Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 9:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 જો, કાલે આસરે આ સમયે હું એવા ભારે કરા વરસાવીશ, કે જેવા કરા મિસરનું [રાજ્ય] સ્થપાયું તે દિવસથી તે આજ સુધીમાં પડયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તેથી આવતી કાલે આ જ સમયે હું એવા ભારે કરા વરસાવીશ કે ઇજિપ્તનું રાજ્ય સ્થપાયું ત્યારથી અત્યાર સુધી એવા કરા ક્યારેય પડયા ન હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું ભારે કરાનો એવો વરસાદ વરસાવીશ કે મિસરની સ્થાપનાથી આજ સુધી એવા કરા મિસરમાં કદીય વરસ્યા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું એવો તો ભારે કરાનો વરસાદ વરસાવીશ કે મિસરમાં કદી પડ્યો નથી, મિસર દેશ બન્યો ત્યારથી તો નહિ જ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 9:18
14 Iomraidhean Croise  

ત્યારે ઇઝબેલે એલિયા પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “કાલ આસરે આ સમય સુધીમાં. હું તારા જીવને એ પ્રબોધકોમાંના એકનાં જીવ જેવો ન કરું, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”


પરંતું કાલે આસરે આ સમયે હું મારા ચાકરોને તારી પાસે મોકલીશ, ને તેઓ તારા ઘરની તથા તારા ચાકરોનાં ઘરની ઝડતી લેશે.અને એમ થશે કે જે બધું તને પ્રિય લાગતું હશે, તે તેઓ તારી પાસેથી લઈ જશે.’”


એલિશાએ કહ્યું, “તમે યહોવાનું વચન સાંભળો:યહોવા એમ કહે છે, ‘કાલે આશરે આ સમયે સમરુનની ભાગળમાં એક માપ મેંદો એક શેકેલે, ને બે માપ જવ એક શેકેલે [વેચાશે].”


ઈશ્વરભક્તે રાજાને બોલાવીને કહ્યું હતું, ‘કાલે આશરે આ સમયે સમરુનની ભાગળમાં બે માપ જવ એક શેકેલે, ને એક માપ મેંદો એક શેકેલે વેચાશે, ’ તેમ થયું,


પછી પોતાની પૃથ્વીને માટે, ગમે તો શિક્ષાને માટે ગમે તો દયાને માટે, તે તેને મોકલતા હોય.


શું તું બરફના ભંડારોમાં ગયો છે? અથવા કરાના ભંડારો શું તેં જોયા છે?


તેમને મેં સંકટના દિવસોને માટે [અને] યુદ્ધ તથા સંગ્રામના દિવસને મટે ભરી મૂક્યા છે.


તમે તમારી આંધીથી તેઓનો પીછો પકડો, અને તમારા તોફાનથી તેઓને ત્રાસ પમાડો.


અને આખા મિસર દેશ ઉપર પ્રસરી ગયાં, ને મિસરની સર્વ સીમમાં બેઠાં. તે મહા ત્રાસદાયક હતાં તેમની અગાઉ એવા તીડ આવ્યાં નહોતાં, ને તેમની પછી પણ એવાં આવશે નહિ.


અને તમારાં ઘર તથા તમારા સર્વ સેવકોનાં ઘર તથા સર્વ મિસરીઓનાં ઘર [તેઓથી] ભરાઈ જશે; તમારા પિતૃઓએ તથા તમારા પિતૃઓના પિતૃઓએ તેઓ પૃથ્વી પર હયાતીમાં આવ્યા ત્યારથી તે આજ સુધી એવું જોયું નથી.” અને તે પાછો ફરીને ફારુનની હજૂરમાંથી નીકળી ગયો.


અને આખા મિસર દેશમાં એવી ભારે રોકકળ થશે કે એના જેવી એકે થઈ નથી, તથા એના જેવી બીજી કદી થવાની નથી.


શું હજી પણ તું મારા લોકો ઉપર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી.?


અને આકાશમાંથી માણસો પર આશરે એક એક મણના મોટા કરા પડયા, અને કરાના અનર્થને લીધે માણસોએ ઈશ્વરની નિંદા કરી, કેમ કે તેમનો આ અનર્થ અતિશય ભારે છે.


Lean sinn:

Sanasan


Sanasan