Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 7:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને લોકોએ તથા યાજકોએ યરુશાલેમમાંના પોતાના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણોમાં રાજીખુશીથી જે કંઈ અર્પણ કર્યુ હોય તે, અને આખા બાબિલ પ્રાંતમાંથી સર્વ સોનુંરૂપું તને મળી આવે તે તું લઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 વળી, સમગ્ર બેબિલોનમાંથી ઇઝરાયલી લોકો અને યજ્ઞકારોએ યરુશાલેમમાં પોતાના ઈશ્વરના મંદિરમાં અર્પણ કરવા માટે રાજીખુશીથી આપેલું સોનુંરૂપું પણ લઈ જા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે ઉપરાંત બાબિલના સર્વ રાજ્યોમાંથી યરુશાલેમના ઈશ્વરના ભક્તિસ્થાન માટે ચાંદી તથા સોનું ઐચ્છિકાર્પણો તરીકે યહૂદીઓએ અને તેઓના યાજકોએ લઈ જવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તદુપરાંત તારે બાબિલના સર્વ રાજ્યોમાંથી યરૂશાલેમના દેવના મંદિર માટે ચાંદી તથા સોનું સૈચ્છિકાર્પણો તરીકે યહૂદીયા અને તેઓના યાજકો પાસેથી ઉઘરાવવું.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 7:16
13 Iomraidhean Croise  

હે મારા ઈશ્વર, હું જાણું છું કે તમે અંત:કરણને પારખો છો ને પ્રામાણિકપણા પર સંતુષ્ઠ છો. મેં તો મારા અંત:કરણના પ્રામાણિકપણાથી એ સર્વ તમને રાજીખુશીથી અર્પ્યું છે. તમારા જે લોકો અહીં હાજર છે, તેઓને રાજીખુશીથી તમને અર્પણ કરતા જોઈને મને આનંદ થયો છે.


ત્યારે પિતૃઓનાં [કુટુંબોના] સરદારોએ, ઇઝરાયલનાં કુળોના સરદારોએ એટલે સહસ્રાધિપતિઓએ, સત્તાધિપતિઓએ, તથા રાજાના કામ પરના મુકાદમોએ રાજીખુશીથી અર્પણ કર્યાં.


તેઓએ રાજીખુશીથી તે અર્પ્યું, તેથી લોકો હરખાયા, કેમ કે તેઓએ ખરા મનથી તથા રાજીખુશીથી તે અર્પણ કર્યા હતાં; અને દાઉદ રાજા પણ બહું હરખાયો.


લેવી યિમ્નાનો પુત્ર કોરે, પૂર્વ [દિશાના દરવાજા] નો દ્વારપાળ, યહોવાના અર્પણો તથા પરમપવિત્ર વસ્તું વહેંચી આપવા માટે, ઈશ્વરના ઐચ્છિકાર્પણો પર [કારભારી] હતો.


મેં તમારે માટે રહેવાનું મંદિર તથા સર્વકાળ માટે તમારે રહેવાનું સ્થળ બાંધ્યું છે.”


મેં મારા લોકને મિસર દેશમાંથી કાઢ્યા, તે દિવસથી મેં, મારું નામ ત્યાં રહે તે માટે મંદિર બાંધવા માટે, ઇઝરાયલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી. તેમ જ મારા ઇઝરાયલ લોક ઉપર મેં કોઈ પુરુષને અધિકારી થવા માટે પસંદ કર્યો નથી.


પણ મારું નામ રહેવા માટે યરુશાલેમને મેં પસંદ કર્યું છે. અને મારા ઇઝરાયલ લોકનો ઉપરી થવા માટે દાઉદને મેં પસંદ કર્યો છે.


કોઈ પણ સ્થળે તેનામાંનો જે કોઈ બાકી રહેલો હોય, તેને ત્યાંના લોકો યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનુંરૂપું, સરસામાન અને પશુઓ આપીને તેની સહાય કરે.”


તેઓની આસપાસના લોકોએ સર્વ ઐચ્છિકાર્પણ ઉપરાંત, સોનારૂપાંના પાત્રો, સરસામાન, પશુઓ તથા મૂલ્વાન પદાર્થો આપીને તેઓનો ઉમંગ વધાર્યો.


યરુશાલેમમાં વસનાર યહોવાને સિયોનમાંથી ધન્ય હોજો. યહોવાની સ્તુતિ કરો.


કેમ કે જો ઇચ્છા હોય, તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહિ, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે.


જેમ દરેકે પોતાના હ્રદયમાં અગાઉથી ઠરાવ્યું છે, તે પ્રમાણે તેણે આપવું. ખેદથી નહિ કે, ફરજિયાત નહિ. કેમ કે ખુશીથી આપનારને ઈશ્વર ચાહે છે.


Lean sinn:

Sanasan


Sanasan