Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 49:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 શું પરાક્રમી પાસેથી લૂંટ ખૂંચવી લઈ શકાશે? શું જુલમીના હાથમાંથી ન્યાયી બંદીવાન છોડાશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 શું કોઈ યોદ્ધા પાસેથી લૂંટ ખૂંચવી શકે? શું તું જુલમી માલિક પાસેથી બંદીવાનને છોડાવી શકે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 શું શૂરવીર પાસેથી લૂંટ છીનવી શકાય અથવા શું જુલમીના હાથમાંથી બંદીવાનોને છોડાવી શકાય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 શકિતશાળી માણસના હાથમાંથી શિકારને કોણ પાછો ઝૂંટવી શકે? અત્યાચારી રાજવી પાસે બંદીવાનોને મુકત કરાવવાની માગણી કોણ કરી શકે?

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 49:24
17 Iomraidhean Croise  

અમારાં દુષ્ટ કર્મોને લીધે તથા અમારા મોટા અપરાધને લીધે અમારા પર જે કંઈ વીત્યું છે, તે સર્વને માટે, હે અમારા ઈશ્વર, જેટલી થવી જોઈએ તે કરતાં તમે અમને થોડી શિક્ષા કરી છે. વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે.


અમે ગુલામો છીએ. તોપણ અમારા ઈશ્વરે અમને અમારી ગુલામીમાં તજી દીધા નથી. તેમણે ઇરાનના રાજાઓની મારફત અમારા પર કૃપાર્દષ્ટિ કરી છે કે, જેથી અમે નવજીવન પામીને અમારા ઈશ્વરનું મંદિર ઊભું કરીએ, તેનાં ખંડિયેરો સમારીએ, ને પોતાને માટે યહૂદિયામાં અને યરુશાલેમમાં [ઈશ્વર પાસેથી] સંરક્ષણ સંપાદન કરીએ.


પરંતુ અમારા પર જે વીત્યું છે, તે સર્વ સંબંધી તમે ન્યાયી હોવાથી તમે વાજબી કર્યું છે, પણ અમે તો દુષ્ટતા કરી છે.


અમારાં પાપોને લીધે જે રાજાઓ તમે અમારા ઉપર ઠરાવ્યા છે, તેઓને તે દેશમાંથી બહુ ઊપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમારા પંડ પર તથા અમારા જાનવર પર સત્તા ચલાવે છે. આ પ્રમાણે અમે મોટા સંકટમાં આવી પડ્યા છીએ.


પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; તેઓ તમામ ખાડાઓમાં ફસાયેલા, ને કારાગૃહોમાં પુરાયેલા છે; તેઓ શિકાર થઈ પડયા છે, તેમને છોડાવનાર કોઈ નથી; તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, ને ‘પાછા આપ, ’ એવું કહેનાર કોઈ નથી.


તેમની ગર્જના સિંહના જેવી છે, તેઓ સિંહનાં બચ્ચાંની જેમ ગર્જના કરશે અને ઘૂરકશે. તેઓ શિકારને પકડીને તાણી જશે, ને તેને છોડાવનાર કોઈ મળશે નહિ.


તે માટે હું મહાન પુરુષોની સાથે તેને હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીઓની સાથે તે લૂંટ વહેંચશે; કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતાં સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો! પરંતુ તેણે તો ઘણાઓનાં પાપ માથે લીધાં, અને અપરાધીઓને માટે મધ્યસ્થી કરી.


ત્યારે પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ હાડકાં તે ઈઝરાયલનું આખું કુળ છે, અમારી આશા નાશ પામી છે.અમે તદ્‍ન નાબુદ થઈ ગયા છીએ.’


પછી પ્રભુએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં જીવતા થઈ શકે? મેં ઉત્તર આપ્યો, “હે પ્રભુ યહોવા, તમે જાણો છો.”


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જો, હું તારી વિરુદ્ધ છું, ને હું તારા રથોને બાળીને ભસ્મ કરીશ, ને તરવાર તારા જુવાન સિંહોનો ભક્ષ કરશે. હું તારો શિકાર પૃથ્વીમાંથી નષ્ટ કરીશ, ને તારા રાજદૂતોનો સ્વર ફરીથી સંભળાશે નહિ.”


વળી કોઈ બળવાનના ઘરમાં જઈને તે બળવાનને પહેલવહેલાં બાંધ્યા વિના તેનો સામાન કોઈથી કેમ લૂંટી શકાય? પણ તેને બાંધ્યા પછી તે તેનું ઘર લૂંટી લેશે.


બળવાનના ઘરમાં પેસી જઈને જો કોઈ તે બળવાનને પહેલાં ન બાંધે તો તે તેનો સરસામાન લૂંટી શક્તો નથી! [પણ તેને બાંધ્યા] પછી તે તેનું લૂંટી લેશે.


Lean sinn:

Sanasan


Sanasan