Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 7:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનનું હ્રદય હઠીલું છે, લોકોને તે જવા દેવાની ના પાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પછી પ્રભુએ મોશેને કહ્યું, “ફેરોનું હૃદય હઠીલું થયું છે અને તે લોકોને જવા દેવાની ના પાડે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન હઠીલો થયો છે, એ મારા લોકોને જવા દેવાનો ઇનકાર કરે છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પછી યહોવાએ હારુન અને મૂસાને કહ્યું, “ફારુને હઠ પકડી છે, એ માંરી પ્રજાને જવા દેવાની ના પાડે છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 7:14
21 Iomraidhean Croise  

અને યહોવાએ મૂસાને કહ્યું, “તું ફારુનની હજૂરમાં જા; કેમ કે મેં તેનું હ્રદય તથા તેના સેવકોનાં હ્રદય હઠીલાં કર્યાં છે, એ માટે કે હું મારાં ચિહ્નો તેઓની મધ્યે બતાવું,


પણ યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.


અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે તેઓને જવા દીધા નહિ.


કેમ કે જો તમે મારા લોકને જવા દેવાનો ઈનકાર કરશો, તો જુઓ, હું કાલે તમારી સીમોમાં તીડ મોકલીશ;


અને હું જાણું છું કે મિસરનો રાજા તમને જવા દે. હા, માત્ર બળવાન હાથથી તમને [જવા દેશે].


અને મેં તને કહ્યું છે કે, મારા પુત્રને મારી સેવા કરવા માટે જવા દે. અને તેં તેને જવા દેવાનો ઇન્કાર કર્યો છે. તો જો, હું તારા પુત્રને એટલે તારા જ્યેષ્ઠ પુત્રને મારી નાખીશ.”


અને યહોવાના કહેવા પ્રમાણે ફારુનનું હ્રદય હઠીલું થયું, ને તેણે તેમનું માન્યું નહિ.


સવારે તું ફારુનની પાસે જા. જો, તે ઘાટ ઉપર જવાનો છે. તું તેને મળવાને માટે નદીએ તીરે ઊભો રહે; અને જે લાકડી સર્પ બની ગિઇ હતી તે તારા હાથમાં લેતો જા.


અને દેડકાં તમારી પાસેથી તથા તમારાં ઘરોમાંથી તથા તમારા સેવકો પાસેથી તથા તમારી પ્રજા પાસેથી દૂર થઈને નદીમાં જ રહેશે.”


પણ ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.


અને જો તું તેમને જવા દેવાની ના પાડશે તો જો, હું તારા દેશની સર્વ સીમોમાં દેડકાંનો માર લાવીશ.


કેમ કે જો તું તેમને જવા દેવાનો ઈનકાર કરશે, ને હજી પણ તેમને રોકી રાખશે,


અને ફારુને જોયું કે વરસાદ તથા કરા તથા ગર્જના બંધ પડયાં છે, ત્યારે તેણે તથા તેના સેવકોએ અધિક પાપ કરીને પોતાનાં હ્રદય હઠીલાં કર્યાં.


અને ફારુને માણસ મોકલીને [તપાસ કરાવી] તો જુઓ, ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એક પણ મર્યું નહોતું. પણ ફારુનનું હ્રદય હઠીલું હતું, માટે તેણે લોકોને જવા દીધા નહિ.


પણ જો તમે મારાથી વિમુખ થઈને દ્રોહ કરશો તો તમે તરવારથી માર્યા જશો; કેમ કે એ યહોવાના મુખનું વચન છે.”


તો યરુશાલેમના આ લોકો પાછા હઠયા છે તે હંમેશને માટે કેમ પાછા પડી ગયા છે? તેઓ કપટ પકડી રાખે છે, અને પાછા આવવાની ના પાડે છે.


તું કપટમાં વસે છે! કપટને લીધે તેઓ મને જાણવાની ના પાડે છે, ” એવું યહોવા કહે છે.


હા, નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના [ઇશ્વર] યહોવાએ પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકોની હસ્તક મોકલ્યાં હતાં, તે રખેને તેઓ સાંભળે તે માટે તેઓએ પોતાનાં હ્રદય વજ્ જેવાં કર્યાં; તેથી સૈન્યોના [ઇશ્વર] યહોવાની હજૂરમાંથી ઉગ્ર કોપ આવ્યો.


પણ હેશ્બોનના રાજા સિહોને પોતાના [દેશ] માં થઈને આપણને જવા દેવાની ના પાડી. કેમ કે યહોવા તારા ઈશ્વરે તેનું મન કઠણ કર્યું હતું, ને તેનું હ્રદય હઠીલું કર્યું હતું કે, તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજ છે તેમ.


જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો. કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ખરેખર બચીશું નહિ.


તો જેમ મિસરીઓએ તથા ફારુને પોતાનાં અંત:કરણ કઠણ કર્યાં તેમ તમે તમારા અંત:કરણો કેમ કઠણ કરો છો? તેણે તેઓ મધ્યે અદભૂતકૃત્યો કર્યાં, ત્યારે પછી તેઓએ [ઇઝરાયલી લોકને] જવા દીધા, ને તેઓ ગયા, શું એમ ન બન્યું?


Lean sinn:

Sanasan


Sanasan