Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 47:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ફકત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ; કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો, ને તેઓનો જે ભાગ ફારુને તેઓએ આપ્યો હતો તે તેઓ ખાયા કરતા હતા; તે માટે તેઓએ પોતાની જમીન વેચી દીધી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 માત્ર યજ્ઞકારોની જમીન તેણે ખરીદી નહિ. કારણ, યજ્ઞકારોને તો ફેરો તરફથી નિયત હિસ્સો મળતો હતો અને ફેરોએ આપેલા હિસ્સા પર તેઓ પોતાનું ગુજરાન ચલાવતા. તેથી તેમણે જમીન વેચવી પડી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 ફક્ત યાજકોની જમીન તેણે વેચાતી લીધી નહિ, કેમ કે યાજકોને ફારુનની પાસેથી ભાગ મળતો હતો. તેઓનો જે ભાગ ફારુને તેઓને આપ્યો હતો તેનાથી તેઓ ગુજરાન ચલાવતા હતા. તેથી તેઓએ તેમની જમીન વેચવી પડી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 ફકત યાજકોની જમીન તેણે ખરીદી નહિ; કારણ કે તેઓને ફારુન તરફથી નિયત ભથ્થું મળતું તેના આધારે તેઓ જીવતા, જેથી જમીન વેચવી પડી નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 47:22
16 Iomraidhean Croise  

અને શાલેમનો રાજા મલ્ખીસદેક રોટલી તથા દ્રાક્ષારસ લાવ્યો; અને તે પરાત્પર ઈશ્વરનો યાજક હતો.


અને ફારુને યૂસફનું નામ સાફનાથપાનેઆ પાડયું. અને ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. અને યૂસફ મિસર દેશમાં ફરવા નીકળ્યો.


અને દુકાળનાં વર્ષો આવ્યા અગાઉ યૂસફના બે દિકરા જન્મ્યા કે, જે તેને ઓનના યાજક પોટીફારાની દીકરી આસનાથને પેટે થયા.


અને યૂસફે મિસરની સીમના એક છેડાથી તે બીજા છેડા સુધી લોકને નગરોમાં મોકલ્યા.


અને યૂસફે લોકોને કહ્યું, “જુઓ, મેં તમને તથા તમારી જમીનને ફારુનને માટે આજે વેચાતાં લીધાં છે. જુઓ, તમારે માટે આ બી રહ્યાં, તમે જમીનમાં તે વાવો.


અને મિસર દેશમાં યૂસફે એવો નિયમ બાંધ્યો કે બધી જમીનનો પાંચમો ભાગ ફારુનને મળે, અને એ નિયમ હજી ચાલે છે; માત્ર યાજકોની જમીન ફારુનના તાબામાં આવી નહિ.


અને યહોયાદાનો દિકરો બનાયા કરેથીઓ તથા પલેથીઓનો [પરદેશી અંગરક્ષકોનો] ઉપરી હતો. અને દાઉદના દીકરા મુખ્ય કારભારી હતા.


અમે તમને જણાવીએ છીએ કે, સર્વ યાજકો, લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો, નથીનીમ કે ઈશ્વરના આ મંદિરના બીજા સેવકો પાસેથી ખંડણી, કર કે જકાત લેવી તે કાયદા વિરુદ્ધ ગણાશે.


વળી મને માલૂમ પડ્યું કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવ્યા ન હતા. તેથી લેવીઓ તથા ગવૈયાઓ પોતપોતાનાં ખેતરોમાં ચાલ્યા ગયા હતા.


મુસાફરીને માટે ઝોળી અથવા બે પહેરણ અથવા જોડા, અથવા લાકડી પણ ન લો. કેમ કે મજૂર પોતાના પોષણને યોગ્ય છે.


જેઓ મંદિરમાં સેવાનું કામ કરે છે તેઓ મંદિરમાંનું ખાય છે, અને જેઓ વેદીની સેવા કરે છે તેઓ વેદીના ભાગીદાર છે, એ શું તમે નથી જાણતા?


સુવાર્તા વિષે જે શીખનાર‌ છે તેણે શીખવનારને સર્વ સારાં વાનાંમાંથી હિસ્‍સો આપવો.


પોતા વિષે સંભાળ કે, જ્યાં સુધી તું આ તારી ભૂમિ પર રહે ત્યાં સુધી લેવીનો ત્યાગ તારે કરવો નહિ.


કેમ કે અમે તમારી પાસે હતા ત્યારે પણ અમે [તમને] એવી આજ્ઞા કરી હતી કે, જો કોઈ માણસ કામ ન કરે, તો તેને ખવડાવવું પણ નહિ.


જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે, અને વિશેષે કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે, તેઓને બમણા માનપાત્ર ગણવા.


Lean sinn:

Sanasan


Sanasan