Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 34:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જ્યારે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી, એટલે દાસત્વના ઘરમાંથી કાઢી લાવ્યો, તે દિવસે મેં તેઓની સાથે કરાર કરીને કહ્યું હતું કે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જયારે હું તમારા પિતૃઓને મિસર દેશમાંથી એટલે દાસત્વના ઘરમાંથી બહાર કાઢી લાવ્યો. ત્યારે મેં તેઓની સાથે કરાર કરીને કહ્યું હતું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ઇસ્રાએલના દેવ યહોવાના આ વચન છે: “હું તમારા પિતૃઓને ગુલામીના દેશ મિસરની બહાર લઇ આવ્યો ત્યારે મેં તેમની સાથે કરાર કર્યો હતો કે,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 34:13
24 Iomraidhean Croise  

અને જ્યારે ભવિષ્યકાળમાં તારો પુત્ર તને પૂછે કે, આનો શો અર્થ છે? ત્યારે તું તેને કહે કે, યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસરમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યા.”


અને મૂસાએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા, તેની યાદગીરી રાખો; કેમ કે યહોવા પોતાના હાથના પરાક્રમ વડે તમને ત્યાંથી કાઢી લાવ્યા; ખમીરવાળી રોટલી ખાવી નહિ;


“મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, તને કાઢી લાવનાર તારો ઈશ્વર યહોવા હું છું.


પછી મૂસાએ આવીને લોકોને યહોવાની સર્વ વાતો તથા તેના સર્વ કાનૂનો કહી સંભળાવ્યાં; અને બધા લોકે એકે અવાજે ઉત્તર આપ્યો, “યહોવાએ જે બધી વાતો કહી છે તે અમે પાળીશું.”


જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી, લોઢાની ભઠ્ઠીમાંથી, કાઢી લાવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, ‘મારું વચન માનો, ને જે વાત વિષે હું તમને આજ્ઞા આપું છું તે સર્વ તમે પાળો; તો તમે મારા લોકો થશો, ને હું તમારો ઈશ્વર થઈશ;


કેમ કે જે દિવસે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, ત્યારથી તે આજ દિવસ સુધી હું પ્રાત:કાળે ઊઠીને તેમને ખંતથી એવો સુબોધ આપતો આવ્યો છું કે, ‘મારું વચન માનો.’


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય! હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડયો, ” એવું યહોવા કહે છે.


તેથી યહોવાની પાસેથી યહોવાનુમ વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું:


કેમ કે હું તમારા પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવ્યો, તે દિવસે મેં તેઓને દહનીયાર્પણ તથા યજ્ઞ વિષે કંઈ કહ્યું નહોતું, તથા આજ્ઞા આપી નહોતી.


અને તારે પથ્થરે મારીને તેને પૂરો કરવો. કેમ કે યહોવા તારા ઈશ્વર, જે તને મિસર દેશમાંથી [એટલે] બંદીખાનામાંથી કાઢી લાવ્યા, તેમની પાસેથી તને ભટકાવી દેવાને તેણે યત્ન કર્યો છે.


અને તારે યાદ રાખવું કે મિસર દેશમાં તું પણ દાસ હતો, ને યહોવા તારા ઈશ્વરે તને છોડાવ્યો; એમાટે આ આજ્ઞા હું આજે તને આપું છું.


અને યાદ રાખ કે તું પણ મિસરમાં દાસ હતો. અને તું આ વિધિઓ પાળ તથા તેમને અમલમાં મૂક.


પણ યાદ કર કે મિસરમાં તું પણ દાસ હતો, ને યહોવા તારા ઈશ્વરે તને‍ ત્યાંથી છૂટો કર્યો. એ માટે હું તને આજ્ઞા પાળવાનું ફરમાવું છું.


હોરેબમાં જે કરાર યહોવાએ ઇઝરાયલ લોકો સાથે કર્યો, તે ઉપરાંત મોઆબ દેશમાં તેઓની સાથે જે કરાર કરવાની આ તેમણે મૂસાને આપી, તે આ પ્રમાણે છે:


તું પાસે જઈને યહોવા આપણા ઈશ્વર જે બોલે તે બધું સાંભળ. અને યહોવા આપણા ઈશ્વર જે તને કહે તે બધું તું અમને કહેજે. અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું.’


‘મિસર દેશમાંથી એટલે ગુલામીના ઘરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા તારો ઈશ્વર છું.


ત્યારે સાવધાન રહે, રખેને યહોવા તારરા ઈશ્વર જે તને મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી કાઢી લાવ્યા તેમને તું ભૂલી જાય.


પણ તેનું કારણ એ હતું કે યહોવા તમને ચાહે છે, ને જે પ્રતિજ્ઞા તેમણે તમારા પિતૃઓની આગળ લીધી તે પાળવા તે ઇચ્છે છે, ને તેથી જ યહોવ સમર્થ હાથવડે તમને કાઢી લાવ્યા છે, તમને બંદીખાનામાંથી એટલે મિસરના રાજા ફારુનના હાથમાંથી છોડાવ્યા છે.


ત્યારે તારું મન ગર્વિષ્ટ થાય, ને તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય કે, જે તને મિસર દેશમાંથી, એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યા.


કેમ કે જે અમને ને અમારા પિતૃઓને મિસર દેશમાંથી, એટલે ગુલામીના ઘરમાંથી, કાઢી લાવ્યા, ને જેમણે અમારા જોતાં તે મોટા ચમત્કાર કર્યા, ને અમે જે રસ્તે ચાલ્યા તે આખા રસ્તામાં, ને જે સર્વ લોકો મધ્યે થઈને અમે ચાલ્યા તેઓ મધ્યે અમારું રક્ષણ કર્યું, તે જ યહોવા અમારા ઈશ્વર છે;


યહોવાએ ઇઝરાયલી લોકોની પાસે એક પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે કે, ‘હું તમને મિસરમાંથી કાઢી લાવ્યો, ને ગુલામીના ઘરમાંથી તમને બહાર લાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan