Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 4:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 વળી તું તારાં ડાબા પાસા પર સૂઈ જા, ને ઈઝરાયલ પ્રજાની દુષ્ટતા ડાબા પાસા પર મૂક તે પાસા પર તું સૂઈ રહેશે તેટલા દિવસ તારે તેઓની દુષ્ટતાનો બોજ સહન કરવો પડશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પછી તું તારે ડાબે પડખે સૂઈ જા, અને એ પડખે ઇઝરાયલના દુરાચારનો બોજો વહન કર. તું જેટલા દિવસ ડાબે પડખે સૂઈ રહે તેટલા દિવસ તારે તેમના દુરાચારનો બોજો ઉપાડવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પછી, તું તારે ડાબે પડખે સૂઈ જા. અને ઇઝરાયલી લોકોનાં પાપ તેઓના પોતાના પર મૂક; તું જેટલા દિવસ ડાબે પડખે સૂઈ રહેશે તેટલા દિવસ માટે તારે ઇઝરાયલનાં પાપોનો બોજ ઉઠાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 “પછી તારા ડાબા પડખે સૂઇ જા, અને તારે ઇસ્રાએલનાં લોકોના અપરાધની ઘોષણા કરવી પડશે, તું જેટલા દિવસ ડાબે પડખે સૂઇ રહેશે તેટલા દિવસ ઇસ્રાએલના પાપોના અપરાધની ઘોષણા કરવી જોઇશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 4:4
11 Iomraidhean Croise  

કેમ કે મેં ઠરાવ્યુ છે કે તેમની દુષ્ટતાના જેટલાં વરસો તેટલા દિવસો સુધી, એટલે ત્રણસો ને નેવું દિવસ સુધી તારે ઇઝરાયલ પ્રજાની દુષ્ટતાનો બોજ સહન કરવો.


વળી, જો હું તને રસીથી બાંધુ છું, ને તારા ઘેરાના દિવસ તું પૂરા કરે ત્યાં સુધી તારે પાસું ફેરવવું નહિ.


“તમે પાપાર્થાર્પણ પવિત્રસ્થાનની જગામાં કેમ ખાધું નહિ? કેમ કે તે પરમપવિત્ર છે, ને પ્રજાનું પાપ દૂર કરવા માટે તેમને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરવાને તે તેણે તમને આપ્યું છે.


અને બકરો તેઓના સર્વ અન્યાય પોતાને શિર ધરીને ઉજ્જડ પ્રદેશમાં લઈ જશે; અને રાનમાં તે બકરાને છોડી દેવો.


જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી રહ્યા, એટલે ચાળીસ દિવસ, તેઓની સંખ્યા‍ પ્રમાણે, અકેક દિવસને બદલે અકેક વર્ષ લેખે, ચાળીસ વર્ષ સુધી તમે તમારા અન્યાયનું [ફળ] ખાશો, ને મારા વિયોગનો અનુભવ કરશો.


અને યહોવાએ હારુનને કહ્યું, “પવિત્રસ્થાનમાંનો અન્યાય તારે તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારા પિતાના ઘરનાને શિર છે. અને તારા યાજકપદનો અન્યાય તારે તથા તારી સાથે તારા દિકરાઓને શિર છે.


એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, ‘તેણે પોતે આપણી માંદગીઓ લીધી, ને આ૫ણા રોગ ભોગવ્યા.’


તેમ ખ્રિસ્તે ઘણાઓનાં પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે.


લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયીપણા સંબંધી જીવીએ; તેમના ઘાથી તમે સાજા થયા.


Lean sinn:

Sanasan


Sanasan