Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 46:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પ્રભુ યહોવા કહે છે, “અંદરના આંગણાનો દરવાજો જેનું મોં પૂર્વ તરફ છે તે કામ કરવાના છયે દિવસ બંધ રહે; પણ સાબ્બાથને દિવસે તે ઉઘાડો રહે, ને ચંદ્રદર્શનને દિવસે તે ઉઘાડો રહે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ પરમેશ્વર કહે છે: “અંદરના ચોકનો પૂર્વમુખી દરવાજો સપ્તાહના કામ કરવાના છ દિવસો બંધ રહે પણ સાબ્બાથદિને અને ચાંદ્રમાસના પ્રથમ દિવસે તેને ઉઘાડો રાખવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘અંદરના આંગણાંનો દરવાજો જેનું મુખ પૂર્વ તરફ છે તે કામ કરવાના છ દિવસ બંધ રહે, પણ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શનને દિવસે તે ખોલવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 આ યહોવા મારા માલિકના વચન છે: “અંદરના ચોકનો પૂર્વનો દરવાજો કામ કરવાના છ દિવસોએ બંધ રહેશે, પરંતુ વિશ્રામવારને દિવસે અને ચંદ્રદર્શને દિવસે તે ઉઘાડો રાખવો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 46:1
15 Iomraidhean Croise  

તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”


એ વખત સુધી તે રાજાના પૂર્વ દિશાના દરવાજાનો [રક્ષક] હતો. તેઓ લેવીના પુત્રોની છાવણીના દ્વાપાળો હતા.


છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર;


વળી યહોવા કહે છે, “દરેક ચંદ્રદર્શનને દિવસે, તથા સાબ્બાથે સાબ્બાથે સર્વ માનવજાત મારી હજૂરમાં પ્રણામ કરવા માટે આવશે.


હવે એ માણસ અંદર પ્રવેશ્યો ત્યારે કરુબો મંદિરની જમણી બાજુએ ઊભેલા હતા અને અંદરનો ચોક વાદળાથી ભરાઈ ગયો.


પછી નીચલા દરવાજાને મોખરેથી તે અંદરના આંગણાની બહારના મોખરા સુધીની પહોળાઈ તેણે માપી, એટલે પૂર્વ તરફ તેમ જ ઉત્તર તરફ પણ તે સો હાથ હતી.


પછીથી જે દરવાજાનું મોં પૂર્વ તરફ છે તે દરવાજે તે મને લાવ્યો.


સરદાર ઐચ્છિકાર્પણ એટલે યહોવાને માટે ઐચ્છિકાર્પણ તરીકે, દહનીયાર્પણ અથવા શાંત્યર્પણ રજૂ કરે, ત્યારે પૂર્વ તરફના મોંવાળો દરવાજો એક જણ તેને માટે ઉઘાડે, ને તે સાબ્બાથને દિવસે રજૂ કરે છે તેમ, પોતાનું દહનીયાર્પણ તથા પોતાનાં શાંત્યર્પણો રજૂ કરે. પછી તે બહાર નીકળે; અને તેના બહાર નીકળ્યા પછી એક જણ તે દરવાજો બંધ કરે.


દેશના લોકો સાબ્બાથના દિવસોએ તથા ચંદ્રદર્શનના દિવસોએ તે દરવાજાના મોં આગળ ઊભા રહીને યહોવાની હજૂરમાં ભજન કરે.


ચંદ્રદર્શનને દિવસે ખોડખાંપણ વગરનો એક જુવાન ગોધો, છ હલવાન તથા એક મેંઢો, તે ખોડખાંપણ વગરનાં, એટલું [દહનીયાર્પણ] તે ચઢાવે.


પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લાવ્યો, તો જુઓ, યહોવાના મંદિરના બારણા આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે, આશરે પચીસ માણસો હતા, તેઓની પીઠ યહોવાના મંદિર તરફ હતી, ને તેમનાં મુખ પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વ તરફ [જોઈને] સૂર્યની પૂજા કરતા હતા.


વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, માટે સભાસ્થાનના અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું, “છ દિવસ છે કે જેમાં માણસોએ કામ કરવું જોઈએ. એ માટે તે [દિવસો] એ તમે આવીને સાજા થાઓ, પણ વિશ્રામવારે નહિ.”


Lean sinn:

Sanasan


Sanasan