Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 44:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યાર પછી પવિત્રસ્થાનની બહારનો દરવાજો જેનું મોં પૂર્વ તરફ છે તેને માર્ગે તે મને પાછો લાવ્યો; અને તે બંધ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 તે માણસ મને મંદિરની બહારના પૂર્વમુખી દરવાજા પાસે પાછો લઈ ગયો. તે બંધ હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી તે માણસ મને પાછો સભાસ્થાનની પૂર્વ તરફ જેનું મુખ છે તે પવિત્રસ્થાનના બહારના દરવાજા આગળ લાવ્યો. તે દરવાજો બંધ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તે માણસ મને પાછો મંદિરની પૂર્વ બાજુએ આવેલા બહારના દરવાજા આગળ લઇ આવ્યો. એ દરવાજો બંધ હતો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 44:1
12 Iomraidhean Croise  

એ વખત સુધી તે રાજાના પૂર્વ દિશાના દરવાજાનો [રક્ષક] હતો. તેઓ લેવીના પુત્રોની છાવણીના દ્વાપાળો હતા.


યહોશાફાટે યહોવાના મંદિરના નવા ચોક આગળ યહૂદિયા તથા યરુશાલેમના લોકોની સભામાં ઊભા થઈને કહ્યું,


તેણે આકાશના તારામંડળને માટે યહોવાના મંદિરનાં બન્ને ચોકમાં વેદીઓ બાંધી.


તે ઉપરાંત તેણે યાજકોનો ચોક તથા મોટો ચોક બાંધ્યાં, ને તેમનાં કમાડો બનાવ્યાં, ને તે કમાડોને તેણે પિત્તળથી મઢ્યાં.


પછી તે મને બહારના આંગણામાં લાવ્યો, તે જુઓ, આંગણાની ચારે દિશાએ ઓરડીઓ તથા ફરસબંધી બનાવેલી હતી. ફરસબંધી પર ત્રીસ ઓરડીઓ હતી.


પછી તે પૂર્વ તરફને દરવાજે આવ્યો, ને તેને પગથિયે ચઢ્યો. તેણે દરવાજા આગળની પરસાળ માપી, તે એક માપદંડ જેટલી પહોળી, એટલે એક પરસાળ, એક માપદંડ જેટલી પહોળી હતી.


અંદર ગયા પછી યાજકોએ એ પવિત્રસ્થાનમાંથી બહારના ચોકમાં ન નીકળવું, પણ સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખી મૂકવાં; કેમ કે તેઓ પવિત્ર છે; અને બીજાં વસ્ત્ર પહેરીને તેઓએ લોકોના [ચોક] માં આવવું.”


પછીથી જે દરવાજાનું મોં પૂર્વ તરફ છે તે દરવાજે તે મને લાવ્યો.


યહોવાના ગૌરવે પૂર્વ તરફના મોંવાળા દરવાજાને માર્ગે મંદિરમાં પ્રવેશ કર્યો.


પ્રભુ યહોવા કહે છે, “અંદરના આંગણાનો દરવાજો જેનું મોં પૂર્વ તરફ છે તે કામ કરવાના છયે દિવસ બંધ રહે; પણ સાબ્બાથને દિવસે તે ઉઘાડો રહે, ને ચંદ્રદર્શનને દિવસે તે ઉઘાડો રહે,


સરદાર ઐચ્છિકાર્પણ એટલે યહોવાને માટે ઐચ્છિકાર્પણ તરીકે, દહનીયાર્પણ અથવા શાંત્યર્પણ રજૂ કરે, ત્યારે પૂર્વ તરફના મોંવાળો દરવાજો એક જણ તેને માટે ઉઘાડે, ને તે સાબ્બાથને દિવસે રજૂ કરે છે તેમ, પોતાનું દહનીયાર્પણ તથા પોતાનાં શાંત્યર્પણો રજૂ કરે. પછી તે બહાર નીકળે; અને તેના બહાર નીકળ્યા પછી એક જણ તે દરવાજો બંધ કરે.


Lean sinn:

Sanasan


Sanasan