Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 46:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 સરદાર બહારના દરવાજાની પરસાળને માર્ગે અંદર દાખલ થઈને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, ને યાજકો તેનું દહનીયાર્પણ તથા તેના શાંત્યાર્પણો તૈયાર કરે, ને તે દરવાજાના ઉંબરા આગળલ ઊભો રહીને ભજન કરે. પછી તે બહાર નીકળી જાય; પણ દરવાજાને સાંજ સુધી બંધ ન કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 રાજર્ક્તાઓએ બહારના ચોકમાંથી ઓસરીમાં થઈને અંદર દાખલ થવું ને અંદરના દરવાજાની બારસાખ પાસે ઊભા રહેવું. તે દરમ્યાન યજ્ઞકારો રાજર્ક્તાના દહનબલિ અને સંગતબલિ ચડાવે. ત્યાં દરવાજાના ઉંબરા પાસે જ આરાધના કરી રાજર્ક્તાએ પાછા બહાર નીકળી જવું, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સરદાર બહારના દરવાજાની ઓસરીના માર્ગે અંદર પ્રવેશ કરીને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, યાજક તેનું દહનીયાર્પણ તથા તેનાં શાંત્યર્પણો તૈયાર કરે. તે દરવાજાના ઉંબરા પર ઊભો રહીને ભજન કરે, પછી બહાર જાય, પણ દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 રાજકુમારે બહારના પ્રાંગણમાંથી ઓસરીમાં થઇ અંદરના દરવાજાના થાંભલા આગળ ઊભા રહેવું. અને યાજકે તેના દહનાર્પણો હોમી દેવા અને શાંત્યર્પણો ચઢાવવા ત્યાં દરવાજા આગળના પ્રવેશદ્રારે તેણે જરૂર નીચા નમીને પ્રણામ કરી, તેણે પાછા બહાર ચાલ્યા જવું. દરવાજો સાંજ સુધી બંધ ન કરવો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 46:2
18 Iomraidhean Croise  

પછી દાઉદ રાજા અંદર જઈને યહોવાની સમક્ષ બેઠો. તેણે કહ્યું, “હે યહોવા ઈશ્વર, હું કોણ, ને મારું કુટુંબ કોણ કે, તમે મને આટલે સુધી લાવ્યા છો?


એ વખત સુધી તે રાજાના પૂર્વ દિશાના દરવાજાનો [રક્ષક] હતો. તેઓ લેવીના પુત્રોની છાવણીના દ્વાપાળો હતા.


તેણે જોયું, તો રાજા સ્તંભ આગળ બારણામાં ઊભો હતો, ને સરદારો તથા રણશિંગડાં વગાડનારાઓ તેની પાસે ઊભા હતા. અને દેશના સર્વ લોક ઉત્સાહ કરતા હતા તથા રણશિંગડાં વગાડતા હતા.ગવૈયાઓ પણ વાજિંત્ર વગાડતા તથા સ્તુતિનાં ગાયનો ગવડાવતા હતા. ત્યારે અથાલ્યાએ બળવો! બળવો! એમ કહીને પોતાના વસ્ત્ર ફાડ્યાં.


અર્પણ કરી રહ્યા પછી રાજાએ તથા તેની સાથે જેઓ હાજર હતા તે સર્વએ નમસ્કાર કરીને ભજન કર્યું.


રાજાએ પોતાની જગાએ ઊભા થઈને આ પુસ્તકમાં લખેલાં કરારનાં વચન પ્રમાણે કરવાને માટે, પોતાના ખરા હ્રદયથી તથા પોતાના પૂરા જીવથી યહોવાને અનુસરવાને તથા તેમની આજ્ઞાઓ, તેમના સાક્ષ્યો તથા તેમના વિધિઓ પાળવાને યહોવાની આગળ પ્રતિજ્ઞા લીધી.


(સુલેમાને પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો તથા ત્રણ હાથ ઊંચો બાજઠ બનાવીને તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. તેના ઉપર તે ઊભો રહ્યો, ને ઇઝરાયલના સર્વ લોકોની આગળ તેને ઘૂંટણ ટેકવીને આકાશ તરફ પોતાના હાથ પ્રસાર્યા;)


પછી નીચલા દરવાજાને મોખરેથી તે અંદરના આંગણાની બહારના મોખરા સુધીની પહોળાઈ તેણે માપી, એટલે પૂર્વ તરફ તેમ જ ઉત્તર તરફ પણ તે સો હાથ હતી.


દરવાજાની પરસાળમાં આ બાજુએ બે મેજ ને પેલી બાજુએ બે મેજ મુકેલી હતી, તેમના ઉપર દહનીયાર્પણો, પાપાર્થપણો તથા દોષાર્થાર્પણો કાપવામાં આવતાં હતાં.


સરદાર તો તેમાં યહોવાની હજૂરમાં રોટલી ખાવાને સરદાર તરીકે બેસે. તે દરવાજાની પરસાળને માર્ગે પ્રવેશ કરે, ને તે જ માર્ગે તે બહાર નીકળે.”


યાજક પાપાર્થાર્પણના રક્તમાંથી કેટલુંક લઈને તેને મંદિરની બારસાખો પર, વેદીના પાયાના ચાર ખૂણાઓ પર તથા અંદરના આંગણાના દરવાજાની બારસાખો પર લગાડે.


સરદાર ઐચ્છિકાર્પણ એટલે યહોવાને માટે ઐચ્છિકાર્પણ તરીકે, દહનીયાર્પણ અથવા શાંત્યર્પણ રજૂ કરે, ત્યારે પૂર્વ તરફના મોંવાળો દરવાજો એક જણ તેને માટે ઉઘાડે, ને તે સાબ્બાથને દિવસે રજૂ કરે છે તેમ, પોતાનું દહનીયાર્પણ તથા પોતાનાં શાંત્યર્પણો રજૂ કરે. પછી તે બહાર નીકળે; અને તેના બહાર નીકળ્યા પછી એક જણ તે દરવાજો બંધ કરે.


અંદર પેંસતાં સરદાર દરવાજાની પરસાળને માર્ગે અંદર આવે, ને તે જ માર્ગે તે બહાર પણ નીકળે.


પછી તેમણે થોડે આઘે જઈને ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”


દરેક માણસને ખ્રિસ્તમાં સંપૂર્ણ થયેલો રજૂ કરીએ એ માટે અમે તેમની વાત પ્રગટ કરીએ છીએ, અને દરેક માણસને બોધ કરીએ છીએ તથા સર્વ [પ્રકારના] જ્ઞાનથી દરેક માણસને શીખવીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan