Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 16:53 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 હું તેઓની ગુલામી, એટલે સદોમ તથા તેની પુત્રીઓની ગુલામી, ને સમરૂન તથા તેની પુત્રીઓની ગુલામી, ને તેઓમાં તારા ગુલામોની ગુલામી ફેરવી નાખીશ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

53 વળી પ્રભુ યરુશાલેમને કહે છે: “હું સદોમ અને તેની પુત્રીઓને, સમરૂન અને તેની પુત્રીઓને ફરીથી આબાદ કરીશ અને સાથોસાથ તને પણ ફરી આબાદ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 હું સદોમ તથા તેની દીકરીઓની, સમરુન તથા તેની દીકરીઓની આબાદી તેઓને પાછી આપીશ. તારી આબાદી તને પાછી આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

53 દેવ કહે છે, “પરંતુ એક દિવસ આવશે જ્યારે હું સદોમ અને તેની પુત્રીઓની તથા સમરૂન અને તેની પુત્રીઓની આબાદી પાછી આપીશ. વળી એ સાથે, હે યહૂદા, તારી આબાદી પણ હું તને પાછી આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 16:53
21 Iomraidhean Croise  

જ્યારે અયૂબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી. અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયૂબને બમણુ આપ્યું.


જ્યારે યહોવા બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા, ત્યારે અમે સ્વપ્ન જોયું હોય તેમ અમને લાગ્યું.


સિયોનમાંથી ઇઝરાયલનું તારણ આવે તો કેવું સારું! યહોવા પોતાના લોકની આબાદી પાછી આપશે, ત્યારે યાકૂબ હર્ષ પામશે અને ઇઝરાયલ આનંદ કરશે.


હે યહોવા, તમે તમારા દેશ પર પ્રસન્ન થયા છો. તમે યાકૂબનું દાસત્વ પાછું વાળ્યું છે.


જો સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.


જેમ પડોશીઓએ મારા લોકોને બાલના સમ ખાતાં શીખવ્યા, તેમ, ‘પ્રભુ યહોવા જીવંત છે, ’ એવા મારા નામના સમ ખાતાં પડોશીઓ શીખશે, અને મારા લોકોના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકોની વચમાં સ્થિર થઈને વસશે.


જે નગરો યહોવાએ નષ્ટ કર્યાં, અને પસ્તાવો કર્યો નહિ, તેઓની જેમ તે માણસ [નષ્ટ] થાઓ; તે માણસ સવારે વિલાપ તથા મધ્યાહને રણનાદ સાંભળો!


સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, “જ્યારે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ત્યારે યહૂદિયાના દેશમાં તથા તેનાં નગરોમાં લોકો ફરીથી આ આશીર્વચન કહેશે, ‘હે ન્યાયનિકેતન, હે પવિત્ર પર્વત, યહોવા તને આશીર્વાદ આપો.’


[પ્રભુ કહે છે,] “પણ હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, ને હે ઇઝરાયલ, તું ગભરાઈશ નહિ; કેમ કે હું તને દૂરથી તથા તારા સંતાનને તેઓના બંદીવાસ ના દેશમાંથી છોડાવીશ. યાકૂબ પાછો આવશે, ને શાંત તથા સ્વસ્થ રહેશે, કોઈ તેને બીવડાવશે નહિ.


પરંતુ પાછલા દિવસોમાં હું મોઆબનો બંદીવાસ ફેરવી નાખીશ, એવું યહોવા કહે છે. આ પ્રમાણે મોઆબના શાસન વિષેની વાત છે.”


પણ પાછલા દિવસોમાં હું એલામનો બંદીવાસ ફેરવી નાખીશ.” એવું યહોવા કહે છે.


ત્યાર પછી હું આમ્મોનીઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ” એવું યહોવા કહે છે.


તેં તારી બહેનોના લાભમાં ન્યાય ચૂકવ્યો છે, તેથી પણ તું લજ્જિત થા. તેં તેઓના કરતાં અધિક ધિક્કારપાત્ર કુકર્મો કર્યા છે, તેથી તેઓ [પ્રમાણમાં] તારા કરતાં ન્યાય ઠરી છે. હા, તેં તારી બહેનોને પ્રમાણમાં નિર્દોષ ઠરાવી છે, તેથી તું પણ ઝંખવાઈ જા ને તારી ફજેતી વહોરી લે.


એ માટે કે તું ફજેત થાય, ને તેં જે જે કર્યું છે ને જેથી તું તેઓને દિલાસારૂપ થઈ છે, તે સર્વને લીધે તું લજ્જિત થાય.


તેની દીકરીઓ જે સીમમાં હશે તેઓ તરવારથી મારી જશે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


હું મિસરને ગુલામગીરીમાંથી છોડાવીશ, ને હું તેમને પાથ્રોસના દેશમાં, તેમની જન્મભૂમિમાં, પાછા લાવીશ, અને તેઓ પામર રાજ્ય તરીકે ત્યાં રહેશે,


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હવે હું યાકૂબની ગુલામગીની હાલત ફેરવી નાખીશ, ને ઇઝરાયલની આખી પ્રજા પર કૃપા કરીશ; અને હું પોતાના પવિત્ર નામ વિષે આવેશી રહીશ.


કેમ કે, “જુઓ, તે દિવસોમાં એટલે તે સમયમાં, જ્યારે હું યહૂદિયા તથા યરુશાલેમની ગુલામગીરી ફેરવી નાખીશ,


Lean sinn:

Sanasan


Sanasan