Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 46:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેઓ બધા વાકાં વળે છે, તેઓ નમી જાય છે; તેઓ ભારને બચાવી શકતા નથી, વળી તેઓ પોતે બંદીવાન થયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેઓ એક સાથે નમી જાય છે અને ઝૂકી પડે છે. એ ભારરૂપ મૂર્તિઓ પોતાને બચાવી શકી નથી. હવે તેને બંદીવાન તરીકે ઉપાડી જવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેઓ બધા વાંકા વળે છે અને ઘૂંટણે પડે છે; તેઓ પોતાની મૂર્તિઓને બચાવી શકતા નથી, પણ તેઓ પોતે બંદીવાન થયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “શું આથી ઉત્તમ તેઓ કશું જ કરી શકતા નથી? તેઓ બધા વાંકા વળે છે, તેઓ નમી જાય છે; તેઓ ભારથી પોતાને બચાવી શકતા નથી. વળી તેઓ પોતે બંદીવાન થયા છે.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 46:2
16 Iomraidhean Croise  

ત્યાં પલિસ્તીઓએ પોતાની મૂર્તિઓ પડતી મૂકી, ને દાઉદ તથા તેના માણસો તે લઈ ગયા.


દક્ષિણનાં પશુઓ વિષે ઈશ્વરવાણી:દુ:ખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, નાગ તથા ઊડતા સર્પ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાંની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની ખૂંધ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.


જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલાસારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું?


ને તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, માત્ર માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર-હતા; માટે તેઓએ તેમનો નાશ કર્યો છે.


પછી જે ભાગ બાકી રહે છે તેનો તે દેવ બનાવે છે, એટલે પોતાને માટે કોરેલી મૂર્તિ બનાવે છે; તે તેને દંડવત પ્રણામ કરે છે, ને તેની પ્રાર્થના કરીને કહે છે, ‘મને બચાવ; કેમ કે તું મારો દેવ છે.’”


વિદેશીઓમાં બચેલા, તમે એકત્ર થઈને આવો; બધા પાસે આવો; પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા, ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ નથી.


તેં તારાં કામો પર તથા તારા દ્રવ્ય પર વિશ્વાસ રાખ્યો છે, માટે તને પણ પડકવામાં આવશે; વળી પોતાના યાજકો તથા સરદારો સહિત કમોશ બંદીવાસમાં જશે.


તે માટે, જુઓ, એવો સમય આવશે કે જે સમયે હું બાબિલની કોતરેલી મૂર્તિઓને જોઈ લઈશ, ને તેનો આખો દેશ લજ્જિત થશે; અને તેના સર્વ લોકો કતલ થઈને તેમાં પડશે.


વળી તે તેઓના દેવોને, તેમની ઢાળેલી મૂર્તિઓને તથા તેઓનાં સોનારૂપાનાં સારાં સારાં પાત્રોને કબજે કરીને મિસરમાં લઈ જશે; અને તે ઉત્તરના રાજા પર કેટલાંક વર્ષો સુધી ચઢાઈ કરશે નહિ.


યહોવાએ તારા સંબંધી આજ્ઞા આપી છે, “હવે પછી તારાં બી ફરી વાવવામાં આવશે નહિ. તારા દેવોના મંદિરમાંથી હું ઘડેલી મૂર્તિનો તથા ઢાળેલી મૂર્તિનો નાશ કરીશ. હું તારી કબર ખોદીશ; કેમ કે તું દુષ્ટ છે.”


તેણે કહ્યું, “તમે મારા પોતાના બનાવેલા દેવોને તથા પુરોહિતને લઈને ચાલ્યા ગયા છો, હવે મારી પાસે બીજું શું રહ્યું છે? એમ છતાં તમે મને કેમ પૂછો કે, તને શું નુકશાન થયું છે?”


બીજે દિવસે આશ્દોદીઓ પરોઢિયે ઊઠ્યા ત્યારે, જુઓ, દાગોન યહોવાના કોશ આગળ ભૂમિ પર ઊંધો પડેલો હતો. અને તેઓએ દાગોનને લઈને તેની જગાએ પાછો બેસાડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan