Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 6:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ઇઝરાયલી લોકોએ, યાજકોએ, લેવીઓએ તથા બંદીવાસમાંથી આવેલા બાકીના લોકોએ ઈશ્વરના આ મંદિરનું પ્રતિષ્ઠાપર્વ આનંદથી પાળ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 ઇઝરાયલના બધા લોકો એટલે યજ્ઞકારો, લેવીઓ તથા દેશનિકાલમાંથી પાછા ફરેલા બાકીના લોકોએ આનંદથી મંદિરની પ્રતિષ્ઠા કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ઇઝરાયલી લોકોએ, યાજકોએ, લેવીઓએ તથા બંદીવાસમાંથી આવેલા બાકીના લોકોએ ઈશ્વરના આ સભાસ્થાનનું પ્રતિષ્ઠાપર્વ આનંદપૂર્વક ઉજવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યારબાદ ઇસ્રાએલીઓએ યાજકોએ, લેવીઓએ અને દેશવટેથી પાછા ફરેલા બાકીના બધા લોકોએ ભારે આનંદપૂર્વક એ મંદિરનું સમર્પણ ઉજવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 6:16
21 Iomraidhean Croise  

પછી રાજાએ તથા તેની સાથે સર્વ ઇઝરાયલે યહોવાને બલિદાન આપ્યાં.


અને શાંત્યર્પણોનો જે યજ્ઞ સુલમાને યહોવાને ચઢાવ્યો તે બાવીસ હજાર ગોધા તથા એક લાખ વીસ હજાર ઘેટાંનો હતો. એ પ્રમાણે રાજાએ તથા સર્વ ઇઝરાયલી લોકોએ યહોવાના મંદિરની પ્રતિષ્ઠા કરી.


એમ સર્વ ઇઝરાયલીઓ યહોવાના કરારકોશને હર્ષનાદ કરતાં શરણાઈ, રણશિંગડા, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી મોટી ગર્જના કરતા લઈ આવ્યા.


પોતપોતાના વતનોનાં નગરોમાં જે પ્રથમ રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ તથા નથીનીમ હતા.


વળી હિઝકિયા રાજાએ તથા સરદારોએ દાઉદે તથા દષ્ટા આસાફે રચેલા ગીત ના શબ્દો ગાઈને લેવીઓને યહોવાની સ્તુતિ કરવાની આજ્ઞા કરી. તેઓએ આનંદથી સ્તુતિનું ગાયન ગાયું, ને તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.


વળી સમગ્ર પ્રજાએ બીજા સાત દિવસ સુધી પર્વ પાળવાનો ઠરાવ કર્યો. તેઓએ ઘણા આનંદથી બીજા સાત દિવસ સુધી પર્વ પાળ્યું.


એ પ્રમાણે યરુશાલેમમાં આનંદ આનંદ થઈ રહ્યો, કેમ કે ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાનના સમય પછી યરુશાલેમમાં આવો ઉત્સવ કદી થયો નહોતો.


સુલેમાન રાજાએ બાવીસ હજાર બળદો તથા એક લાખ વીસ હજાર ઘેટાંનું બલિદાન આપ્યું. એમ રાજાએ તથા સર્વ લોકોએ ઈશ્વરના મંદિરની પ્રતિષ્ઠા કરી.


હવે યહૂદિયાના તથા બિન્યામીનના શત્રુઓએ સાંભળ્યું કે, બંદીવાસમાંથી છૂટેલા લોકો ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવા લાગ્યા છે.


તથા સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ આનંદથી પાળ્યું, કારણ કે યહોવાએ તેઓને આનંદિત કર્યા હતા, અને ઇઝરાયલના ઈશ્ચરના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશૂરના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.


યરુશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓને તેઓની સર્વ જગાઓમાંથી શોધી કાઢ્યા કે, આભારસ્તુતિના ગાયનો કરતાં, તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતાં ઉત્સાહથી પ્રતિષ્ઠાપર્વ પાળવા માટે તેઓ તેઓને યરુશાલેમમાં લાવે.


તે દિવસે તેઓએ પુષ્કળ બલિદાન આપ્યાં તથા આનંદોત્સવ કર્યો; કારણ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા; વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો; તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરુશાલેમથી દૂર સુધી સંભળાતો હતો.


હવે યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગવૈયાઓ, નથીનીમ તથા કેટલાક લોકો યરુશાલેમમાં વસ્યા, અને સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા.


પછી તેણે તેઓને કહ્યું, “હવે જાઓ, સ્વાદિષ્ઠ ભોજન કરો, મિષ્ટપાન કરો, અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે [તમારામાંથી] હિસ્સા મોકલી આપો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને માટે આજનો દિવસ પવિત્ર છે; એથી તમારે ઉદાસ પણ ન થવું, કેમ કે, યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે.


જ્યારે તેઓએ મને કહ્યું, “આપણે યહોવાને મંદિરે જઈએ, ” ત્યારે હું આનંદ પામ્યો.


ત્યારે દાનિયેલને રાજાની હજૂરમાં લાવવામાં આવ્યો. રાજાએ દાનિયેલને પૂછ્યું, “યહૂદિયાના બંદીવાનો જેઓને મારા પિતા યહૂદિયામાંથી લાવ્યા હતા તેઓમાંનો જે દાનિયેલ, તે તું છે?


હવે યરુશાલેમમાં પ્રતિષ્ઠાપર્વ હતું. અને તે વખતે શિયાળો હતો.


અને ત્યાં તમારે યહોવા તમારા ઈશ્વરની આગળ જમવું, ને તમારા હાથમાં જે સર્વ [કામો] માં યહોવા તારા ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારાં કુટુંબોએ ઉત્સવ કરવો.


પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે, આનંદ કરો.


Lean sinn:

Sanasan


Sanasan