Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને ઈશ્વરે કહ્યું, “રાત ને દિવસ જુદાં કરવા માટે આકાશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ; અને તેઓ ચિહ્નો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષો ને અર્થે થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પછી ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસને જુદાં પાડવા માટે આકાશના ધુમ્મટમાં જ્યોતિઓ થાઓ. એ જ્યોતિઓ દિવસો, વર્ષો અને ઋતુઓનો સમય સૂચવવા ચિહ્નરૂપ બની રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસ જુદાં પાડવા સારુ આકાશમાં જ્યોતિઓ થાઓ અને તેઓ ચિહ્નો, ઋતુઓ, દિવસો તથા વર્ષોને અર્થે થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પછી દેવે કહ્યું, “આકાશમાં જયોતિઓ થાઓ. આ જયોતિઓ દિવસોને રાતોથી જુદા પાડશે. આ જયોતિઓનો વિશેષ ચિહનોરૂપે ઉપયોગ થશે. અને વિશેષ સભાઓ જ્યારે શરુ થશે તે દર્શાવશે અને તેનો ઉપયોગ ઋતુઓ, દિવસો અને વર્ષોનો સમય નિશ્ચિત કરવામાં થશે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:14
43 Iomraidhean Croise  

અને સાંજ થઈ તથા સવાર થઈ, ત્રીજો દિવસ.


અને તેઓ પૃથ્વી પર અજવાળું આપવા માટે આકશના અંતરિક્ષમાં જ્યોતિઓ થાઓ”; અને તેવું થયું.


પૃથ્વી રહેશે ત્યાં સુધી વાવણી તથા કાપણી, ટાઢ તથા ગરમી, ઉનાળો તથા શિયાળો, ને દિવસ તથા રાત થયા વગર રહેશે નહિ.”


એટલે મારું ધનુષ્ય હું વાદળામાં મૂકું છું, ને તે મારી તથા પૃથ્વીની વચ્ચેના કરારનું ચિહ્ન થશે.


શું તેમનાં સૈન્યોની કંઈ ગણતરી છે? અને કોના ઉપર તેમનું અજવાળું નથી ઊગતું?


જો, ચંદ્ર પણ નિસ્તેજ છે, અને તેમની દષ્ટિમાં તારાઓ પણ નિર્મળ નથી;


તેના પ્રાત:કાળના તારા અંધકારમાં ડૂબી રહો. તે [દિવસ] અજવાળાની રાહ જુએ, પણ તે તેને મળો નહિ. તેના અરુણોદયનો પ્રકાશ મુદ્દલ દેખાઓ નહિ.


આજ સુધી તેઓ તમારાં ન્યાયવચન પ્રમાણે નીભી રહેલાં છે; કેમ કે તેઓ સર્વ તમારા સેવકો છે.


સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; સર્વ ઝગમગતા તારા, તેમની સ્તુતિ કરો.


વળી તેમણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યાં છે; જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહિ, એવો નિયમ તેમણે કર્યો છે.


યહોવાની સ્તુતિ કરો. તેમના પવિત્રસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો; આકાશ તેમના પરાક્રમનો પ્રદેશ છે, તેમાં તેમની સ્તુતિ કરો.


ચંદ્રદર્શન તેમ પૂનમને સમયે, એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.


તમારી દષ્ટિ ઊંચી કરીને જુઓ, એ [બધા તારા] કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના મહાત્મ્યથી તેઓના સંખ્યાબંધ સૈન્યને બહાર કાઢી લાવે છે, અને તે સર્વને નામ લઈને બોલાવે છે; એકે રહી જતો નથી.


યહોવા કહે છે, “વિદેશીઓનો માર્ગ ન શીખો, ને આકાશના અદભુત દેખાવોથી ભયભીત ન થાઓ. કેમ કે વિદેશીઓ તેઓથી ભયભીત થાય છે.


જે યહોવા દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યની તથા રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્રની તથા તારાઓની ગતિના નિયમો ઠરાવે છે, જે સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાંઓ ગર્જના કરે છે, જેમનું નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે, તે આમ કહે છે:


યહોવા કહે છે, “જો તમે દિવસ તથા રાત સાથેનો મારો કરાર તોડી શકો, એટલે રાત તથા દિવસ પોતપોતાના સમયે [નિયમિત] ન થાય;


[પણ] યહોવા કહે ચે કે, જો દિવસ તથા રાત સાથેનો મારો કરાર ટકે નહિ, અને જો મેં આકાશ તથા પૃથ્વીના નિયમો ઠરાવ્યા નહિ હોય,


પ્રભુ યહોવા કહે છે, “અંદરના આંગણાનો દરવાજો જેનું મોં પૂર્વ તરફ છે તે કામ કરવાના છયે દિવસ બંધ રહે; પણ સાબ્બાથને દિવસે તે ઉઘાડો રહે, ને ચંદ્રદર્શનને દિવસે તે ઉઘાડો રહે,


ચંદ્રદર્શનને દિવસે ખોડખાંપણ વગરનો એક જુવાન ગોધો, છ હલવાન તથા એક મેંઢો, તે ખોડખાંપણ વગરનાં, એટલું [દહનીયાર્પણ] તે ચઢાવે.


તેઓની આગળ ધરતી કાંપે છે, આકાશો થથરે છે, સૂર્ય તથા ચંદ્ર અંધરાય છે, ને તારાઓ ઝાંખા થઈ જાય છે.


સૂર્ય તથા ચંદ્ર અંધરાય છે, તારાઓનો પ્રકાશ ઝાંખો પડ્યો છે.


તમે તેમને શોધો કે જે કૃત્તિકા તથા મૃગશિરના કર્તા છે, જે ઘોર અંધકારને પ્રભાતરૂપ કરી નાખે છે, ને જે દિવસને રાત વડે અંધકારમય કરી દે છે, અને જે સમુદ્રના પાણીને હાંક મારે છે, ને તેઓને પૃથ્વીની સપાટી પર રેડી દે છે, તેમનું નામ યહોવા છે.


તે દિવસે હું સૂર્યને ખરે બપોરે અસ્ત પમાડીશ, ને હું ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરીશ, ” એમ પ્રભુ યહોવા કહે છે.


“યહૂદીઓના જે રાજા જન્મ્યા છે, તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેમનો તારો જોઈને અમે તેમનું ભજન કરવા આવ્યા છીએ.”


અને તે દિવસોની વિપત્તિ પછી સૂરજ તરત અંધકારરૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે, ને આકાશથી તારા ખરશે, ને આકાશનાં પરાક્રમો હલાવાશે.


પણ તે દિવસોમાં, એ વિપત્તિ પછી સૂર્ય અંધકારૂપ થઈ જશે, ને ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે,


વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો.


અને રખેને આકાશ તરફ તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા, એટલે આખું ગગનમંડળ, કે જેઓને યહોવા તારા ઈશ્વરે આકાશ નીચેના સર્વ લોકને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય ન તેઓની પૂજા કરે.


જ્યારે તેણે છઠ્ઠી મુદ્રા તોડી, ત્યારે મેં જોયું, તો મોટો ધરતીકંપ થયો અને સૂર્ય વાળના કામળા જેવો કાળો થઈ ગયો, અને આખો ચંદ્ર લોહી જેવો કાળો થઈ ગયો.


પછી ચોથા દૂતે વગાડયું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ પર તથા ચંદ્રના ત્રીજા ભાગ પર તથા તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ અંધકારરૂપ થાય, અને દિવસનો ત્રીજો ભાગ, તેમ જ રાતનો ત્રીજો ભાગ, પ્રકાશરહિત થાય.


તેણે ઊંડાણના ખાડાને ઉઘાડ્યો, એટલે તેમાંથી મોટી ભઠ્ઠીના ધુમાડા જેવો ધુમાડા નીકળ્યો. અને ખાડાના ધુમાડાથી સૂર્ય તથા વાતાવરણ અંધરાયાં.


Lean sinn:

Sanasan


Sanasan