Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 18:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ને ઉપર કહેલી [ફરજો] માંથી કોઈ પણ ફરજ અદા કરનારો ન હોય, પણ તેણે પર્વતો પર ભોજન કર્યુ હોય તથા પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી હોય,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 અને એના પિતાએ કદી ન કર્યાં હોય એવાં કામો કરે એટલે પર્વતો પર મૂર્તિઓનાં પૂજાસ્થાનોમાં ચડાવેલ બલિ ખાતો હોય, પોતાના પાડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરતો હોય,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પિતાએ કદી કર્યું ન હોય એવું બધું કરતો હોય; પણ પર્વતો પરની મૂર્તિઓના ભોજનમાંથી ખાતો હોય તથા પડોશીની પત્નીને ભ્રષ્ટ કરી હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 અને પિતાએ કદી કર્યું ન હોય એવું બધું કરતો હોય; પર્વતો પર જઇને જૂઠી મૂર્તિઓની પૂજા કરતો હોય, તથા પડોશીની પત્ની સાથે વ્યભિચારમાં ડૂબેલો હોય,

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 18:11
15 Iomraidhean Croise  

પણ તમે પાછા આવ્યા, ને જે જગા વિષે તેમણે તમને કહ્યું હતું કે, ત્યાં રોટલી ન ખાતો તેમ પાણી ન પીતો તેમાં તમે રોટલી ખાધી છે ને પાણી પીધું છે; માટે તમારી લાશ તમારા પિતૃઓની કબરમાં જવા પામશે નહિ.’”


ઈશ્વરભક્તે રાજાને કહ્યું, “તું મને તારું અડધુ ઘર આપે, તો પણ હું તારી સાથે નહિ આવું, ને આ જગાએ રોટલી પણ નહિ ખાઉં, તેમ પાણી પણ નહિ પીઉં.


જો તેને એક એવો દીકરો થાય કે, જે લૂટારો, ખૂની તથા આ કામોમાંનું કોઈ પણ કામ કરનારો હોય,


જેણે પર્વતો પર ભોજન કર્યુ ન હોય, તેમ જ ઇઝરાયલ લોકોની મૂર્તિઓ તરફ પોતાની નજર કરી ન હોય, પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી ન હોય,


એકે પોતાના પડોશીની સ્ત્રી સાથે કુકર્મ કર્યું છે; અને બીજાને લંપટતાથી પોતાની પૂત્રવધૂને ભ્રષ્ટ કરી છે; અને ત્રીજાએ પોતાની બહેનની એટલે પોતાની પિતાની દીકરીની અબરુ લીધી છે.


પણ તેમણે કહ્યું, “તે કરતાં જેઓ ઈશ્વરની વાત સાંભળે છે અને પાળે છે તેઓને ધન્ય છે!”


જો તમે એ વાતો જાણીને તેઓને પાળો, તો તમને ધન્ય છે.


જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો.


શું તમે જાણતા નથી કે અધર્મીઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? ભૂલ ન ખાઓ, વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, લંપટો, વિષયીઓ, પુંમૈથુનીઓ,


જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તે સર્વ કરો; અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.


તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો [હોવાથી] નિર્જીવ છે.


અને જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમની પાસેથી આપણને મળે છે, કેમ કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, અને તેમની નજરમાં જે પસંદ પડે છે તે કરીએ છીએ.


જીવનના ઝાડ પર તેઓને હક મળે, અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે, એ માટે જેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ છે તેઓને ધન્ય છે.


Lean sinn:

Sanasan


Sanasan