Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 4:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને મૂસા ત્યાંથી નીકળીને તેના સસરા યિથ્રોની પાસે પાછો આવ્યો, ને તેણે તેને કહ્યું, “મિસરમાં રહેનારા મારા ભાઈઓ હજી સુધી જીવે છે કે નહિ તે જોવા માટે કૃપા કરીને મને તેમની પાસે જવા દો.”અને યિથ્રોએ મૂસાને કહ્યું, “શાંતિથી જા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 મોશેએ તેના સસરા યિથ્રો પાસે જઈને તેને કહ્યું, “મને મારા ભાઈઓ પાસે ઇજિપ્તમાં પાછો જવા દો; જેથી હું જઈને જોઉં કે તેઓ હજી જીવે છે કે કેમ.” યિથ્રોએ મોશેને કહ્યું, “ભલે, શાંતિથી જા.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી ત્યાંથી મૂસા પોતાના સસરા યિથ્રો પાસે પાછો આવ્યો અને તેને કહ્યું, “કૃપા કરીને મને મારા લોકો પાસે મિસરમાં પાછો જવા દે.” હું જોવા માગું છું કે તેઓ હજી હયાત છે કે નહિ! યિથ્રોએ તેને કહ્યું, “શાંતિથી જા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પછી મૂસાએ પોતાના સસરા યિથ્રો પાસે પાછા જઈને કહ્યું, “કૃપા કરીને મને જરા માંરા લોકો પાસે મિસર પાછો જવા દો. હું એ જોવા માંગું છું કે તેઓ હજી જીવે છે કે નહિ!” યિથ્રોએ તેને કહ્યું, “સુખશાંતિથી જા.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 4:18
11 Iomraidhean Croise  

અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું યૂસફ છું. મારા પિતા શું હજી જીવે છે?” અને તેના ભાઈઓ તેને ઉત્તર આપી ન શકયા; કેમ કે તેઓ તેની આગળ ગભરાઈ ગયા હતા.


એલિશાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું, “તમે જઈને યર્દનમાં સાત વાર સ્નાન કરો, એટલે તમને નવું માસ આવશે, ને તમે શુદ્ધ થશો.”


અને એલિશાએ તેને કહ્યું, “શાંતિએ જા.” માટે તે એની પાસેથી થોડેક દૂર ગયો.


અને મૂસા ખુશીથી તે માણસને ત્યાં રહ્યો; અને રેઉએલે પોતાની પુત્રી સિપ્પોરાહ મૂસાને પરણાવી.


હવે મૂસા પોતાના સસરાનાં એટલે મિદ્યાનના યાજક યિથ્રોનાં ઘેટાં સાચવતો હતો. અને તે એ ઘેટાંને અરણ્યની પેલી બાજુએ લઈ ગયો, ને તે ઈશ્વરના પર્વત હોરેબ આગળ આવ્યો.


પછી તેમણે તે‍ સ્‍ત્રીને કહ્યું, “તારા વિશ્વાસે તને બચાવી છે; શાંતિથી જા.”


કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો, હવે આપણે પાછા ફરીએ, અને જે જે શહેરોમાં આપણે પ્રભુની વાત પ્રગટ કરી હતી, તેમાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.”


પછી બંદીખાનાના દરોગાએ પાઉલને એ વાતની ખબર આપી કે, “અમલદારોએ તમને છોડી દેવાનું કહાવી મોકલ્યું છે માટે હવે તમે નીકળીને શાંતિથી ચાલ્યા જાઓ.”


જેટલા દાસ ઝૂંસરી નીચે છે તેટલાએ પોતાના માલિકોને પૂરા માનયોગ્ય ગણવા, જેથી ઈશ્વરના નામની તથા ઉપદેશની નિંદા ન થાય.


પુરોહિતે તેઓને કહ્યું, “શાંતિથી ચાલ્યા જાઓ. જે રસ્તે તમે જાઓ છો તે યહોવાની સમક્ષ છે.”


ત્યારે એલીએ ઉત્તર આપ્યો, “શાંતિએ જા; તે ઇઝરાયલના ઈશ્વરની આગળ વિનંતી કરી છે, તે તે સાર્થક કરો.”


Lean sinn:

Sanasan


Sanasan