Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 3:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે પછી નિત્યનાં દહનીયાર્પણ, ચંદ્રદર્શનનાં, યહોવાનાં નિયુક્ત પવિત્ર પર્વોનાં, તથા યહોવાને માટે રાજીખુશીથી અર્પણ કરનારનાં ઐચ્છાકાર્પણ, [ચઢાવ્યાં].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તે ઉપરાંત નિત્યનાં દહનબલિ, ચાંદ્રમાસના પ્રથમ દિવસનાં પર્વનાં અર્પણો અને સ્વૈચ્છિક અર્પણો તથા પ્રભુનાં નક્કી કરેલા સર્વ પર્વોના અર્પણો પણ પ્રભુને ચડાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી દૈનિક તથા મહિનાના દહનીયાર્પણો, યહોવાહનાં નિયુક્ત પવિત્ર પર્વોનાં તથા ઐચ્છિકાર્પણો, પણ ચઢાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 એના પછી લોકોએ નિત્યનાં દહનાર્પણો, ચંદ્રદર્શનના દિવસની ઉજવણીના અર્પણો તથા બીજાં વાર્ષિક પર્વોની ઉજવણીનાં અર્પણો ચઢાવ્યા જે યહોવાને માટે પવિત્ર હતા એ લોકોએ ઉપહાર પણ અર્પણ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 3:5
19 Iomraidhean Croise  

લેવી યિમ્નાનો પુત્ર કોરે, પૂર્વ [દિશાના દરવાજા] નો દ્વારપાળ, યહોવાના અર્પણો તથા પરમપવિત્ર વસ્તું વહેંચી આપવા માટે, ઈશ્વરના ઐચ્છિકાર્પણો પર [કારભારી] હતો.


તેઓ સાતમા માસના પહેલા દિવસથી યહોવાને દહનીયાર્પણો ચઢાવવા લાગ્યા. પણ યહોવાના મંદિરનો પાયો હજી નંખાયો ન હતો.


નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે, અમારા ઈશ્વર યહોવાની વેદી પર બાળવા માટે, અમારા પિતૃઓના કુટંબો પ્રમાણે, દર વર્ષે ઠરાવેલે સમયે અમારા ઈશ્વરના મંદિરમાં લાકડાઓનાં અર્પણો લાવવા માટે, અમે, એટલે યાજકો, લેવીઓ તથા લોકોએ, [ચિઠ્ઠીઓ નાખી].


તેમ જ મારી આગળ દહનીયાર્પણ ચઢાવનાર, ખાદ્યાર્પણ બાળનાર તથા નિત્ય યજ્ઞ કરનાર પુરુષની ખોટ લેવી યાજકોમાં પડશે નહિ.”


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, જયારે તમારામાંનો કોઈ માણસ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાનું, એટલે ઢોરમાંનું તથા ઘેટાંબકરાંમાં ચઢાવવું.


જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે કે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, યહોવાનાં જે મુક્કર પર્વોએ પવિત્ર મેળાવડા કરવાની જાહેરાત તમારે કરવી તે મારાં મુક્‍કર પર્વો આ છે.


અને તેઓનાં પેયાર્પણ દરેક વાછરડાની સાથે અડધું હિન, ને ઘેટાની સાથે એક તૃતીયાંશ હિન, ને દરેક હલવાનની સાથે એક ચતુર્થાંશ હિન દ્રાક્ષારસ હોય; વર્ષના માસોમાંના દરેક માંસનું દહનીયાર્પણ એ છે.


પણ તમારે યહોવાને દહનીયાર્પણ, એટલે હોમયજ્ઞ ચઢાવવું:એટલે બે વાછરડા તથા એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન. જો જો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.


પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન.


અને તમે દહનીયાર્પણ, એટલે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ ચઢાવો. એટલે તેર વાછરડા, બે ઘેટા, પહેલ વર્ષના ચૌદ નર હલવાન. તેઓ ખોડખાંપણ વગરના હોય.


અને તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો. એટલે એક વાછરડો, એક ઘેટો ને પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન.


તમારાં દહનીયાર્પણોને માટે, તથા તમારાં ખાદ્યાર્પણોને માટે, તથા તમારાં પેયાર્પણોને માટે, તથા તમારાં શાંત્યર્પણોને માટે, તમારાં [ચઢાવેલાં] માનતાઓ તથા ઐચ્છિકાર્પણો ઉપરાંત, તમારે તમારાં ઠરાવેલાં પર્વોમાં યહોવાને એ ચઢાવવાં.”


પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો. એટલે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષના સાત નર હલવાન, જોજો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.


તારા ધાન્યનો કે તારા દ્રાક્ષારસોનો કે તારા તેલનો દશાંશ અથવા તારાં ઢોરઢાંક કે ઘેટાંબકરાંનાં પ્રથમજનિત અથવા તારી લીધેલી કોઈ પણ માનતા, અથવા તારાં ઐચ્છિકાર્પણો, અથવા તારા હાથના ઉચ્છાલીયાર્પણો, એ સર્વ તારાં રહેઠાણોમાં ખાવાની તને રજા નથી.


અને ત્યાં તમારે તમારાં દહનીયાર્પણો તથા તમારા યજ્ઞ તથા તમારા દશાંશો, તથા તમારા હાથનાં ઉચ્છાલીયાર્પણો, તથા તમારી માનતાઓ, તથા તમારાં ઐચ્છિકાર્પણો, તથા તમારાં ઢોરઢાંકના તથા તમારાં ઘેટાંબકરાંનાં પહેલાં બચ્ચા લાવવાં.


Lean sinn:

Sanasan


Sanasan