Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 10:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યહૂદા સાથે, બિન્યામીન સાથે તથા એફ્રાઈમના કુળની સાથે પણ લડવા માટે આમ્‍મોનપુત્રો યર્દન ઊતર્યા. તેથી ઇઝરાયલ બહુ દુ:ખી થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 વળી, આમ્મોનીઓ પણ યર્દન ઓળંગીને યહૂદા, બિન્યામીન અને એફ્રાઈમની સામે લડાઈ કરવા આવતા. ઇઝરાયલીઓ ભારે સંતાપમાં આવી પડયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને આમ્મોનીઓ યર્દન પાર કરીને યહૂદાની સામે, બિન્યામીનની સામે તથા એફ્રાઇમના ઘરનાંની સામે લડવા સારુ ગયા, જેથી ઇઝરાયલીઓ બહુ દુઃખી થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 વળી આમ્મોનીઓએ યર્દન પાર કરીને યહૂદા, બિન્યામીન તથા એફ્રાઈમ કુળો પર હુમલા કર્યા. ઈસ્રાએલીઓ ભારે આફતમાં આવી પડયા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 10:9
13 Iomraidhean Croise  

ઝેરા નામનો કૂશી દશ લાખ માણસોનું સૈન્ય તથા ત્રણસો રથો લઈ તેઓની સામે ચઢી આવ્યો. અને મારેશા સુધી તે આવી પહોંચ્યો.


તે સમયે કોઈ પણ માણસને શાંતિ નહોતી, પણ દેશના સર્વ રહેવાસીઓ બહુ દુ:ખી હતા.


અને એ દેશજાતિઓમાં તને કંઈ ચેન નહિ પડે, ને તારા પગના તળિયાને કંઈ આરામ નહિ મળે; પણ યહોવા ત્યાં તને કંપિત હ્રદય તથા ધૂંધળી આંખો તથા ઝૂરતું મન આપશે.


અને ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કરીને કહ્યું, “અમે પોતાના ઈશ્વરને તજીને બાલીમની ઉપાસના કરીને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.”


તેઓએ તે વર્ષે ઇઝરાયલીઓને હેરાન કરીને તેઓ પર જુલમ કર્યો. યર્દનને પેલે પાર અમોરીઓનો જે દેશ ગિલ્યાદમાં છે, ત્યાંના સર્વ ઇઝરાયલીઓ પર અઢાર વર્ષ સુધી [તેઓએ જુલમ કર્યો].


કેટલાક વખત પછી એમ થયું કે આમ્‍મોનપુત્રોએ ઇઝરાયલની સામે યુદ્ધ કર્યું.


યહોવાએ જે પ્રમાણે તેમને કહ્યું હતું, ને યહોવાએ તેઓની આગળ પ્રતિ લીધી હતી તે પ્રમાણે, જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમની હાનિને માટે યહોવાનો હાથ તેમની વિરુદ્ધમાં હતો; અને તેઓ બહુ સંકટમાં આવી પડ્યા.


અને મિદ્યાનનો હાથ ઇઝરાયલ ઉપર પ્રબળ થયો; અને મિદ્યાનીઓને લીધે ઇઝરાયલી લોકોએ પોતાને માટે પર્વતોમાં કોતરો, ગુફાઓ, તથા ગઢો બનાવ્યાં.


ઇઝરાયલી માણસોએ જોયું કે અમે સંકટમાં આવી પડ્યા છીએ, [કેમ કે લોકો દુ:ખી હતા,] ત્યારે ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કોતરોમાં ને ખાડાઓમાં તે લોકો સંતાઈ ગયા.


શમુએલે શાઉલને પૂછ્યું, તેં શા માટે મને ઉઠાડી લાવીને હેરાન કર્યો છે?” શાઉલે ઉત્તર આપ્યો, “ હું ઘણા સંકટમાં આવી પડ્યો છું. કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ને ઈશ્વર મારી પાસેથી જતા રહ્યા છે, ને પ્રબોધકો મારફતે કે સ્વપ્ન મારફતે મને હવે ઉત્તર આપતા નથી. એ કારણથી મેં તમને બોલાવ્યા છે, જેથી મારે શું કરવું તે તમે મને કહો.”


Lean sinn:

Sanasan


Sanasan