Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 41:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને ત્યાર પછી દુકાળના સાત વર્ષ આવશે. અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે; અને દુકાળ દેશનો નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 પણ ત્યાર પછી દુકાળનાં સાત વર્ષ આવશે, અને ઇજિપ્ત દેશની બધી સમૃદ્ધિ ભુલાઈ જશે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 પછી દુકાળના સાત વર્ષ આવશે અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે અને દુકાળ દેશનો નાશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 અને ત્યારબાદ સાત વર્ષ દુકાળના આવશે. આખા મિસરમાં લોકો આબાદીની વાતો ભૂલી જશે. એ દુકાળ દેશનો સર્વનાશ કરશે;

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 41:30
15 Iomraidhean Croise  

અને તેઓ તેઓને ગળી ગઈ, તોપણ તેઓ તેઓને ગળી ગઈ હોય એવું જણાયું નહિ; પણ પહેલાંની જેમ તેઓ કદરૂપી રહી, અને હું જાગી ઊઠયો.


અને તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાય નીકળી તે સાત વર્ષ છે. અને દાણા વગરનાં તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળના સાત વર્ષ થશે.


અને તે આવનાર દુકાળને લીધે દેશમાં પુષ્કળતા જણાશે નહિ; કેમ કે તે બહુ ભારે થશે.


અને યૂસફે જ્યેષ્ઠ દિકરાનું નામ મનાશ્શા પાડયું; કેમ કે [તેણે કહ્યું,] “ઈશ્વરે મારા સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે.”


અને યૂસફના કહ્યા પ્રમાણે દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં; અને સર્વ દેશોમાં દુકાળ પડયો. પણ આખા મિસર દેશમઆં અન્‍ન હતું.


અને આખા દેશ પર દુકાળ પડયો ત્યારે યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને [અનાજ] વેચાતું આપ્યું. અને મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો.


અને તે આખા દેશમાં અન્‍ન નહોતું, કેમ કે દુકાળ બહુ ભારે હતો, ને મિસર દેશ તથા કનાન દેશ દુકાળથી હેરાન થયા.


માટે ગાદે દાઉદ પાસે આવીને તેને ખબર આપીને કહ્યું, “તમારા દેશમાં સાત વર્ષ સુધી દુકાળ પડે? અથવા તો તમારા શત્રુઓ તમારી પાછળ પડે ને તમે ત્રણ માસ સુધી તેઓથી નાસતા ફરો? અથવા તો તમારા દેશમાં ત્રણ દિવસ સુધી મરકી ચાલે? હવે વિચાર કરો, ને જેમણે મને મોકલ્યો છે તેમને હું શો ઉત્તર આપું તેનો ખ્યાલ કરો.”


ગિલ્યાદમાં આવી વસેલાઓમાંના તિશ્બી એલિયાએ આહાબને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા જેમની સમક્ષ હું ઊભો રહું છું, તેમના જીવના સમ કે હવેના વરસોમાં ઝાકળ તથા વરસાદ ફક્ત મારા કહેવા પ્રમાણે જ પડશે.”


જે સ્ત્રીના છોકરાને એલિશાએ જીવતો કર્યો હતો તેને એલિશાએ કહ્યું, “ઊઠ, તું તારા ઘરના માણસોને લઈને જા, ને જ્યાં તારાથી જઈને રહેવાય ત્યાં રહે; કેમ કે યહોવાએ દુકાળનો હુકમ કર્યો છે.અને વળી તે સાત વર્ષ સુધી દેશ પર ચાલુ રહેશે.”


વળી તેમણે દુકાળને તે દેશમાં આવવાને ફરમાવ્યું; અને રોટલીનો આધાર તદ્દન તોડી નાખ્યો.


ભલે તે પીને પોતાની દરિદ્રતા ભૂલી જાય, અને પોતાનું દુ:ખ ફરી કદી તેને યાદ આવે નહિ.


જે દેશમાં કોઈ પોતાના પર આશીર્વાદ માગશે, તે સત્ય ઈશ્વરને નામે પોતાના પર આશીર્વાદ માગશે; અને દેશમાં જે કોઈ સમ ખાશે તે સત્ય ઈશ્વરના સમ ખાશે; કેમ કે પ્રથમની વિપત્તિઓ વિસારે પડી છે, ને તેઓ મારી આંખોથી સંતાઈ રહે છે.


પણ હું તમને સાચું કહું છું કે, એલિયાના સમયમાં સાડા ત્રણ વરસ સુધી આકાશ બંધ રહ્યું, અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો, તે વખતે ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી


એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો, પણ વરસાદ ન વરસે તેવી તેણે પ્રાર્થના કરીને વિનંતી કરી; અને સાડાત્રણ વરસ સુધી પૃથ્વી પર વરસાદ વરસ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan