Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 12:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેમનામાં જે સરદાર‌ છે તે અંધારામાં પોતાના ખભા પર ભાર ઊંચકીને ચાલી નીકળશે; તેઓ કોટમાં બાકું પાડીને તેમાં થઈને [સામાન] બહાર કાઢશે; તે પોતાનું મોં ઢાંકશે, કેમ કે તે પોતાની આંખોને દેશને જોશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તમારો રાજવી અંધારામાં પોતાના ખભે પોતાનો સરસામાન ઉપાડીને ચાલી નીકળશે અને તેને માટે લોકોએ કોટમાં પાડેલા બાકોરામાંથી તે બહાર નાસી છૂટશે. પોતે દેશ જોઈ ન શકે તે માટે તે પોતાનું મોં ઢાંકશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તમારી મધ્યે જે સરદાર છે તે અંધારામાં પોતાના ખભા પર પોતાનો સામાન ઊંચકીને દીવાલમાંથી બહાર જશે. તેઓ દીવાલમાં કાણું પાડશે અને પોતાનો સામાન બહાર લાવશે. તે પોતાનું મુખ ઢાંકી દેશે જેથી તે પોતાની આંખોથી દેશ જોઈ શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તમારા રાજા પણ આ જ પ્રમાણે તેનાથી ઊંચકી શકાય તેટલો સામાન ઊંચકીને નીકળશે અને ભીંતના બાકોરામાંથી તે બહાર જશે. તે પોતાનું મોઢું ઢાંકી દેશે જેથી તે જોઇ શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 12:12
11 Iomraidhean Croise  

પછી નગરના કોટમાં ગાબડું પાડવામાં આવ્યું, ને બધાં લડાયક માણસો રાત્રે રાજાની વાડી પાસેની બે ભીંતો વચ્ચે આવેલા દરવાજાને માર્ગે થઈને [નાઠા]. (હવે કાસ્દીઓએ નગરને ઘેરી લીધું હતું છતાં) [રાજા] અરાબાને માર્ગે નાઠો.


તેઓ સંધ્યાકાળે અરામીઓની છાવણીમાં જવા માટે ઊઠ્યા. અને તેઓ અરામીઓની છાવણીની સરહદ પર પહોંચ્યા, ત્યારે જુઓ, ત્યાં કોઈ પણ માણસ નહોતો.


અંધારામાં તેઓ ઘરોમાં ખાતર પાડે છે; ‍ અને દિવસે બારણાં બંધ કરીને ઘરમાં ભરાઈ રહે છે. અને અજવાળું જોવા માગતા નથી.


વળી યહોવા એવું પણ ખાતરીથી કહે છે, “જેમ અંજીર બગડી ગયાં, ખવાય નહિ એટલે સુધી બગડી ગયાં, તેમની જેમ યહૂદિયાનો રાજા સિદકિયા, તેના સરદારો, તથા યરુશાલેમના બાકી રહેલા લોકો જેઓ આ દેશમાં રહે છે, તથા મિસર દેશમાં વસે છે, તેઓને હું તજી દઈશ;


અને તે સિદકિયાને બાબિલ લઈ જશે, ને હું તેની મુલાકાત લઈશ ત્યાં સુધી તે ત્યાં રહેશે, એવું યહોવા કહે છે; તમે ખાલદીઓની સાથે લડશો, તોપણ તમે ફતેહ નહિ પામશો [એવું ભવિષ્ય તું શા માટે કહે છે] ?”


ત્યાર પછી સિદકિયા રાજાએ [માણસ] મોકલીને તેને તેડી મંગાવ્યો; અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછયું, “યહોવા તરફથી કંઈ વચન છે?” ત્યારે યર્મિયાએ કહ્યું કે, છે. વળી, યર્મિયાએ રાજાને કહ્યું, “તમને બાબિલના રાજાના હાથમાં સોંપવામાં આવશે.”


જ્યારે યહૂદિયાના રાજા સિદકિયાએ તથા સર્વ લડવૈયાઓએ તેઓને જોયા, ત્યારે તેઓ નાસી છૂટયા, ને રાત્રે રાજાની વાડીને માર્ગે બે કોટની વચ્ચેના દ્વારમાં થઈને નગરની બહાર નીકળીને આરાબાને માર્ગે પડયા.


દશ દિવસ વીતી ગયા પછી યહોવાનું વચન યર્મિયાની પાસે આવ્યું.


ત્યારે નગરના કોટમાં બાકોરું પાડવામાં આવ્યું, ને સર્વ લડવૈયા નાઠા, ને બે ભીંતોની વચ્ચે રાજાની વાડીની પાસે જે દરવાજો હતો, તેમાં થઈને તેઓ રાતોરાત નગરમાંથી નીકળીને નાઠા; (ખાલદીઓએ નગરને ચારે તરફથી ઘેરી લીધું હતું;) અને તેઓ અરાબાને માર્ગે ગયા.


તું દિવસે તેઓના દેખતાં તારો મુસાફરીનો સામાન બહાર કાઢી લાવ; અને જેમ લોક દેશનિકાલને માટે ચાલી નીકળે છે તેમ તું પોતે સાંજે તેમના દેખતાં ચાલી નીકળ.


તેમનાં દેખતાં તારે તે પોતાને ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જવો. તારે પોતાનું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલ લોકને માટે નિશાની તરીકે ઠરાવ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan