Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 47:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તમારા દેખતાં અમે અમારાં ખેતરો સુદ્ધાં શા માટે નાશ પામીએ? રોટલીને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લો, ને અમે તથા અમારાં ખેતર ફારુનના દાસ થઈશું; અને અમને બી આપો કે, અમે જીવતા રહીએ ને મરીએ નહિ, ને જમીન પડતર રહે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 શું અમે તમારી નજર આગળ જ ખતમ થઈ જઈશું! શું અમારી જમીનો પણ ધણી વગરની થઈ જશે? અનાજના બદલામાં તમે અમને અને અમારી જમીનોને ખરીદી લો. એટલે અમે તથા અમારી જમીનો ફેરોના તાબામાં રહીશું. અમને બિયારણ આપો, જેથી અમે મરી ન જઈએ પણ જીવતા રહીએ, વળી, અમારી જમીનો પણ વેરાન થઈ જાય નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તારા દેખતાં અમે, અમારા ખેતરો સહિત શા માટે મરણ પામીએ? અનાજને બદલે અમને તથા અમારી જમીનને વેચાતાં લે અને અમે તથા અમારા ખેતર ફારુનને હવાલે કરીશું. અમને અનાજ આપ કે અમે જીવતા રહીએ, મરીએ નહિ. અમે મજૂરી કરીશું અને જમીન પડતર નહિ રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 તમાંરી નજર સમક્ષ અમો ચોક્કસ મરી જશું? પણ જો તમે અમને ખાવાનું આપશો તો અમે અમાંરી જમીનો ફારુનને આપી એના ગુલામો બની જશું, માંટે અમને બીજ આપો જેથી અમે મરતા બચી જઈએ અને જીવવા પામીએ, ને જમીન પડતર બની રહે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 47:19
11 Iomraidhean Croise  

અને દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તેમાં ખોરાક દેશને માટે સંગ્રહ થશે કે, દુકાળથી દેશનો નાશ ન થાય.”


અને મિસર દેશમાં તથા કનાન દેશમાં પૈસા ખૂટયા, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, “અમને ખાવાનું આપો. અમે તમારી સામે શા માટે મરી જઈએ? કેમ કે પૈસા થઈ રહ્યા છે.”


અને તે વર્ષ પૂરું થયું ત્યારે બીજે વર્ષે તેઓએ તેની પાસે આવીને તેને કહ્યું, “નાણું ખૂટયું છે એ અમે અમારા ધણીથી છાનું રાખતા નથી; અને અમારાં જનાવરો પણ અમારા ધણીની પાસે છે. અને અમારી જાત તથા અમારી જમીન વિના અમારા ધણીની આગળ અમારી પાસે કંઈ બાકી રહ્યું નથી.


અને યૂસફે મિસરીઓની બધી જમીન ફારુનને માટે વેચાતી લીધી; કેમ કે મિસરીઓએ દરેકે પોતાની જમીન વેચી દીધી, કેમ કે દુકાળ તેઓને માથે સખત હતો. એ માટે તે દેશની જમીન ફારુનના હાથમાં આવી.


શેતાને યહોવાને ઉત્તર આપ્યો, “ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.


યહોવાન સર્વ લોકો નિસાસા નાખે છે, તેઓ રોટલીને માટે ફાંફા મારે છે. તેઓએ પોતાના પ્રાણ બચાવવા માટે અન્‍નને બદલે પોતાની કિંમતી વસ્તુઓ આપી દીધી છે. હે યહોવા, તમે નજર કરો, અને જુઓ, મારો કેવો તિરસ્કાર થાય છે.”


અમે રોટલીથી તૃપ્ત થવા માટે મિસરીઓને તથા આશૂરીઓને તાબે થયા છીએ.


રાનમાં [ભટકતા લોકો] ની તરવારને લીધે અમારો જીવ જોખમમાં નાખીને અમે અમારું અન્‍ન પેદા કરીએ છીએ.


કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાનો જીવ ખોઈ બેસે, તો તેને શો લાભ થાય? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે?


Lean sinn:

Sanasan


Sanasan