Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 40:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને મિસરના રાજાનો પાત્રવાહક તથા ભઠિયારો જે જેલમાં કેદી હતા તે બન્‍ને માણસોને એક જ રાત્રે, તેમના સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હવે ઇજિપ્તી રાજાના કેદમાં પૂરાયેલા એ અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓનો ઉપરી અને મુખ્ય રસોઈયો એ બન્‍નેને એક રાત્રે સ્વપ્ન આવ્યાં. બન્‍નેનાં સ્વપ્નો જુદાં જુદાં હતાં અને દરેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અને મિસરના રાજાનો પાત્રવાહકને તથા રસોઈયાને એક જ રાત્રે, સ્વપ્નના જુદા જુદા અર્થ પ્રમાણે, સ્વપ્ન આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 એક દિવસ રાત્રે કેદખાનામાં પુરાયેલા મિસરના રાજાના પાત્રવાહકને અને ભઠિયારાને બન્નેને એક સાથે સ્વપ્ન આવ્યું. બન્નેનાં સ્વપ્ન જુદાં હતાં. તથા પ્રત્યેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 40:5
18 Iomraidhean Croise  

પણ રાત્રે સ્વપનમાં ઈશ્વરે અબીમેલેખની પાસે આવીને કહ્યું, જો, જે સ્‍ત્રી તેં લીધી છે તેને લીધે તું પોતાને મૂએલો જ જાણજે; કેમ કે તે પરણેલી છે.”


એ વાતો પછી એમ થયું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માલિક મિસરના રાજાનો અપરાધ કર્યો.


અને પહેરેગીરોના ઉપરીએ યૂસફને તેઓનો ખિજમતગાર નીમ્યો, ને તેણે તેઓની સેવા કરી; અને તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા.


અને યૂસફે સવારે તેઓની પાસે અંદર આવીને તેઓને જોયા, ત્યારે જુઓ, તેઓ ઉદાસ હતા.


અને તેઓએ તેને કહ્યું, “અમને સ્વપ્ન આવ્યું હતું, ને તેનો અર્થ બતાવી શકે એવો કોઈ નથી.” અને યૂસફે તેઓને કહ્યું, “અર્થ બતાવવો એ શું ઈશ્વરનું કામ નથી? તે શું છે તે કૃપા કરીને મને કહો.”


અને એક જ રાતે અમને સ્વપ્ન આવ્યું. દરેકને પોતાના સ્વપ્નના અર્થ પ્રમાણે સ્વપ્ન આવ્યું.


તે રાત્રે રાજાને ઊંઘ આવી નહિ; તેથી તેણે કાળવૃત્તાંતોની નોંધનું પુસ્તક લાવવાની આજ્ઞા કરી, ને રાજાની આગળ તે વાંચવામાં આવ્યું.


ત્યારે દાનિયેલ જેનું નામ બેલ્ટશાસ્સાર હતું તે કેટલીક વાર સુધી સ્તબ્ધ રહ્યો, ને તેના વિચારોથી તે ગભરાઈ ગયો. રાજાએ તેને કહ્યું, “હે બેલ્ટશાસ્સાર, સ્વપ્ન સંબંધી કે તેના ખુલાસા સંબંધી તું ગભરાઈશ નહિ.” બેલ્ટશાસ્સારે ઉત્તર આપ્યો, “હે મારા સ્વામી, એ સ્વપ્ન આપના દ્વેષીઓને તથા તેનો ખુલાસો આપનાર વૈરીઓને લાગુ પડો.


એ દરમિયાન મને એક સ્વપ્ન આવ્યું, તેથી હુણ બીધો; મારા પલંગના પરના વિચારોએ તથા મારા મગજનાં સંદર્શનોએ મને ગભરાવ્યો.


“હે બેલ્ટશાસ્સાર, મુખ્ય જાદુગર, હું જાણું છું કે તારામાં પવિત્ર ઈશ્વરનો આત્મા છે, ને કોઈ પણ ગુહ્ય વાત [સમજવામાં] તને ગભરામણ થતી નથી, માટે જે સ્વપ્ન મને આવ્યું છે તેનાં સંદર્શનો તથા તેનો ખુલાસો મને કહી બતાવ.


અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.


Lean sinn:

Sanasan


Sanasan