Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હિબ્રૂઓ 3:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને જેઓએ માન્યું નહિ તેઓ વગર બીજા કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું, “તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 ઈશ્વરે શપથ લીધા, “તેઓ મારા વિશ્રામસ્થાનમાં કદી જ પ્રવેશ કરશે નહીં” આ શપથ તેમણે કોના સંબંધી લીધા? જેમણે બળવો કર્યો તેમના સંબંધી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જેઓએ વિશ્વાસ કર્યો નહિ તેઓ વગર કોને વિષે તેમણે સમ ખાઈને કહ્યું કે, ‘તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર એ લોકો વિષે દેવે પ્રતિજ્ઞા કરી કહ્યું કે, એ લોકો વિશ્રામમાં પ્રવેશ મેળવી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હિબ્રૂઓ 3:18
16 Iomraidhean Croise  

કેમ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ, અને તેમના તારણનો ભરોસો રાખ્યો નહિ.


અને યહોવાએ મૂસાને કહ્યું, “આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યાં છે તે છતાં, તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?


તેઓ જે દેશ આપવાના મેં તેઓના પિતૃઓની આગળ સમ ખાધા છે તે નહિ જ જોશે, તેમ જ જેઓએ મને તુચ્છ કર્યો તેઓમાંનો કોઈ તે જોશે નહિ.


જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે, તેમાં જવા નહિ જ પામશે. કેવળ યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ જવા પામશે.


એટલે જે માણસો દેશ વિષે માઢો સંદેશો લાવ્યા, તેઓ યહોવાની આગળ મરકીથી માર્યા ગયા.


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “મારા પર વિશ્વાસ ન કરતાં ઇઝરાયલી લોકોની દષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે, તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.”


દીકરા પર જે વિશ્વાસ કરે છે, તેને અનંતજીવન છે; પણ દીકરાનું જે માનતો નથી, તે જીવન નહિ જોશે, પણ તેના પર ઈશ્વરનો કોપ રહે છે.”


કેમ કે જેમ તમે પહેલાં ઈશ્વર પ્રત્યે અનાજ્ઞાંકિતપણાને લીધે તમે દયાપાત્ર બન્યા;


અને જ્યારે યહોવાએ તમને કાદેશ-બાર્નેઆથી એવું કહીને મોકલ્યા, ત્યાં જાઓ ને જે દેશ મેં તમને આપ્યો છે તેનું વતન પ્રાપ્ત કરો, ત્યારે પણ તમે યહોવા તમારા ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધ બળવો કર્યો, ને તમે તેમના પર વિશ્વાસ કર્યો નહિ, તેમજ તેમની વાણી પણ તમે સાંભળી નહિ.


માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ, એવા મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા.”


એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશ કરવાને ખંત રાખીને યત્ન કરીએ, રખેને એ જ આ ભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય.


કેમ કે જેમ તેઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે. પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહિ, કેમ કે જેઓએ [ધ્યાન દઈને] સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં એક થયા નહિ.


તો કેટલાકને તેમાં પ્રવેશ કરવાનું બાકી છે, અને જેઓને અગાઉ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી હતી, તેઓએ આજ્ઞાનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ કરી શકયા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan