Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 42:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેણે કહ્યું, “જુઓ, મેં સાંભળ્યું છે કે મિસરમાં અનાજ છે. ત્યાં જાઓ, ને ત્યાંથી આપણે માટે વેચાતુમ લાવો કે, આપણે જીવતા રહીએ, ને મરી જઈએ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેથી તેણે પોતાના દીકરાઓને કહ્યું, “તમે એકબીજાની સામે જોઈ કેમ બેસી રહ્યા છો? મારા સાંભળવામાં આવ્યું છે કે ઇજિપ્તમાં અનાજ મળે છે; ત્યાં જાઓ અને આપણે માટે કંઈક ખરીદી લાવો કે જેથી આપણે જીવતા રહીએ અને મરી જઈએ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 મારા સાંભળવામાં આવ્યું છે કે, “મિસરમાં અનાજ ઉપલબ્ધ છે. ત્યાં જાઓ અને ત્યાંથી આપણે સારુ અનાજ વેચાતું લાવો કે આપણે ખાઈને મરણથી બચીએ અને જીવતા રહીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 મને જાણવા મળ્યું છે કે, મિસરમાં અનાજ વેચાય છે, માંટે ત્યાં જાઓ, ને ત્યાંથી આપણા માંટે અનાજ ખરીદી લાવો. જેથી આપણે જીવતા રહીએ, ને ભૂખે ના મરીએ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 42:2
11 Iomraidhean Croise  

અને યૂસફના દશ ભાઈઓ અનાજ વેચાતું લેવાને મિસરમાં ગયા.


અને એમ થયું કે, તેઓ મિસરમાંથી જે અનાજ લાવ્યા હતા તે ખાઈ રહ્યા, ત્યારે તેઓના પિતાએ તેઓને કહ્યું, “તમે ફરીથી જઈને આપણે માટે થોડું અનાજ વેચાતું લાવો.”


જો તમે અમારા ભાઈને અમારી સાથે મોકલો તો અમે જઈને તમારે માટે અનાજ વેચાતું લાવીએ;


અને યહૂદાએ તેના પિતા ઇઝરાયલને કહ્યું, “મારી સાથે છોકરાને મોકલો. અને અમે ચાલી નીકળીએ કે, અમે અને તમે અને આપણાં છોકરાં જીવતાં રહીએ ને મરી જઈએ નહિ.


તમે ઉતાવળથી મારા પિતાની પાસે જાઓ, ને તેમને કહો કે, ‘તમારો દીકરો યૂસફ એમ કહે છે, ઈશ્વરે મને આખાઅ મિસરનો ઘણી કર્યો છે, મારી પાસે આવો, વિલંબ ન કરો.’


હું મરી નહિ જઈશ, પણ જીવતો રહીશ, અને યહોવાનાં કૃત્યોને પ્રગટ કરીશ.


જુઓ, યહોવાના ભકતો તથા તેમની કૃપા પર આશા રાખનારાં ઉપર તેમની કૃપાદષ્ટિ છે;


જેથી તે તેઓના જીવને મોતથી બચાવે, અને દુકાળને સમયે તેઓને જીવતાં રાખે.


તે સમયે હિઝકિયા મરણતોલ માંદો પડયો. ત્યારે આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને તેને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, ને જીવવાનો નથી.’”


પણ તેમણે ઉત્તર દીધો, “એમ લખેલું છે કે, માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.”


પણ યાકૂબના સાંભળવામાં આવ્યું કે મિસરમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પહેલી વખત ત્યાં મોકલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan