Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યશાયા 16:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જયારે મોઆબ દેખાશે, ને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, અને પોતાના પવિત્રસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેનાથી કંઈ થઈ શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 મોઆબના લોકો પૂજાનાં ઉચ્ચસ્થાનોમાં અને પવિત્ર મંદિરોમાં પ્રાર્થના કરી કરીને થાકી જશે, પણ તેથી તેમને કંઈ ફાયદો થવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જ્યારે મોઆબ દેખાશે અને ઉચ્ચસ્થાનો પર ચઢતાં થાકી જશે, અને પોતાના સભાસ્થાનમાં પ્રાર્થના કરવા માટે જશે, ત્યારે તેની પ્રાર્થનાથી કંઈ પ્રાપ્ત થશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 મોઆબના લોકો પર્વત પરનાં ઉચ્ચસ્થાનકોએ પ્રાર્થના કરવા જઇને થાકી જશે, તોયે કશું વળવાનું નથી.

Faic an caibideil Dèan lethbhreac




યશાયા 16:12
24 Iomraidhean Croise  

પછી સુલેમાને યરુશાલેમની સામેના પર્વત પર મોઆબના ધિક્કારપાત્ર [દેવ] કમોશને માટે એક ઉચ્ચસ્થાન તથા આમ્મોનપુત્રોના ધિક્કારપાત્ર [દેવ] માલેખને માટે એક ઉચ્ચસ્થાન બાંધ્યું.


બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચઢાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ કંઈ વાણી થઈ નહિ, તેમ જ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું.


જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રસેફ, તથા તાલાસ્સારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પિતૃઓએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું?


પછી તેણે પોતાનો વડો દીકરો, જે તેને સ્થાને રાજા થવાનો હતો, તેને લઈને દહનીયાર્પણ તરીકે કોટ પર તેનું બલિદાન આપ્યું. એથી ઇઝરાયલ પર [ઈશ્વરને] બહુ ક્રોધ ચઢ્યો; અને તેઓ તેની પાસેથી ચાલી નીકળીને પોતાના દેશમાં પાછા ગયા.


તે વખતે તેઓ મને હાંક મારશે, પણ હું ઉત્તર આપીશ નહિ; તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ.


તે બાઈથ તથા દિબોનમાં, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયું છે; નબો તથા મેદબા પર મોઆબ વિલાપ કરે છે; તેઓ સર્વનાં માથાં બોડાવેલાં ને સર્વની દાઢી મૂંડેલી છે.


યહોવાએ મોઆબ વિષે જે વાત અગાઉથી કહી હતી તે એ છે.


હે યહોવા, સંકટસમયે તેઓ તમારી તરફ ફર્યા છે, તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ [તમારી] પ્રાર્થના કરી છે.


તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામેલેખે તથા શારેસેરે તેને તરવારથી મારી નાખ્યો; અને તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદોને તેની જગ્યાએ રાજ કર્યું.


અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તારા પર જે આવનાર છે તેથી નક્ષત્રો ઠરાવનાર, જ્યોતિષીઓ, અમાવાસ્યાસૂચકો ઊભા થઈને તારો બચાવ ભલે કરે.


તે કાકડીની વાડીના ચાડિયા જેવી છે, તેઓ બોલતી નથી; તેમને ઉપાડવી પડે છે, કેમ કે તેઓ ચાલી શકતી નથી. તેઓથી ન બીઓ, કેમ કે તેઓ ભૂંડું કરી શકે નહિ, તેમ જ ભલું પણ કરી શકે નહિ.”


જેમ બેથેલ પર ભરોસો રાખીને ઇઝરાયલીઓ ફજેત થયા, તેમ કમોશ પર ભરોસો રાખીને મોઆબ ફજેત થશે.


વળી યહોવા કહે છે કે, મોઆબમાં જેઓ ઉચ્ચસ્થાનમાં બલિદાન આપે છે, ને જેઓ પોતાના દેવોની આગળ ધૂપ બાળે છે, તેઓને હું નષ્ટ કરીશ.


હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો નષ્ટ થયા છે, કેમ કે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને બંદીવાસમાં લઈ જવામાં આવ્યાં છે.


તેં તારાં કામો પર તથા તારા દ્રવ્ય પર વિશ્વાસ રાખ્યો છે, માટે તને પણ પડકવામાં આવશે; વળી પોતાના યાજકો તથા સરદારો સહિત કમોશ બંદીવાસમાં જશે.


કેમ કે હેશ્બોનમાંથી અગ્નિ, એટલે સીહોનના નગરમાંથી ભડકો, નીકળ્યો છે. તેણે મોઆબના આરને, આર્નોનના ઉચ્ચસ્થાનના ધણીઓને બાળીને ભસ્મ કર્યા છે.


અને બલામ બાલાકની સાથે ગયો, ને તેઓ કિર્યાથ-હુસોથ આવ્યા.


અને સવારે એમ થયું કે બાલાક બલામને બાલનાં ઉચ્ચસ્થાનોમાં લઈ ગયો, ને ત્યાંથી લોકનો સૌથી છેડા પરનો ભાગ પણ તે જોઈ શક્તો હતો.


અને તેણે બલામને સોફીમની સીમમાં પિસ્ગાના શિખર પર લાવીને સાત વેદીઓ બાંધી, ને‍ પ્રત્યેક વેદી પર એક ગોધાનો તથા એક ઘેટાનો હોમ કર્યો.


અને બાલાક બલામને યશીમોનની સામેના પેઓરના શિખર પર લાવ્યો.


હું તેને જોઉં છું, પણ હમણાં નહિ; હું તેને નિહાળું છું, પણ સન્‍નિધ નહિ. યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે, અને ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે, અને મોઆબના ખૂણાઓને વીંધી નાખશે, અને શેથના સર્વ દિકરાઓનો નાશ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan