Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 42:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 જો તમે સાચા માણસ હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે. અને બાકીના જાઓ, ને તમારાં ઘરના માટે દુકાળને સારુ અનાજ લેતા જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 જો તમે પ્રામાણિક માણસો હો તો જે ઘરમાં તમને કેદ કરવામાં આવ્યા છે તેમાં તમારામાંનો માત્ર એક જણ રહે જ્યારે બાકીના તમે જે અનાજ ખરીદ્યું છે તે તમારા દુકાળગ્રસ્ત કુટુંબ માટે લઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જો તમે પ્રમાણિક અને સાચા પુરુષો હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે અને બાકીના જાઓ અને દુકાળને લીધે તમારા ઘર માટે અનાજ લઈ જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 જો તમે ખરેખર સાચા હો તો તમાંરામાંનો ગમે તે એક ભાઈ કારાગારમાં રહે; અને બાકીના સૌ તમાંરા ભૂખે મરતા કુટુંબ માંટે અનાજ લઈને જાઓ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 42:19
13 Iomraidhean Croise  

અને જ્યાં યૂસફ બંદીવાન હતો તે કેદખાનામાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં તેણે તેઓને કેદ કર્યાં.


અને આખા દેશ પર દુકાળ પડયો ત્યારે યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને [અનાજ] વેચાતું આપ્યું. અને મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો.


અમે સર્વ એક માણસના દિકરા છીએ. અમે સાચા માણસ છીએ, તારા દાસો જાસૂસ નથી.”


અને ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે આમ કરો ને જીવતા રહો. કેમ કે હુમ ઈશ્વરથી બીહું છું:


અને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો. તે પરથી તમારી વાત સાચી ઠરશે, ને તમે નહિ મરશો.”


અને તેઓ પોતાનાં ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી નીકળ્યા.


અને તે માણસે, એટલે તે દેશના ઘણીએ, અમને કહ્યું, ‘એથી હું જાણીશ કે તમે સાચા માણસ છો; એટલે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો, ને બાકીના તમારાં ઘરનાં દુકાળને માટે અનાજ લઈને જાઓ.


અને તેણે તેના પિતાને માટે આ પ્રમાણે મોકલ્યું:મિસર દેશની ઉત્તમ વસ્તુઓથી લાદેલા દશ ગધેડા, ને માર્ગને માટે તેના પિતાને માટે અનાજ તથા રોટલી તથા ખોરાકથી લાદેલી દશ ગધેડીઓ.


પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; તેઓ તમામ ખાડાઓમાં ફસાયેલા, ને કારાગૃહોમાં પુરાયેલા છે; તેઓ શિકાર થઈ પડયા છે, તેમને છોડાવનાર કોઈ નથી; તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, ને ‘પાછા આપ, ’ એવું કહેનાર કોઈ નથી.


જેથી તું આંધળી આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને, ને કારાગૃહમાંથી અંધકારમાં બેસનારાઓને બહાર કાઢે.


સરદારોએ યર્મિયા પર કોપાયમાન થઈને તેને માર્યો, ને યહોનાથાન ચિટનીસના ઘરમાં તેને કેદ કર્યો, કેમ કે તે [મકાન] ને તેઓએ કેદખાનું બનાવ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan