Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હોશિયા 12:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હા, તેણે દૂતની સાથે બાથ ભીડી, ને જય પામ્યો; તેણે રડીને તેમની યાચના કરી, તે તેમને બેથેલમાં મળ્યા, ત્યાં તે આપણી સાથે બોલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 હા, તે દૂતની સામે પણ ઝઝૂમ્યો અને ટક્કર લીધી. તેણે રડીને આશિષની માગણી કરી. ઈશ્વર આપણા પૂર્વજ યાકોબને બેથેલમાં મળ્યા અને ત્યાં તેની સાથે વાત કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેણે દેવદૂત સાથે બાથ ભીડી અને જીત્યો. તે રડ્યો અને કૃપા માટે યાચના કરી. તે બેથેલમાં ઈશ્વરને મળ્યો; ત્યાં ઈશ્વરે તેની સાથે વાત કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હા, તે દેવદૂત સાથે લડ્યો અને જીત્યો હતો. તેના તરફથી આશીર્વાદ મેળવવાને તેણે રૂદન કર્યું અને વિનંતીઓ કરી. બેથેલમાં તેણે દેવની મોઢેમોઢ મુલાકાત કરી. દેવે તેની સાથે વાત કરી.

Faic an caibideil Dèan lethbhreac




હોશિયા 12:4
18 Iomraidhean Croise  

ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો; અને તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. અને તેણે તેઓને જન્મ આપ્યો, ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.


અને યાકૂબ એકલો રહી ગયો; અને અરુણોદય સુધી એક પુરષે તેની સાથે મલ્‍લયુદ્ધ કર્યું.


અને જ્યારે પેલા પુરુષે જોયું કે તે યાકૂબને જીત્યો નહિ ત્યારે તે યાકૂબની જાંઘના સાંધાને અડકયો. અને તેની સાથે મલ્લયુદ્ધ કરતાં કરતાં યાકૂબની જાંઘનો સાંધો મોચાઈ ગયો.


અને તે પુરુષ બોલ્યો, “અરુણોદય થાય છે, માટે મને જવા દે.” અને યાકોબે તેને કહ્યું, “મને આશીર્વાદ આપ, નહિ તો હું તને જવા દેવાનો નથી.”


અને યાકૂબે તેને પૂછતા કહ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” અને તેણે કહ્યું, “કૃપા કરી તું તારું નામ મને કહે.” અને તેણે કહ્યું, “મારું નામ તું શા માટે પૂછે છે?” અને તે પુરુષે તેને આશીર્વાદ આપ્યો.


અને જ્યાં ઈશ્વર તેની સાથે બોલ્યા, તે જગાનું નામ યાકૂબે બેથેલ પાડયું.


અને તેણે યૂસફને આશીર્વાદ આપ્યો, ને કહ્યું, જે ઈશ્વરનીઇ આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઇસહાક ચાલ્યા, જે ઈશ્વરે મને મારા આખા આયુષ્યમાં આજ પર્યંત પાળ્યો,


તેમણે સમુદ્રને સૂકવી નાખ્યો! તેઓ પગે ચાલીને નદીને સામે પાર ગયા! ત્યાં આપણે પ્રભુમાં આનંદ કર્યો હતો.


તેમનાં સર્વ દુ:ખોમાં તે દુ:ખી થયા, ને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો; તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.


“જુઓ, હું મારા દૂતને મોકલું છું, ને તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે પોતાના મંદિરમાં અકસ્માત આવશે; એટલે કરારનો દૂત જેનામાં તમે આનંદ માનો છો, જુઓ, તે આવે છે, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


પછી આપણામાંનાં જેઓ જીવતાં રહેનારા છીએ, તેઓ ગગનમાં પ્રભુને મળવા માટે તેઓની સાથે વાદળોમાં તણાઈ જઈશું. અને અમે સદા પ્રભુની સાથે રહીશું.


તેમના દેહધારીપણાના સમયમાં તેમને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતા, તેમની પાસે તેમણે મોટે અવાજે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેમણે [ઈશ્વરનો] ડર રાખ્યો, માટે તેમની [પ્રાર્થના] સાંભળવામાં આવી.


Lean sinn:

Sanasan


Sanasan