Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 1:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વળી યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના સમયમાં, અને યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર સિદકિયાના અગિયારમા વર્ષની આખર સુધી, એટલે તે વરસના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 યોશિયાનો પુત્ર યહોયાકીમ રાજા હતો ત્યારે ફરીથી તેને પ્રભુનો સંદેશ મળ્યો. ત્યાર પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યકાળના અગિયારમા વર્ષ સુધી તેને પ્રભુના સંદેશાઓ મળતા રહ્યા. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન, તેમ જ તે પછી યહૂદિયાના રાજા યોશિયાના દીકરા સિદકિયાના અગિયારમા વર્ષના અંત સુધી, એટલે તે વર્ષના પાંચમા મહિનામાં યરુશાલેમનો બંદીવાસ થતાં સુધી તે વચન આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 વળી યોશિયાના પુત્ર યહોયાકીમના રાજ્યશાસન દરમ્યાન તેમ જ તે પછી યોશિયાના પુત્ર સિદકિયાના રાજ્યના અગિયારમા વર્ષ સુધી એ સંભળાતી રહી. એ વર્ષના પાંચમા મહિનામાં યરૂશાલેમના લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 1:3
19 Iomraidhean Croise  

ફારુન-નકોએ યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતા યોશિયાની જગાએ રાજા ઠરાવ્યો, ને તેનું નામ ફેરવીને યહોયાકીમ પાડ્યું; પણ તે યહોઆહાઝને પકડી લઈ ગયો; અને તે મિસરમાં આવ્યા પછી મરણ પામ્યો.


બાબિલના રાજાએ યહોયાખીનની જગાએ તેના કાકા માત્તાન્યાને રાજા ઠરાવ્યો, ને તેનું નામ ફેરવીને સિદકિયા પાડ્યું.


યોશિયાના પુત્રો:તેનો જ્યેષ્ઠપુત્ર યોહાનાન બીજો યહોયાકીમ; ત્રીજો સિદકિયા; ચોથો, શાલ્લુમ.


યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું:


જ્યારે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર, તેનું સર્વ સૈન્ય તેના તાબાનાં આ પૃથ્વી પરનાં સર્વ રાજ્યો તથા સર્વ લોકો યરુશાલેમની સામે તથા તેનાં સર્વ નગરોની સામે લડતાં હતાં, ત્યારે યહોવાનું જે વચન યર્મિયા પાસે આવ્યું તે આ:


યહૂદિયાના રાજ યોશિયાના પુત્ર યહોયાકીમની કારકિર્દીમાં જે વચન યર્મિયાની પાસે આવ્યું તે આ:


“જે દિવસથી મેં તારી સાથે વાત કરી, એટલે યોશિયાના સમયથી તે આજ સુધી, ઇઝરાયલ તથા યહૂદિયાની વિરુદ્ધ તથા સર્વ પ્રજાઓની વિરુદ્ધ જે વચનો મેં તને કહ્યાં છે, તે સર્વ એક ઓળિયામાં લખ.


સિદકિયા અગિયારમા વર્ષના ચોથા માસને નવમે દિવસે નગરના કોટમાં બાકોરું પાડવામાં આવ્યું.


“દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે, તમે આ સિત્તેર વર્ષો થયાં, પાંચમા તથા સાતમા [માસ] માં ઉપવાસ તથા શોક કર્યો, તે ઉપવાસ તમે જરાયે પણ મારે માટે, હા, મારે માટે કર્યો હતો?


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ચોથા, પાંચમા, સાતમા તથા દશમા [માસ] નો ઉપવાસ યહૂદાના વંશજોને આનંદ તથા હર્ષરૂપ ને ખુશકારક ઉજાણીરૂપ થશે; માટે સત્યતા તથા શાંતિને ચાહો.


Lean sinn:

Sanasan


Sanasan