Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 24:67 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

67 અને ઇસહાકને તેને પોતાની મા સારાના તંબુમાં લાવ્યો, ને તેણે‍રિબકાને લીધી, ને તે તેની પત્ની થઈ. અને તેણે તેના પર પ્રેમ કર્યો; અને ઇસચહાક પોતાની માના મરણ પછી દિલાસો પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

67 પછી ઇસ્હાક રિબકાને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને પત્ની તરીકે તેનો સ્વીકાર કર્યો. તેણે રિબકા ઉપર પ્રેમ કર્યો અને એમ ઇસ્હાક પોતાની માતાના મૃત્યુના દુ:ખમાં દિલાસો પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

67 પછી ઇસહાક તેને પોતાની માતા સારાના તંબુમાં લાવ્યો અને તેણે રિબકાનો ઓવારણાં લીધા. રિબકા ઇસહાકની પત્ની થઈ. ઇસહાકે તેના પર પ્રેમ દર્શાવ્યો. માતાના મરણ પછી રિબકાએ ઇસહાકને ખૂબ દિલાસો આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

67 પછી ઇસહાક રિબકાને પોતાની માંતાના તંબુમાં લઈ ગયો. તે દિવસે ઇસહાકે રિબકા સાથે વિવાહ કરી લીધા. તે તેની સાથે ખૂબ પ્રેમભાવ રાખતો હતો, તેથી તેને માંતાના મૃત્યુ પછી પણ સાંત્વન પ્રાપ્ત થયું. માંતાના મરણનું દુ:ખ તે ભૂલી શકયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 24:67
16 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે સારાની પાસે તંબુમાં ઉતાવળે જઈને કહ્યું, “ત્રણ માપ મેંદો ઉતાવળે મસળ, ને રોટલી તૈયાર કર.”


અને દાસે જે કહ્યું હતું તે સર્વ તેણે ઇસહાકને કહી સંભળાવ્યું.


અને ઇબ્રાહિમે ફરી પત્ની કરી કે, જેનું નામ કટૂરા હતું.


અને ઇસહાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.


અને યાકૂબે રાહેલ પર પ્રેમ કર્યો; અને તેણે કહ્યું, “તારી નાની દીકરી રાહેલને માટે હું સાત વર્ષ સુધી તારી ચાકરી કરીશ.”


અને તેના સર્વ દિકરા તથા તેની સર્વ દીકરીઓ તેને દિલાસો આપવાને ઊઠયાં, પણ તેણે દિલાસો પામવાને ના પાડી. અને તેણે કહ્યું, “હું શોક કરતો કરતો શેઓલમાં મારા દિકરાની પાસે જઈશ.” અને તેનો પિતા તેને માટે રડયો.


અને ઘણા દિવસ વીતી ગયા, ને યહૂદાની પત્ની, શૂઆની દીકરી, મરણ પામી. અને યહૂદા દિલાસો પામ્યો, ને તે તેના મિત્ર હીરા અદુલ્લામી સહિત તેનાં ઘેટાં કાતરનારાઓની પાસ તિમ્ના ગયો.


હું તને દોરીને મારી માના ઘરમાં લાવત કે, તું મને શીખવત; હું તને મસાલેદાર દ્રાક્ષારસ [તથા] મારા દાડમનો રસ પાત.


પણ, ભાઈઓ, ઊંઘી ગયેલાં વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. જેથી બીજાં માણસો જેઓને આશા નથી એવાંની જેમ તમે ખેદ ન કરો.


કેમ કે અમે પ્રભુનાં વચનથી તમને કહીએ છીએ કે, પ્રભુના આવતાં સુધી આપણામાંનાં જેઓ જીવતાં રહેનારાં છે, તેઓ ઊંઘેલાઓની પહેલાં જનારાં નથી.


Lean sinn:

Sanasan


Sanasan