Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 47:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પ્રભુ યહોવા કહે છે, “આ સરહદથી તમારે ઇઝરાયલનાં બાર કુળો પ્રમાણે જમીનનો વારસો વહેંચી લેવો. યૂસફને [બે] હિસ્સા [મળે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પ્રભુ પરમેશ્વરે કહ્યું, “દેશની આ સરહદો છે; તે બારે કુળો વચ્ચે વહેંચવાની છે. માત્ર યોસેફના કુળને બે ભાગ મળે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘આ રસ્તેથી અમારે ઇઝરાયલનાં બાર કુળો માટે જમીનનો વારસો વહેંચી લેવો: યૂસફને બે ભાગ મળે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 યહોવા મારા માલિક કહે છે: “ઇસ્રાએલના બાર કુળ સમૂહોને જમીન વહેંચવા માટે આ સૂચનો છે: યૂસફના કુળને તેના પુત્રોની જાતિઓ એફ્રાઇમ અને મનાશ્શા માટે બે ભાગ મળશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 47:13
12 Iomraidhean Croise  

અને હવે મિસર દેશમાં તારી પાસે મારા આવ્યા પહેલાં તારા જે બે દિકરા તથા મનાશ્શા, તેઓ મારા છે; રૂબેન તથા શિમયોનની જેમ તેઓ મારા થશે.


તારા પિતાના આશીર્વાદો મારા પિતૃઓના આશીર્વાદ કરતાં અતિ મોટા થયા છે, અને સદાકાળ ટકી રહેનારા પર્વતોની અતિ દૂરની સીમા સુધી વધ્યા છે; અને તેઓ યૂસફના શિર પર, તથા જે તેના ભાઈઓથી જુદો કરાયેલો, તેના મસ્તક પર રહેશે.


ઇઝરાયલના જ્યેષ્ઠપુત્ર રુબેનના પુત્રો:(કેમ કે તે જ્યેષ્ઠ હતો, પરંતું તેણે પોતાના પિતાનો પલંગ અશુદ્ધ કર્યાને લીધે તેનો જ્યેષ્ઠપણાનો હક ઇઝરાયલના પુત્ર યૂસફના પુત્રોને આપવામાં આવ્યો. અને વંશાવણી જ્યેષ્ઠપણાના હક પ્રમાણે ગણવાની નથી,


તે સમયે યહૂદિયાનો વંશ ઇઝરાયલના વંશની સાથે હળીમળીને ચાલશે, ને ઉત્તર દેશમાંથી ભેગા થઈને મેં તમારા પૂર્વજોને વારસામાં આપેલા દેશમાં તેઓ આવશે.”


યહોવા કહે છે, “તે સમયે હું ઇઝરાયલનાં સર્વ કુળોનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.”


“હવે કુળોનાં નામ નીચે પ્રમાણે છે: ઉત્તર છેડાથી તે હેથ્લોનના માર્ગની બાજુએ હમાથના નાકા સુધી, ને ત્યાંથી દમસ્કસની સરહદ ઉપરના હસાર-એનાન સુધી, ને ઉત્તરે છેક હમાથની પડોશ સુધી; [આ પ્રમાણે] તેઓની પૂર્વ પશ્ચિમ સરહદ થશે; એ એક ભાગ દાનનો


જે ભૂમિનો વારસો તમારે ઇઝરાયલના કુળોને ચિઠ્ઠીઓ નાખીને વહેંચી આપવાનો છે તે ઉપર પ્રમાણે છે, ને તેઓના જુદા જુદા હિસ્સા ઉપર પ્રમાણે છે, એમ પ્રભુ યહોવા કહે છે.


અને યહોવાએ મૂસાને કહ્યું


અને યૂસફપુત્રો મનાશ્શા ને એફ્રાઈમે પોતાનું વતન લીધું.


અને મનાશ્શા જે યૂસફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે આ ભાગ હતો:મનાશ્શાનો વડો પુત્ર માખીર, ગિલ્યાદનો પિતા, લડવૈયો હતો, એ માટે તેને તો ગિલ્યાદ તથા બાશાન મળ્યાં,


Lean sinn:

Sanasan


Sanasan