Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 22:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેને યરુશાલેમના દરવાજાઓની બહાર ઘસડીને ફેંકી દેવામાં આવશે, ને ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 ગધેડાને છાજે એવી તેની અંતિમવિધિ થશે, એટલે કે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજાની બહાર ફેંકી દેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 એક ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટવામાં આવશે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજા બહાર નાખી દેવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 એક ગધેડાંના જેવી તેની અંતિમ યાત્રા થશે, તેને ઘસડીને યરૂશાલેમના દરવાજા બહાર નાખી આવશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 22:19
13 Iomraidhean Croise  

માટે જુઓ, હું યરોબામનાં કુટુંબ પર આપત્તિ લાવીશ, ને યરોબામનો દરેક નર બાળક જે ઇઝરાયલમાં બંદીવાન હોય તેમ જ જે છૂટો હોય તેને નષ્ટ કરીશ, ને જેમ વાસીદું કાઢી નાખવામાં આવે છે તેમ હું યરોબામનાં કુટુંબને છેક લોપ થઈ જતાં સુધી વાળી કાઢીશ.


યહોયાકીમે રાજ કરવા માંડ્યું ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં અગિયાર વર્ષ રાજ કર્યું, તેની માનું નામ ઝબિદા હતું. તે રૂમાહના પેદાયાની દીકરી હતી.


એમ યહોયાકીમ પોતાના પિતૃઓ સાથે ઊંઘી ગયો. અને તેના દીકરા યહોયાખીને તેની જગાએ રાજ કર્યું.


અને તેઓ તેને દાટવા ગયા; પણ તેની ખોપરી, પગ તથા હથેલીઓ સિવાય બીજું કંઈ તેમને મળ્યું નહિ.


તેની સામે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર ચઢી આવ્યો, ને તેને બેડીઓ પહેરાવીને બાબિલ લઈ ગયો.


જો કોઈ માણસને સો છોકરાં થાય, અને પોતે એટલાં બધાં વર્ષ સુધી જીવે કે તેનું આયુષ્ય ઘણું લાંબું હોય, પણ તેના જીવને પૂરું સુખ ન હોય, ને વળી તેનું દફન પણ ન થાય; તો હું કહું છું કે, એના કરતાં અધૂરે ગયેલો ગર્ભ સારો છે;


યહોવા કહે છે, “હું તેમના પર ચાર પ્રકારની [વિપત્તિ] ઠરાવીશ: એટલે મારી નાખવા માટે તરવાર, ઘસડી લઈ જવા માટે કૂતરાઓ, ખાઈ જવા તથા નાશ કરવા માટે આકાશનાં પક્ષીઓ તથા પૃથ્વી પરનાં શ્વાપદો.


માટે યહૂદિયાના રાજા યહોયાકીમ વિષે યહોવા કહે છે કે, તે [ના વંશમાં] નો કોઈ દાઉદના રાજ્યાસન પર બેસશે નહિ. અને દિવસે ગરમીમાં તથા રાત્રે હિમમાં તેનું મુડદું બહાર પડી રહેશે.


માટે તું જા, ને જે ઓળિયામાં તેં મારા મુખના શબ્દો લખ્યા છે, તેમાંથી યહોવાનાં વચનો યહોવાના મંદિરમાં ઉપવાસને દિવસે લોકોની આગળ, ને પોતપોતાનાં નગરોમાંથી આવનાર યહૂદિયાની આગળ પણ તે વાંચી સંભળાવ.


સૂર્ય, ચંદ્ર તથા આકાશનું સર્વ સૈન્ય, જેઓને તેઓએ ચાહ્યાં છે, તેઓ [વંઠી] ગયા છે, જેઓને તેઓએ શોધ્યાં છે, અને જેઓની આરાધના તેઓએ કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નાખશે. તેઓને એકઠાં કરવામાં નહિ આવે, અને દાટવામાં નહિ આવે. તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થઈ જશે.


ત્યારે વિદેશીઓ‍ ચારે તરફના પ્રાંતોમાંથી તેના ઉપર ચઢી આવ્યા. તેઓએ પોતાની જાળ પ્રસારીને તેના ઉપર [નાખી] ; તે તેઓની ખાઈમાં સપડાયો.


તું ખુલ્લા મેદાનમાં પડશે, કેમ કે, પ્રભુ યહોવા કહે છે કે, હું એ બોલ્યો છું.


Lean sinn:

Sanasan


Sanasan