ અલીશામા, શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર ઓલ્નાથાન, શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા તથા સર્વ સરદારો બેઠેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યારે તે રાજમહેલમાં રાજમંત્રીની કચેરીમાં પહોંચી ગયો. ત્યાં બધા મંત્રીઓ એટલે કે રાજમંત્રી એલીશામા, શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર એલ્નાથાન શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા અને બીજા કેટલાક મંત્રીઓ એકત્ર થયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે તે નીચે ઊતરીને રાજાના મહેલના વહીવટી સભાખંડમાં ગયો. ત્યારે સર્વ સરદારો એટલે લહિયા અલિશામા, શમાયાનો દીકરો દલાયા, આખ્બોરનો દીકરો એલ્નાથાન શાફાનનો દીકરો ગમાર્યા, હનાન્યાનો દીકરો સિદકિયા તથા બીજા બધા અમલદારો ત્યાં બેઠા હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ત્યારે તે નીચે ઊતરીને મહેલનાં વહીવટી સભાખંડમાં ગયો. અલીશામા મંત્રી ત્યાં હાજર હતો. અને તેની સાથે શમાયાનો પુત્ર દલાયા, આખ્બોરનો પુત્ર એલ્નાથાન શાફાનનો પુત્ર ગમાર્યા, હનાન્યાનો પુત્ર સિદકિયા તથા બીજા બધા અમલદારો પણ ત્યાં હાજર હતાં.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 36:12
13 Iomraidhean Croise  

અને રાજાએ હિલ્કિયા યાજકને, શાફાનના દીકરા અહિકામને, મિખાયાના દીકરા આખ્બોરને, શાફાન ચિટનીસને તથા રાજાના ચાકર અસાયાને આજ્ઞા કરી,


માટે હિલ્કિયા યાજક, અહિકામ, આખ્બોર, શાફાન તથા આસાયા, પોષાકખાતાના ઉપરી હાર્હાસના દીકરા તિકવાના દીકરા શાલ્લુમની સ્ત્રી હુલ્દા પ્રબોધિકા પાસે ગયા. (હવે તે યરુશાલેમમાં બીજા મહોલ્લામાં રહેતી હતી.) અને તેઓએ તેની સાથે વાત કરી.


યોશિયા રાજાને અઢારમે વર્ષે એમ થયું કે રાજાએ મશુલ્લામના દીકરા અસાલ્યાના દીકરા શાફાન ચિટનીસને યહોવાના મંદિરમાં એમ કહીને મોકલ્યો,


યહોયાખીને ટાજ કરવા માડ્યું ત્યારે તે અઢાર વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં ત્રણ માસ રાજ કર્યું. તેની માનું નામ નહુશ્તા હતું, તે યરુશાલેમના એબ્લાથાનની દીકરી હતી.


જ્યારે યહૂદિયાના સર્વ સરદારોએ આ વાત સાંભળી ત્યારે તેઓ રાજાના મહેલમાંથી યહોવાના મંદિરમાં ચઢી આવ્યા; અને તેઓ યહોવાના મંદિરના નવા દરવાજાને નાકે બેઠા.


ત્યારે યહોયાકીમ રાજાએ આખ્બોરના પુત્ર એલ્નાથાનને તથા તેની સાથે કેટલાક માણસોને મિસરમાં મોકલ્યા.


તોપણ શાફાનના પુત્ર અહીકામે યર્મિયાનો પક્ષ લીધો, તેથી તેને મારી નાખવા માટે લોકોના હાથમાં સોંપવામાં આવ્યો નહિ.


વળી તે ઓળિયું બાળી નહિ નાખવા માટે એલ્નાથાને, દલાયાએ તથા ગમાર્યાએ રાજાને વિનંતી કરી; તોપણ તેણે તેઓનું કહેવું માન્યું નહિ.


ત્યારે તે સરદારોએ રાજાને કહ્યું, “કૃપા કરીને આ માણસને મારી નંખાવો; કેમ કે જે લડવૈયા આ નગરમાં બાકી રહેલા છે તેઓની આગળ એવાં વચન બોલીને તે તેઓના તથા સર્વ લોકોના હાથ કમજોર કરે છે. કેમ કે આ માણસ આ લોકોનું હિત નહિ, પણ નુકસાન ઇચ્છે છે.”


હવે સાતમા માસમાં અલીશામાના પુત્ર નથાન્યાનો પુત્ર ઇશ્માએલ, જે રાજવંશી હતો તેમ જ રાજાનો એક મુખ્ય સરદાર હતો, તે પોતાની સાથે દશ માણસ લઈને મિસ્પામાં અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે આવ્યો અને તેઓએ સાથે મિસ્પામાં રોટલી ખાધી.


Lean sinn:

Sanasan


Sanasan